Loksabha Election 2024 : PM મોદીએ Rahul Gandhiના ખટાખટવાળા નિવેદન પર સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-17 18:33:05

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બાકી રહેલા તબક્કાઓ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.. સભા દરમિયાન અનેક વખત રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતું હોય છે.. તે નિવેદનની ચર્ચા થતી રહેતી હોય છે.. પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો આપણે જાણીએ છીએ. દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. 

રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે...  

રાજનેતાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર જ હશે આ વાતની... રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેમાં ખટા ખટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. દેશની રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. પીએમ મોદી અનેક વખત પોતાના ભાષણમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ આડકતરી રીતે કરતા હોય છે. 


પીએમ મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુપીમાં 4 ચૂંટણી રેલીઓ કરી હતી. પ્રતાપગઢમાં તેમણે રાહુલ ગાંધીના ખટા ખટ વાળા નિવેદન પર જબરજસ્ત પ્રહાર કર્યા. સ્ટેજ પરથી તેમણે કહ્યું- તેઓ વિચારે છે કે ભારત પોતાના દમ પર આત્મનિર્ભર બની જશે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે -ખટાખટ...ખટાખટ.... 4 જૂન પછી, ઈન્ડી ગઠબંધ તૂટી જશે. ખટાખટ...ખટાખટ.... બલિનો બકરો મળી જશે. ખટાખટ...ખટાખટ. રાજકુમારો, ભલે તે લખનઉના હોય કે દિલ્હીના, ઉનાળાની રજાઓમાં વિદેશ જશે - ખટાખટ...ખટાખટ...



રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા... 

આ તો થઈ પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત પરંતુ જે નિવેદન પર તેમણે આ પ્રતિક્રિયા આપી તેની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 8500 રૂપિયા ખટાખટ દર મહિને ખાતામાં આવી જશે અને એક ઝટકામાં અમે હિન્દુસ્તાનની ગરીબીની મિટાવી દઈશું... મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ થયો છે જે પહેલી વખત આપણે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે.. ખટાખટ હોય કે શહેઝાદા હોય કે અંકલજી આ બધા શબ્દોનો ભાષણમાં સૌથી વધારે ઉપયોગ થયો છે. હવે 4 જૂને શું થાય છે જનતા કોને ખટાખટ વોટ આપે છે તે જોવાનું રહ્યું... 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .