Loksabha Election 2024 : PM મોદીએ Rahul Gandhiના ખટાખટવાળા નિવેદન પર સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-17 18:33:05

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બાકી રહેલા તબક્કાઓ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.. સભા દરમિયાન અનેક વખત રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતું હોય છે.. તે નિવેદનની ચર્ચા થતી રહેતી હોય છે.. પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો આપણે જાણીએ છીએ. દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. 

રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે...  

રાજનેતાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર જ હશે આ વાતની... રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેમાં ખટા ખટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. દેશની રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. પીએમ મોદી અનેક વખત પોતાના ભાષણમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ આડકતરી રીતે કરતા હોય છે. 


પીએમ મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુપીમાં 4 ચૂંટણી રેલીઓ કરી હતી. પ્રતાપગઢમાં તેમણે રાહુલ ગાંધીના ખટા ખટ વાળા નિવેદન પર જબરજસ્ત પ્રહાર કર્યા. સ્ટેજ પરથી તેમણે કહ્યું- તેઓ વિચારે છે કે ભારત પોતાના દમ પર આત્મનિર્ભર બની જશે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે -ખટાખટ...ખટાખટ.... 4 જૂન પછી, ઈન્ડી ગઠબંધ તૂટી જશે. ખટાખટ...ખટાખટ.... બલિનો બકરો મળી જશે. ખટાખટ...ખટાખટ. રાજકુમારો, ભલે તે લખનઉના હોય કે દિલ્હીના, ઉનાળાની રજાઓમાં વિદેશ જશે - ખટાખટ...ખટાખટ...



રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા... 

આ તો થઈ પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત પરંતુ જે નિવેદન પર તેમણે આ પ્રતિક્રિયા આપી તેની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 8500 રૂપિયા ખટાખટ દર મહિને ખાતામાં આવી જશે અને એક ઝટકામાં અમે હિન્દુસ્તાનની ગરીબીની મિટાવી દઈશું... મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ થયો છે જે પહેલી વખત આપણે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે.. ખટાખટ હોય કે શહેઝાદા હોય કે અંકલજી આ બધા શબ્દોનો ભાષણમાં સૌથી વધારે ઉપયોગ થયો છે. હવે 4 જૂને શું થાય છે જનતા કોને ખટાખટ વોટ આપે છે તે જોવાનું રહ્યું... 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.