Loksabha Election 2024 : PM મોદીએ Rahul Gandhiના ખટાખટવાળા નિવેદન પર સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-17 18:33:05

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. બાકી રહેલા તબક્કાઓ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.. સભા દરમિયાન અનેક વખત રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતું હોય છે.. તે નિવેદનની ચર્ચા થતી રહેતી હોય છે.. પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારો આપણે જાણીએ છીએ. દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. 

રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે...  

રાજનેતાઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.. જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર જ હશે આ વાતની... રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેમાં ખટા ખટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. દેશની રાજનીતિ ત્યારે ગરમાઈ જ્યારે દેશના પ્રધાન મંત્રીએ રાહુલ ગાંધીના ખટા ખટ પર પોતાનું નિવેદન આપ્યું. પીએમ મોદી અનેક વખત પોતાના ભાષણમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ આડકતરી રીતે કરતા હોય છે. 


પીએમ મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે... 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુપીમાં 4 ચૂંટણી રેલીઓ કરી હતી. પ્રતાપગઢમાં તેમણે રાહુલ ગાંધીના ખટા ખટ વાળા નિવેદન પર જબરજસ્ત પ્રહાર કર્યા. સ્ટેજ પરથી તેમણે કહ્યું- તેઓ વિચારે છે કે ભારત પોતાના દમ પર આત્મનિર્ભર બની જશે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે -ખટાખટ...ખટાખટ.... 4 જૂન પછી, ઈન્ડી ગઠબંધ તૂટી જશે. ખટાખટ...ખટાખટ.... બલિનો બકરો મળી જશે. ખટાખટ...ખટાખટ. રાજકુમારો, ભલે તે લખનઉના હોય કે દિલ્હીના, ઉનાળાની રજાઓમાં વિદેશ જશે - ખટાખટ...ખટાખટ...



રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા... 

આ તો થઈ પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત પરંતુ જે નિવેદન પર તેમણે આ પ્રતિક્રિયા આપી તેની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 8500 રૂપિયા ખટાખટ દર મહિને ખાતામાં આવી જશે અને એક ઝટકામાં અમે હિન્દુસ્તાનની ગરીબીની મિટાવી દઈશું... મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ થયો છે જે પહેલી વખત આપણે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે.. ખટાખટ હોય કે શહેઝાદા હોય કે અંકલજી આ બધા શબ્દોનો ભાષણમાં સૌથી વધારે ઉપયોગ થયો છે. હવે 4 જૂને શું થાય છે જનતા કોને ખટાખટ વોટ આપે છે તે જોવાનું રહ્યું... 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.