Loksabha Election 2024 | Shaktisinh Gohilએ પક્ષ છોડી ભાજપમાં જનારા પર કર્યા પ્રહારો, સાંભળો નિવેદન આપતા શું કહ્યું..?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:15:39

ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાનો પક્ષ છોડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.

ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓએ ધારણ કર્યો છે કેસરિયો!

ગુજરાતમાં થોડા સમયથી પક્ષ પલટાની મૌસમ જામી છે. પોતાનો પક્ષ છોડી નેતાઓ બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. થોડા દિવસ થયા નથી કે ભાજપમાં ભરતી મેળો થતો નથી..! કોંગ્રેસમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ માટે એવું માનવામાં આવતું હતું કે શક્તિસિંહના આવ્યા બાદ કદાચ પરિસ્થિતિ બદલાય. પરંતુ તેમના સમયમાં પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. 


પક્ષપલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તે બાદ તે  બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ ત્યારે પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે પક્ષ પલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. પક્ષપલટો કરનાર પર આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના પદને છોડી જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં ગયા છે તેમને જ ભાજપ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે.   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.