Loksabha Election 2024 | Shaktisinh Gohilએ પક્ષ છોડી ભાજપમાં જનારા પર કર્યા પ્રહારો, સાંભળો નિવેદન આપતા શું કહ્યું..?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:15:39

ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાનો પક્ષ છોડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.

ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓએ ધારણ કર્યો છે કેસરિયો!

ગુજરાતમાં થોડા સમયથી પક્ષ પલટાની મૌસમ જામી છે. પોતાનો પક્ષ છોડી નેતાઓ બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. થોડા દિવસ થયા નથી કે ભાજપમાં ભરતી મેળો થતો નથી..! કોંગ્રેસમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ માટે એવું માનવામાં આવતું હતું કે શક્તિસિંહના આવ્યા બાદ કદાચ પરિસ્થિતિ બદલાય. પરંતુ તેમના સમયમાં પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. 


પક્ષપલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તે બાદ તે  બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ ત્યારે પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે પક્ષ પલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. પક્ષપલટો કરનાર પર આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના પદને છોડી જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં ગયા છે તેમને જ ભાજપ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે.   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .