Loksabha Election 2024 | Shaktisinh Gohilએ પક્ષ છોડી ભાજપમાં જનારા પર કર્યા પ્રહારો, સાંભળો નિવેદન આપતા શું કહ્યું..?


  • Published By :
  • Published Date : 2024-03-18 11:15:39

ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાનો પક્ષ છોડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.

ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓએ ધારણ કર્યો છે કેસરિયો!

ગુજરાતમાં થોડા સમયથી પક્ષ પલટાની મૌસમ જામી છે. પોતાનો પક્ષ છોડી નેતાઓ બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. થોડા દિવસ થયા નથી કે ભાજપમાં ભરતી મેળો થતો નથી..! કોંગ્રેસમાં તો એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ માટે એવું માનવામાં આવતું હતું કે શક્તિસિંહના આવ્યા બાદ કદાચ પરિસ્થિતિ બદલાય. પરંતુ તેમના સમયમાં પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. 


પક્ષપલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે તે બાદ તે  બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની તારીખ જ્યારે જાહેર થઈ ત્યારે પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે પક્ષ પલટો કરનાર નેતાઓને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. પક્ષપલટો કરનાર પર આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે પોતાના પદને છોડી જે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં ગયા છે તેમને જ ભાજપ ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકે છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.