Loksabha Election 2024 : આજે છેલ્લા તબક્કા માટે થઈ રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-06-01 12:37:16

દેશમાં લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટ માટે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. 904 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે.. આજની ચૂંટણી પર સૌથી વધારે લોકોનું ફોકસ હશે કારણ કે પીએમ મોદી જે સીટથી ઉમેદવાર છે તે બેઠક માટે મતદાન થવાનું છે.. સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓની બેઠકો પર પણ નજર રહેવાની છે.. 9 વાગ્યાસુધીમાં સરેરાશ 11.31 ટકા મતદાન થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

11 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 24.23 ટકા મતદાન થયું છે જ્યારે ચંદીગઢમાં 25.03 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં 31.2 ટકા જ્યારે ઝારખંડમાં 29.55 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 29.55 ટકા જ્યારે ઓડિશામાં 22.64 ટકા મતદાન થયું છે. પંજાબમાં 23.91 ટકા મતદાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 28.02 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા મતદાન થયું છે.. 11 વાગ્યા સુધી સરેરાશ 26.3 ટકા મતદાન નોંધાયું છે..  


ઉત્તર પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઝારખંડ,પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ હિમાચલ પ્રદેશની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે..  સવારે 9 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનના ટકાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 12.94 ટકા મતદાન થયું છે, ઓડિશામાં 7.69 ટકા મતદાન થયું છે, ચંદીગઢમાં 11.64 ટકા મતદાન થયું છે, ઝારખંડમાં 12.15 ટકા જ્યારે પંજાબમાં 9.64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 12.63 ટકા મતદાન જ્યારે બિહારમાં 10.54 ટકા મતદાન થયું છે જ્યારે હિમાલચ પ્રદેશમાં 14.35 ટકા મતદાન 9 વાગ્યા સુધી નોંધાયું છે..    



કઈ બેઠકો પર સૌ કોઈની નજર? 

ઉત્તર પ્રદેશની વારાણસી પર સૌ કોઈની નજર રહેલી છે.. કારણ કે આ બેઠક પરથી પીએમ મોદીએ સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી છે.. તો બીજી તરફ કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજય રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.. બસપાએ અતહર જમાલ લારીને ટિકીટ આપી છે..  તે સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.. તેમની સામે કોંગ્રેસે સતપાલ રાયસાદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. 


ચોથી જૂને આવવાનું છે પરિણામ 

તે સિવાય મંડીની બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી કારણ કે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ છે.. મહત્વનું છે કે દરેકની નજર ચોથી જૂન પર રહેલી છે જ્યારે ચૂંટણી માટેનું પરિણામ સામે આવશે.. દરેક પાર્ટી પોતાના જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.. ત્યારે જોવું રહ્યું કે મતદાતા કોની શિરે વિજયનો તાજ પહેરાવે છે..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .