Loksabha Election 2024 : આજે છેલ્લા તબક્કા માટે થઈ રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-06-01 12:37:16

દેશમાં લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટ માટે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.. 904 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થવાનો છે.. આજની ચૂંટણી પર સૌથી વધારે લોકોનું ફોકસ હશે કારણ કે પીએમ મોદી જે સીટથી ઉમેદવાર છે તે બેઠક માટે મતદાન થવાનું છે.. સાથે સાથે અનેક દિગ્ગજ નેતાઓની બેઠકો પર પણ નજર રહેવાની છે.. 9 વાગ્યાસુધીમાં સરેરાશ 11.31 ટકા મતદાન થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

11 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 24.23 ટકા મતદાન થયું છે જ્યારે ચંદીગઢમાં 25.03 ટકા મતદાન થયું છે. હિમાચલ પ્રદેશમાં 31.2 ટકા જ્યારે ઝારખંડમાં 29.55 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 29.55 ટકા જ્યારે ઓડિશામાં 22.64 ટકા મતદાન થયું છે. પંજાબમાં 23.91 ટકા મતદાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 28.02 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં 28.10 ટકા મતદાન થયું છે.. 11 વાગ્યા સુધી સરેરાશ 26.3 ટકા મતદાન નોંધાયું છે..  


ઉત્તર પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઝારખંડ,પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર તેમજ હિમાચલ પ્રદેશની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે..  સવારે 9 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનના ટકાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 12.94 ટકા મતદાન થયું છે, ઓડિશામાં 7.69 ટકા મતદાન થયું છે, ચંદીગઢમાં 11.64 ટકા મતદાન થયું છે, ઝારખંડમાં 12.15 ટકા જ્યારે પંજાબમાં 9.64 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં 12.63 ટકા મતદાન જ્યારે બિહારમાં 10.54 ટકા મતદાન થયું છે જ્યારે હિમાલચ પ્રદેશમાં 14.35 ટકા મતદાન 9 વાગ્યા સુધી નોંધાયું છે..    



કઈ બેઠકો પર સૌ કોઈની નજર? 

ઉત્તર પ્રદેશની વારાણસી પર સૌ કોઈની નજર રહેલી છે.. કારણ કે આ બેઠક પરથી પીએમ મોદીએ સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી છે.. તો બીજી તરફ કોંગ્રેસે ઉમેદવાર તરીકે અજય રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.. બસપાએ અતહર જમાલ લારીને ટિકીટ આપી છે..  તે સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.. તેમની સામે કોંગ્રેસે સતપાલ રાયસાદાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. 


ચોથી જૂને આવવાનું છે પરિણામ 

તે સિવાય મંડીની બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી કારણ કે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ છે.. મહત્વનું છે કે દરેકની નજર ચોથી જૂન પર રહેલી છે જ્યારે ચૂંટણી માટેનું પરિણામ સામે આવશે.. દરેક પાર્ટી પોતાના જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.. ત્યારે જોવું રહ્યું કે મતદાતા કોની શિરે વિજયનો તાજ પહેરાવે છે..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.