Loksabha Election 2024: Valsad બેઠક પર જે જીતે તેની બને છે સરકાર, કોણ છે બાજીગર? સમજો વિગતવાર આ બેઠકના રાજકીય સમીકરણને...


  • Published By :
  • Published Date : 2024-03-20 11:19:13

રાજનીતિમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી હોતું પરંતુ અનેક માન્યતાઓ એવી હોય છે જેને રાજકીય પક્ષો તેમજ લોકો માનતા હોય છે! લોકસભા ચૂંટણીને લઈ રણશિંગુ ફુંકાઈ ગયું છે અને રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જ્યારે કોંગ્રેસે 6 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લોકસભા જીતવા માટે બંને પક્ષો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરીશું એવી લોકસભા બેઠકની જેના તાર સીધા કેન્દ્રમાં બનતી સરકાર સાથે જોડાયેલા છે! એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે જીતે છે તેની સરકાર બને છે. એવું કહેવાય છે કે જે પણ પક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે.  

જે પક્ષના ઉમેદવાર આ સીટ પર જીતે છે તે પક્ષની કેન્દ્રમાં બને છે સરકાર!

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી બેઠક છે. 1962થી આ વાત સાચી સાબિત થાય છે કે જે ઉમેદવાર આ બેઠક પરથી જીતે છે તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી જનતા દળ હોય.. બીજી વિશેષતા એવી છે આ બેઠકની કે કોઈ પક્ષ માટે આ બેઠક ક્યારેય વફાદાર નથી રહી. આદિવાસી બહુમલક ધરાવતી આ બેઠક જાણીતિ છે તેની લોકવાયકાને કારણે. સમગ્ર દેશની નજર આ બેઠક પર હોય છે. વર્ષ 2004 અને 2009ની ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી. અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2019 અને 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની થઈ હતી. કે.સી. પટેલ વિજેતા બન્યા હતા અને તે વખતે એનડીએની સરકાર બની હતી. આ વખતે ભાજપે નવા ચહેરાને મોકો આપ્યો છે. કે.સી.પટેલનું પત્તુ આ વખતે કપાયું છે.  

આ લોકસભા બેઠક પર થવાનો છે આ બંને ઉમેદવાર વચ્ચે જંગ!

બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે આરક્ષિત છે. ગુજરાતના રાજકારણમાં આ બેઠક બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ઉમેદવાર કે.સી.પટેલે 2014 અને 2019માં ચૂંટણા લડી અને ભાજપની જીત થઈ. કપરાડાનો પણ આ બેઠકમાં સમાવેશ થાય છે. વલસાડ બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે જ્યારે ભાજપ દ્વારા ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી