Loksabha Election 2024: Valsad બેઠક પર જે જીતે તેની બને છે સરકાર, કોણ છે બાજીગર? સમજો વિગતવાર આ બેઠકના રાજકીય સમીકરણને...


  • Published By :
  • Published Date : 2024-03-20 11:19:13

રાજનીતિમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી હોતું પરંતુ અનેક માન્યતાઓ એવી હોય છે જેને રાજકીય પક્ષો તેમજ લોકો માનતા હોય છે! લોકસભા ચૂંટણીને લઈ રણશિંગુ ફુંકાઈ ગયું છે અને રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જ્યારે કોંગ્રેસે 6 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લોકસભા જીતવા માટે બંને પક્ષો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરીશું એવી લોકસભા બેઠકની જેના તાર સીધા કેન્દ્રમાં બનતી સરકાર સાથે જોડાયેલા છે! એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે જીતે છે તેની સરકાર બને છે. એવું કહેવાય છે કે જે પણ પક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે.  

જે પક્ષના ઉમેદવાર આ સીટ પર જીતે છે તે પક્ષની કેન્દ્રમાં બને છે સરકાર!

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી બેઠક છે. 1962થી આ વાત સાચી સાબિત થાય છે કે જે ઉમેદવાર આ બેઠક પરથી જીતે છે તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી જનતા દળ હોય.. બીજી વિશેષતા એવી છે આ બેઠકની કે કોઈ પક્ષ માટે આ બેઠક ક્યારેય વફાદાર નથી રહી. આદિવાસી બહુમલક ધરાવતી આ બેઠક જાણીતિ છે તેની લોકવાયકાને કારણે. સમગ્ર દેશની નજર આ બેઠક પર હોય છે. વર્ષ 2004 અને 2009ની ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી. અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2019 અને 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની થઈ હતી. કે.સી. પટેલ વિજેતા બન્યા હતા અને તે વખતે એનડીએની સરકાર બની હતી. આ વખતે ભાજપે નવા ચહેરાને મોકો આપ્યો છે. કે.સી.પટેલનું પત્તુ આ વખતે કપાયું છે.  

આ લોકસભા બેઠક પર થવાનો છે આ બંને ઉમેદવાર વચ્ચે જંગ!

બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે આરક્ષિત છે. ગુજરાતના રાજકારણમાં આ બેઠક બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ઉમેદવાર કે.સી.પટેલે 2014 અને 2019માં ચૂંટણા લડી અને ભાજપની જીત થઈ. કપરાડાનો પણ આ બેઠકમાં સમાવેશ થાય છે. વલસાડ બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે જ્યારે ભાજપ દ્વારા ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.