Loksabha Election 2024: Valsad બેઠક પર જે જીતે તેની બને છે સરકાર, કોણ છે બાજીગર? સમજો વિગતવાર આ બેઠકના રાજકીય સમીકરણને...


  • Published By :
  • Published Date : 2024-03-20 11:19:13

રાજનીતિમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી હોતું પરંતુ અનેક માન્યતાઓ એવી હોય છે જેને રાજકીય પક્ષો તેમજ લોકો માનતા હોય છે! લોકસભા ચૂંટણીને લઈ રણશિંગુ ફુંકાઈ ગયું છે અને રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જ્યારે કોંગ્રેસે 6 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લોકસભા જીતવા માટે બંને પક્ષો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરીશું એવી લોકસભા બેઠકની જેના તાર સીધા કેન્દ્રમાં બનતી સરકાર સાથે જોડાયેલા છે! એવું માનવામાં આવે છે કે વલસાડ બેઠક પર જે જીતે છે તેની સરકાર બને છે. એવું કહેવાય છે કે જે પણ પક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે.  

જે પક્ષના ઉમેદવાર આ સીટ પર જીતે છે તે પક્ષની કેન્દ્રમાં બને છે સરકાર!

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અડીને આવેલી બેઠક છે. 1962થી આ વાત સાચી સાબિત થાય છે કે જે ઉમેદવાર આ બેઠક પરથી જીતે છે તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી જનતા દળ હોય.. બીજી વિશેષતા એવી છે આ બેઠકની કે કોઈ પક્ષ માટે આ બેઠક ક્યારેય વફાદાર નથી રહી. આદિવાસી બહુમલક ધરાવતી આ બેઠક જાણીતિ છે તેની લોકવાયકાને કારણે. સમગ્ર દેશની નજર આ બેઠક પર હોય છે. વર્ષ 2004 અને 2009ની ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી. અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2019 અને 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની થઈ હતી. કે.સી. પટેલ વિજેતા બન્યા હતા અને તે વખતે એનડીએની સરકાર બની હતી. આ વખતે ભાજપે નવા ચહેરાને મોકો આપ્યો છે. કે.સી.પટેલનું પત્તુ આ વખતે કપાયું છે.  

આ લોકસભા બેઠક પર થવાનો છે આ બંને ઉમેદવાર વચ્ચે જંગ!

બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે આરક્ષિત છે. ગુજરાતના રાજકારણમાં આ બેઠક બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ઉમેદવાર કે.સી.પટેલે 2014 અને 2019માં ચૂંટણા લડી અને ભાજપની જીત થઈ. કપરાડાનો પણ આ બેઠકમાં સમાવેશ થાય છે. વલસાડ બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે જ્યારે ભાજપ દ્વારા ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.