Loksabha Election 5th Phase: પશ્ચિમ બંગાળમાં પાંચ વાગ્યા સુધી નોંધાયું સૌથી વધારે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-20 18:14:01

લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થવાને માત્ર થોડો જ સમય બાકી રહ્યો છે. 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું છે. 


આ રાજ્યોની આટલી બેઠકો માટે થયું મતદાન 

લોકશાહીના મહા પર્વની ઉજવણી ભારતમાં થઈ રહી છે.. મતદાનની પ્રક્રિયા શરૂ છે. પાંચમા તબક્કા અંતર્ગત 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. પાંચ વાગે નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 52.35 ટકા મતદાન નોંધાયું છે, જમ્મુ કાશ્મીરમાં 54.21 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 61.90 ટકા મતદાન થયું છે. 


શરૂઆતમાં મતદાનમાં દેખાઈ નિરસતા

તે સિવાય લદ્દાખમાં 67.15 ટકા મતદાન નોંધાયું છે.. મહારાષ્ટ્રમાં 48.66 ટકા મતદાન જ્યારે ઓડિશામાં 60.55 ટકા મતદાન નોંધાયું છે.. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં પાંચ વાગ્યા સુધી 55.80 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન 73.00 ટકા થયું છે..  મહત્વનું છે કે મતદાનની શરૂઆત થઈ ત્યારે મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી. જોવું રહ્યું કે મતદાતાઓ કોને જીતાડે છે? ચોથી જૂને પરિણામ આવવાનું છે.        



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી