Loksabha Election 5th Phase: પશ્ચિમ બંગાળમાં પાંચ વાગ્યા સુધી નોંધાયું સૌથી વધારે મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-20 18:14:01

લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થવાને માત્ર થોડો જ સમય બાકી રહ્યો છે. 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો સરેરાશ 56.68 ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું છે. 


આ રાજ્યોની આટલી બેઠકો માટે થયું મતદાન 

લોકશાહીના મહા પર્વની ઉજવણી ભારતમાં થઈ રહી છે.. મતદાનની પ્રક્રિયા શરૂ છે. પાંચમા તબક્કા અંતર્ગત 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. પાંચ વાગે નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 52.35 ટકા મતદાન નોંધાયું છે, જમ્મુ કાશ્મીરમાં 54.21 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 61.90 ટકા મતદાન થયું છે. 


શરૂઆતમાં મતદાનમાં દેખાઈ નિરસતા

તે સિવાય લદ્દાખમાં 67.15 ટકા મતદાન નોંધાયું છે.. મહારાષ્ટ્રમાં 48.66 ટકા મતદાન જ્યારે ઓડિશામાં 60.55 ટકા મતદાન નોંધાયું છે.. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં પાંચ વાગ્યા સુધી 55.80 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન 73.00 ટકા થયું છે..  મહત્વનું છે કે મતદાનની શરૂઆત થઈ ત્યારે મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી. જોવું રહ્યું કે મતદાતાઓ કોને જીતાડે છે? ચોથી જૂને પરિણામ આવવાનું છે.        



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.