Loksabha Election 5th Phase : 49 બેઠકો માટે આજે મતદાન , જાણો કયા રાજ્યમાં થયું સૌથી વધારે મતદાન 9 વાગ્યા સુધીમાં?


  • Published By :
  • Published Date : 2024-05-20 11:40:35

દેશમાં લોકશાહીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાત તબક્કા અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું અને આજે પાંચમા તબક્કા અંતર્ગત દેશના આઠ રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. 49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે  મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ક્યાં કેટલા ટકા નોંધાયું મતદાન? 

દર પાંચ વર્ષે આપણે ત્યાં લોકસભા માટે મતદાન થાય છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો  ઉપયોગ કરી સરકારની પસંદગી કરે છે... સાત ચરણમાં મતદાન થવાનું હતું જેમાં ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સવારે નવ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 8.86 ટકા મતદાન થયું છે, જમ્મુ કાશ્મીરમાં 7.63 ટકા મતદાન થયું છે , ઝારખંડમાં 11.68 ટકા મતદાન થયું છે. લદ્દાખમાં 10.51 ટકા મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં 6.33 ટકા મતદાન, ઓડિશામાં 6.87 ટકા મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 12.89 ટકા મતદાન અને પશ્ચિમ બંગાળમાં 15.35 ટકા મતદાન થયું છે..

ફિલ્મ જગતના કલાકારો, રાજનેતાઓ સહિત લોકોએ કર્યો  મતાધિકારનો ઉપોગ

મહત્વનું છે કે મતદાન કરવા માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવે છે.. પીએમ મોદીએ પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.. અનેક રાજનેતાઓએ, ફિલ્મ કલાકારોએ. આરબીઆઈ ગવર્નર સહિતના લોકોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કર્યો છે.. પાંચમા ચરણના તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ જેવા કે રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયેલ, રાહુલ ગાંધી સહિત અનેક ઉમેદવારના ભાવિ દાવ પર લાગ્યા છે.. 


કોણ ક્યાંથી લડી રહ્યું છે ચૂંટણી?

રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી મતદાન લડી રહ્યા છે, જ્યારે અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધીની 2019માં જીત થઈ હતી.. આ વખતે રાહુલ ગાંધીને ત્યાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.    



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.