Loksabha Election 5th Phase : 49 બેઠકો માટે આજે મતદાન , જાણો કયા રાજ્યમાં થયું સૌથી વધારે મતદાન 9 વાગ્યા સુધીમાં?


  • Published By :
  • Published Date : 2024-05-20 11:40:35

દેશમાં લોકશાહીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાત તબક્કા અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું અને આજે પાંચમા તબક્કા અંતર્ગત દેશના આઠ રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. 49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે  મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ક્યાં કેટલા ટકા નોંધાયું મતદાન? 

દર પાંચ વર્ષે આપણે ત્યાં લોકસભા માટે મતદાન થાય છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો  ઉપયોગ કરી સરકારની પસંદગી કરે છે... સાત ચરણમાં મતદાન થવાનું હતું જેમાં ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સવારે નવ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 8.86 ટકા મતદાન થયું છે, જમ્મુ કાશ્મીરમાં 7.63 ટકા મતદાન થયું છે , ઝારખંડમાં 11.68 ટકા મતદાન થયું છે. લદ્દાખમાં 10.51 ટકા મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં 6.33 ટકા મતદાન, ઓડિશામાં 6.87 ટકા મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 12.89 ટકા મતદાન અને પશ્ચિમ બંગાળમાં 15.35 ટકા મતદાન થયું છે..

ફિલ્મ જગતના કલાકારો, રાજનેતાઓ સહિત લોકોએ કર્યો  મતાધિકારનો ઉપોગ

મહત્વનું છે કે મતદાન કરવા માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવે છે.. પીએમ મોદીએ પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.. અનેક રાજનેતાઓએ, ફિલ્મ કલાકારોએ. આરબીઆઈ ગવર્નર સહિતના લોકોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કર્યો છે.. પાંચમા ચરણના તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ જેવા કે રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયેલ, રાહુલ ગાંધી સહિત અનેક ઉમેદવારના ભાવિ દાવ પર લાગ્યા છે.. 


કોણ ક્યાંથી લડી રહ્યું છે ચૂંટણી?

રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી મતદાન લડી રહ્યા છે, જ્યારે અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધીની 2019માં જીત થઈ હતી.. આ વખતે રાહુલ ગાંધીને ત્યાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.