Loksabha Election 5th Phase : 49 બેઠકો માટે આજે મતદાન , જાણો કયા રાજ્યમાં થયું સૌથી વધારે મતદાન 9 વાગ્યા સુધીમાં?


  • Published By :
  • Published Date : 2024-05-20 11:40:35

દેશમાં લોકશાહીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાત તબક્કા અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે.. ચાર તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું અને આજે પાંચમા તબક્કા અંતર્ગત દેશના આઠ રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે. 49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે  મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ક્યાં કેટલા ટકા નોંધાયું મતદાન? 

દર પાંચ વર્ષે આપણે ત્યાં લોકસભા માટે મતદાન થાય છે. મતદાતાઓ પોતાના મતાધિકારનો  ઉપયોગ કરી સરકારની પસંદગી કરે છે... સાત ચરણમાં મતદાન થવાનું હતું જેમાં ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સવારે નવ વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બિહારમાં 8.86 ટકા મતદાન થયું છે, જમ્મુ કાશ્મીરમાં 7.63 ટકા મતદાન થયું છે , ઝારખંડમાં 11.68 ટકા મતદાન થયું છે. લદ્દાખમાં 10.51 ટકા મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં 6.33 ટકા મતદાન, ઓડિશામાં 6.87 ટકા મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 12.89 ટકા મતદાન અને પશ્ચિમ બંગાળમાં 15.35 ટકા મતદાન થયું છે..

ફિલ્મ જગતના કલાકારો, રાજનેતાઓ સહિત લોકોએ કર્યો  મતાધિકારનો ઉપોગ

મહત્વનું છે કે મતદાન કરવા માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવે છે.. પીએમ મોદીએ પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.. અનેક રાજનેતાઓએ, ફિલ્મ કલાકારોએ. આરબીઆઈ ગવર્નર સહિતના લોકોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કર્યો છે.. પાંચમા ચરણના તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ જેવા કે રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પીયુષ ગોયેલ, રાહુલ ગાંધી સહિત અનેક ઉમેદવારના ભાવિ દાવ પર લાગ્યા છે.. 


કોણ ક્યાંથી લડી રહ્યું છે ચૂંટણી?

રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી મતદાન લડી રહ્યા છે, જ્યારે અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધીની 2019માં જીત થઈ હતી.. આ વખતે રાહુલ ગાંધીને ત્યાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહારની હાજીપુર લોકસભા બેઠક પરથી ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.