Loksabha election 6th Phase voting : 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું નોંધાયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:00:17

દેશમાં લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે.. સાત ચરણોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે એમાંથી આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સીટો માટે મતદાન થઈ રહ્યું અને આજે 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.. બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની 4, દિલ્હીની તમામ બેઠકો એટલે કે 7 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. તે ઉપરાંત ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે.

ક્યાં કેટલું નોંધાયું મતદાન 3 વાગ્યા સુધી? 

3 વાગ્યા સુધીમાં બિહારમાં 45.21 ટકા મતદાન થયું છે, હરિયાણામાં 46.26 ટકા મતદાન થયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં 44.41 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 54.34 ટકા મતદાન જ્યારે દિલ્હીમાં 44.58 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 48.44 ટકા મતદાન થયું છે.  ઉત્તર પ્રદેશમાં 43.95 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન થયું છે.. 49.2 સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર..         



આ દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે થશે ફેંસલો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને નિવેદન આપ્યું છે.. મહત્વનું છે કે અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર તેમજ રાવ ઈન્દ્રજીત સિંહના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. તે સિવાય મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે...



ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.