Loksabha election 6th Phase voting : 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલું નોંધાયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-25 16:00:17

દેશમાં લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે.. સાત ચરણોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની છે એમાંથી આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 8 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની 58 સીટો માટે મતદાન થઈ રહ્યું અને આજે 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.. બિહારની આઠ, હરિયાણાની 10, ઝારખંડની 4, દિલ્હીની તમામ બેઠકો એટલે કે 7 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. તે ઉપરાંત ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે.

ક્યાં કેટલું નોંધાયું મતદાન 3 વાગ્યા સુધી? 

3 વાગ્યા સુધીમાં બિહારમાં 45.21 ટકા મતદાન થયું છે, હરિયાણામાં 46.26 ટકા મતદાન થયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં 44.41 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં 54.34 ટકા મતદાન જ્યારે દિલ્હીમાં 44.58 ટકા મતદાન થયું છે. ઓડિશામાં 48.44 ટકા મતદાન થયું છે.  ઉત્તર પ્રદેશમાં 43.95 ટકા મતદાન થયું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન થયું છે.. 49.2 સરેરાશ મતદાન ત્રણ વાગ્યા સુધીમાં થયું છે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર..         



આ દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે થશે ફેંસલો 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને નિવેદન આપ્યું છે.. મહત્વનું છે કે અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર તેમજ રાવ ઈન્દ્રજીત સિંહના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે.. તે સિવાય મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર, નિરહુઆના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે...



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.