Loksabha Election : AAPએ Delhi લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જાણો કોને બનાવાયા ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-02-27 17:02:55

લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત સીટોની વહેંચણી કરવામાં આવી છે. ગુજરાત, હરિયાણા,ગોવા તેમજ દિલ્હી માટે સીટની વહેંચણી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની ફાળવણી થયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીની ચાર લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસ અને આપ વચ્ચે અનેક રાજ્યો માટે થયું છે ગઠબંધન! 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. સીટોને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે મીટિંગ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધનને લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી. 



દિલ્હીના ઉમેદવારોના નામની કરી આપે જાહેરાત 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને કઈ કઈ સીટો પર ઉતારશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં બે લોકસભા સીટો માટે આપ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે દિલ્હીમાં ચાર બેઠકો પર ઉમેદવારો ઉતારવાની છે. ત્યારે દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 

ગુજરાત માટે આપે આ ઉમેદવારોના નામની કરી જાહેરાત!

નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સાહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને તક આપવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં જે સીટો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તે છે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.