Loksabha Election : AAPએ Delhi લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જાણો કોને બનાવાયા ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-02-27 17:02:55

લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત સીટોની વહેંચણી કરવામાં આવી છે. ગુજરાત, હરિયાણા,ગોવા તેમજ દિલ્હી માટે સીટની વહેંચણી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની ફાળવણી થયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીની ચાર લોકસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસ અને આપ વચ્ચે અનેક રાજ્યો માટે થયું છે ગઠબંધન! 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. સીટોને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે મીટિંગ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધનને લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી. 



દિલ્હીના ઉમેદવારોના નામની કરી આપે જાહેરાત 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને કઈ કઈ સીટો પર ઉતારશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ગુજરાતમાં બે લોકસભા સીટો માટે આપ પોતાના ઉમેદવારો ઉતારવાની છે જ્યારે દિલ્હીમાં ચાર બેઠકો પર ઉમેદવારો ઉતારવાની છે. ત્યારે દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 

ગુજરાત માટે આપે આ ઉમેદવારોના નામની કરી જાહેરાત!

નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સાહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને તક આપવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં જે સીટો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તે છે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.