Loksabha Election : Sabarkantha Loksabha બેઠક પર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિપ્રદર્શન સાથે ભર્યું ફોર્મ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 18:21:32

પરષોત્તમ રુપાલાએ ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો છે. પરષોત્તમ રૂપાલાને હરાવવા માટે ક્ષક્ષિય સમાજ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે  જો રુપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિયો પણ ચૂંટણી લડશે...અનેક ક્ષત્રીય મહિલાઓએ ફોર્મ લીધા પરંતુ કોઈએ ફોર્મ ભર્યા નથી તેવી માહિતી સામે આવી છે..  આવામાં સાબરકાંઠા બેઠક જ્યાં વડોદરા પછી સૌથી વધારે ઉમેદવારનો વિરોધ થયો હતો... ભાજપે સૌથી પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને બાદમાં વિરોધ થતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી પણ હવે ભાજપ કોગ્રેસનું ગણિત બગાડવા દિગ્ગજ ક્ષત્રિય નેતાએ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે...  

શોભનાબેન બારૈયાને ટિકીટ અપાતા કાર્યકરોમાં રોષ!

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવી છે તેવી માહિતી સામે આવી છે.. અપક્ષ તરીકે ઉમેદવાર જાહેર કરાતા રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે. ભાજપે સૌપ્રથમ અરવલ્લીમાંથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની ઉમેદવારી પરત ખેચી લેવામાં આવી હતી, ત્યાર બાદ ભાજપે કોંગ્રેસના મહેન્દ્રસિંહના પત્ની શોભનાબેન બારૈયાને એટલે કે આયાતીને ટીકીટ આપી દેતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી દાવેદારી!

તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ મચી જવા પામી છે, ગ્રોમોર કેમ્પસ ખાતે મોટી જાહેર સભા યોજાઈ હતી ત્યાર બાદ હજારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે ભુપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર બહુમારી ભવન ખાતે પહોંચી પોતાની ઉમેદવારી અપક્ષ ઉમેદવાર તરીકે નોધાવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ખરાખરીનો ચૂંટણી જંગ હવે જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ હવે બી,ઝેડ ગ્રુપના સી.ઈ.ઓ  ભુપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.



મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સમર્થકો!

ભુપેન્દ્રસિંહના સમર્થનમાં આજે ગ્રોમોર કેમ્પસ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ૨૫ હજારથી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, સભાના સંબોધન બાદ રેલી સ્વરૂપે  ભુપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા નીકળ્યા હતા, ૭૦૦ કાર અને ૨૦૦ જેટલા બાઈકો સાથે રેલી સહકારી જીનથી છાપરિયા ચાર રસ્તા ખાતે પહોચી હતી, જ્યાં જે.સી.બી વડે સમર્થકોએ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પુષ્પવર્ષા કરી હતી. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોણ બાજી મારી જાય છે? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે