Loksabha Election : Sabarkantha Loksabha બેઠક પર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિપ્રદર્શન સાથે ભર્યું ફોર્મ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 18:21:32

પરષોત્તમ રુપાલાએ ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો છે. પરષોત્તમ રૂપાલાને હરાવવા માટે ક્ષક્ષિય સમાજ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે  જો રુપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિયો પણ ચૂંટણી લડશે...અનેક ક્ષત્રીય મહિલાઓએ ફોર્મ લીધા પરંતુ કોઈએ ફોર્મ ભર્યા નથી તેવી માહિતી સામે આવી છે..  આવામાં સાબરકાંઠા બેઠક જ્યાં વડોદરા પછી સૌથી વધારે ઉમેદવારનો વિરોધ થયો હતો... ભાજપે સૌથી પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને બાદમાં વિરોધ થતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી પણ હવે ભાજપ કોગ્રેસનું ગણિત બગાડવા દિગ્ગજ ક્ષત્રિય નેતાએ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે...  

શોભનાબેન બારૈયાને ટિકીટ અપાતા કાર્યકરોમાં રોષ!

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવી છે તેવી માહિતી સામે આવી છે.. અપક્ષ તરીકે ઉમેદવાર જાહેર કરાતા રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે. ભાજપે સૌપ્રથમ અરવલ્લીમાંથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની ઉમેદવારી પરત ખેચી લેવામાં આવી હતી, ત્યાર બાદ ભાજપે કોંગ્રેસના મહેન્દ્રસિંહના પત્ની શોભનાબેન બારૈયાને એટલે કે આયાતીને ટીકીટ આપી દેતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી દાવેદારી!

તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ મચી જવા પામી છે, ગ્રોમોર કેમ્પસ ખાતે મોટી જાહેર સભા યોજાઈ હતી ત્યાર બાદ હજારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે ભુપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર બહુમારી ભવન ખાતે પહોંચી પોતાની ઉમેદવારી અપક્ષ ઉમેદવાર તરીકે નોધાવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ખરાખરીનો ચૂંટણી જંગ હવે જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ હવે બી,ઝેડ ગ્રુપના સી.ઈ.ઓ  ભુપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.



મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સમર્થકો!

ભુપેન્દ્રસિંહના સમર્થનમાં આજે ગ્રોમોર કેમ્પસ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ૨૫ હજારથી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, સભાના સંબોધન બાદ રેલી સ્વરૂપે  ભુપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા નીકળ્યા હતા, ૭૦૦ કાર અને ૨૦૦ જેટલા બાઈકો સાથે રેલી સહકારી જીનથી છાપરિયા ચાર રસ્તા ખાતે પહોચી હતી, જ્યાં જે.સી.બી વડે સમર્થકોએ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પુષ્પવર્ષા કરી હતી. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોણ બાજી મારી જાય છે? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.