Loksabha Election : Sabarkantha Loksabha બેઠક પર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિપ્રદર્શન સાથે ભર્યું ફોર્મ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 18:21:32

પરષોત્તમ રુપાલાએ ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો છે. પરષોત્તમ રૂપાલાને હરાવવા માટે ક્ષક્ષિય સમાજ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે  જો રુપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિયો પણ ચૂંટણી લડશે...અનેક ક્ષત્રીય મહિલાઓએ ફોર્મ લીધા પરંતુ કોઈએ ફોર્મ ભર્યા નથી તેવી માહિતી સામે આવી છે..  આવામાં સાબરકાંઠા બેઠક જ્યાં વડોદરા પછી સૌથી વધારે ઉમેદવારનો વિરોધ થયો હતો... ભાજપે સૌથી પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને બાદમાં વિરોધ થતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી પણ હવે ભાજપ કોગ્રેસનું ગણિત બગાડવા દિગ્ગજ ક્ષત્રિય નેતાએ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે...  

શોભનાબેન બારૈયાને ટિકીટ અપાતા કાર્યકરોમાં રોષ!

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવી છે તેવી માહિતી સામે આવી છે.. અપક્ષ તરીકે ઉમેદવાર જાહેર કરાતા રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે. ભાજપે સૌપ્રથમ અરવલ્લીમાંથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની ઉમેદવારી પરત ખેચી લેવામાં આવી હતી, ત્યાર બાદ ભાજપે કોંગ્રેસના મહેન્દ્રસિંહના પત્ની શોભનાબેન બારૈયાને એટલે કે આયાતીને ટીકીટ આપી દેતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી દાવેદારી!

તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ મચી જવા પામી છે, ગ્રોમોર કેમ્પસ ખાતે મોટી જાહેર સભા યોજાઈ હતી ત્યાર બાદ હજારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે ભુપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર બહુમારી ભવન ખાતે પહોંચી પોતાની ઉમેદવારી અપક્ષ ઉમેદવાર તરીકે નોધાવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ખરાખરીનો ચૂંટણી જંગ હવે જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ હવે બી,ઝેડ ગ્રુપના સી.ઈ.ઓ  ભુપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.



મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સમર્થકો!

ભુપેન્દ્રસિંહના સમર્થનમાં આજે ગ્રોમોર કેમ્પસ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ૨૫ હજારથી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, સભાના સંબોધન બાદ રેલી સ્વરૂપે  ભુપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા નીકળ્યા હતા, ૭૦૦ કાર અને ૨૦૦ જેટલા બાઈકો સાથે રેલી સહકારી જીનથી છાપરિયા ચાર રસ્તા ખાતે પહોચી હતી, જ્યાં જે.સી.બી વડે સમર્થકોએ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પુષ્પવર્ષા કરી હતી. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોણ બાજી મારી જાય છે? 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.