Loksabha Election : Sabarkantha Loksabha બેઠક પર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિપ્રદર્શન સાથે ભર્યું ફોર્મ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 18:21:32

પરષોત્તમ રુપાલાએ ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો છે. પરષોત્તમ રૂપાલાને હરાવવા માટે ક્ષક્ષિય સમાજ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે  જો રુપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિયો પણ ચૂંટણી લડશે...અનેક ક્ષત્રીય મહિલાઓએ ફોર્મ લીધા પરંતુ કોઈએ ફોર્મ ભર્યા નથી તેવી માહિતી સામે આવી છે..  આવામાં સાબરકાંઠા બેઠક જ્યાં વડોદરા પછી સૌથી વધારે ઉમેદવારનો વિરોધ થયો હતો... ભાજપે સૌથી પહેલા અરવલ્લીના ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને બાદમાં વિરોધ થતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી પણ હવે ભાજપ કોગ્રેસનું ગણિત બગાડવા દિગ્ગજ ક્ષત્રિય નેતાએ શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે...  

શોભનાબેન બારૈયાને ટિકીટ અપાતા કાર્યકરોમાં રોષ!

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવી છે તેવી માહિતી સામે આવી છે.. અપક્ષ તરીકે ઉમેદવાર જાહેર કરાતા રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે. ભાજપે સૌપ્રથમ અરવલ્લીમાંથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની ઉમેદવારી પરત ખેચી લેવામાં આવી હતી, ત્યાર બાદ ભાજપે કોંગ્રેસના મહેન્દ્રસિંહના પત્ની શોભનાબેન બારૈયાને એટલે કે આયાતીને ટીકીટ આપી દેતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



અપક્ષ ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી દાવેદારી!

તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ મચી જવા પામી છે, ગ્રોમોર કેમ્પસ ખાતે મોટી જાહેર સભા યોજાઈ હતી ત્યાર બાદ હજારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે ભુપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગર બહુમારી ભવન ખાતે પહોંચી પોતાની ઉમેદવારી અપક્ષ ઉમેદવાર તરીકે નોધાવી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ખરાખરીનો ચૂંટણી જંગ હવે જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ હવે બી,ઝેડ ગ્રુપના સી.ઈ.ઓ  ભુપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નોધાવતા રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.



મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સમર્થકો!

ભુપેન્દ્રસિંહના સમર્થનમાં આજે ગ્રોમોર કેમ્પસ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ૨૫ હજારથી વધુની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, સભાના સંબોધન બાદ રેલી સ્વરૂપે  ભુપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા નીકળ્યા હતા, ૭૦૦ કાર અને ૨૦૦ જેટલા બાઈકો સાથે રેલી સહકારી જીનથી છાપરિયા ચાર રસ્તા ખાતે પહોચી હતી, જ્યાં જે.સી.બી વડે સમર્થકોએ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપર પુષ્પવર્ષા કરી હતી. ત્યારે જોવું રહ્યું કે સાબરકાંઠા બેઠક પર કોણ બાજી મારી જાય છે? 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.