Loksabha Election : Gujaratની તમામ 26 બેઠકો પર BJPએ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકીટ, જાહેરાત કદાચ ઉમેદવારો માટે પણ સરપ્રાઈઝ હશે..!


  • Published By :
  • Published Date : 2024-03-25 18:04:58

ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. પરંતુ 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેને કારણે 6 બેઠકો માટે ઉમેદવરોના નામની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચુંટણી નજીક છે અને ગઈ કાલે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે. બાકી બીજી બધી બેઠકો પર નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે.  

વડોદરા તેમજ સાબરકાંઠાના બદલાયા ઉમેદવાર

ગઈકાલે ભાજપે ગુજરાતની 6 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી યાદીમાં ભાજપે બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોષીને ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. આમ ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે.



શોભાબેનને બનાવ્યા ભાજપે સાબરકાંઠાના ઉમેદવાર  

સાબરકાંઠાની વાત કરીએ તો ભીખાજીએ સોશિયલ મીડિયા પર ઉમેદવારી પાછી ખેચી પછી છે. સમર્થકોએ વિરોધ પણ કર્યો અને એ બધાની વચ્ચે નવા ઉમેદવાર જાહેર પણ થઈ ગયા. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભાબેન કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. 50 વર્ષીય શોભનાબેન બારૈયા પ્રાંતિજ તાલુકાના બાલિસણા સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અને મોટી વાત એ છે કે  સતત ત્રીજી વખત પ્રાંતિજ તાલુકાને સાંસદ પદના ઉમેદવાર મળ્યા છે.


આ છે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર

સુરેન્દ્રનગરમાં ચિત્ર બદલાઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે જે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રહેવાસી છે. ચુંવાળિયા કોળી સમાજનો ચહેરો છે. સુરેન્દ્રનગર બેઠક પર ડૉ. મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે જેમના બદલે  ચંદુભાઇ શિહોરાને ટિકિટ મળી છે 


અનેક બેઠકો પર ચિત્ર થઈ ગયું સ્પષ્ટ

ગુજરાતની દરેક બેઠકો પર ચિત્ર ક્લિયર થઈ ગયા છે. બનાસકાંઠા પર બેન vs બેનની જંગ છે. બારડોલી બેઠક પર પ્રભુ વસાવા vs સિદ્ધાર્થ ચૌધરી છે. ભરૂચ પર મનસુખ vs ચૈતર વસાવા જ્યારે ભાવનગરમાં નિમુબેન vs ઉમેશ મકવાણા છે. કચ્છમાં વિનોદ ચાવડા vs નીતિશ લાલન છે જ્યારે પોરબંદરમાં જંગ જમવાની છે જેમાં મનસુખ માંડવિયા vs લલીત વસોયા. તો આ વખતે લોકસભામાં ખેલ જોરદાર થવાનો કારણ કે હજૂ પણ એવું થઈ શકે છે ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી શકે છે. જેવી ઘટના સાબરકાંઠા તેમજ વડોદરામાં જોવા મળી તેવી ઘટના કોઈ બીજી બેઠકો પર જોવા મળી શકે છે..! 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."