Loksabha Election : BJPએ વરુણ ગાંધીનું કાપ્યું પત્તુ, PILIBHIT બેઠક પર બહારથી આવેલા નેતાને બનાવ્યા ઉમેદવાર, વરૂણ ગાંધીને મળી કોંગ્રેસમાં જવાની ઓફર!


  • Published By :
  • Published Date : 2024-03-27 14:36:38

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની બેઠકો પરથી ઉમેદવાર જાહેર કરવામાં આક્રામકતા દાખવી છે , તો આ તરફ ઉત્તર પ્રદેશથી પીલીભીત લોકસભાના સિટીંગ સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. અને કોંગ્રેસના આયાતી નેતા જીતીન પ્રસાદને BJPએ ટિકિટ આપી છે. પુત્રની ટિકીટ બીજેપીએ કાપી પરંતુ વરૂણ ગાંધીની માતા એટલે મેનકા ગાંધીને બીજેપીએ ટિકીટ આપી છે. મેનકા ગાંધી  સુલતાનપુર લોકસભા પરથી 2019થી સાંસદ છે અને બીજેપીએ તેમને ટિકીટ આપી દીધી છે. હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ભાજપમાંથી વરૂણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા! 

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વરૂણ ગાંધીને ટિકીટ નથી આપી. વરૂણ ગાંધી હાલ સાંસદ છે પરંતુ તેમને રિપીટ નથી કરવામાં આવ્યા.   જો વરુણ ગાંધીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના આક્રમકઃ નેતા છે, તેઓ ગાંધી પરિવારના સદસ્ય છે. ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બે પુત્ર હતા.સંજય ગાંધી અને રાજીવ ગાંધી. સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના ઉત્તરાધિકારી પણ હતા , વડાપ્રધાન ઈન્દિરા હતા પણ શાસન તો સંજય ગાંધી જ ચલાવતા. પણ સંજય ગાંધીનું ૧૯૮૦ના પ્લેન ક્રેશમાં અવસાન થયું . આ પછી સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને વરુણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા હતા.


અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસમાં આવવા માટે આપ્યું આમંત્રણ 

હવે હાલમાં BJPએ કેમ ટિકિટ કાપી વરુણ ગાંધીની તો સામે એવા કારણો આવી રહ્યા છે કે વરુણ ગાંધી પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા હતા.અને લખીમ પૂર ખીરી વાળા કેસમાં તો તેમણે વર્તમાન કેન્દ્ર અને UPની BJPની સરકારની નિંદા કરી હતી. પાછળથી જોકે થોડાક સમય પેહલા વરુણ ગાંધીએ BJPના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો. અને PM મોદીની પ્રશંસા પણ કરી હતી . તો પણ તેમની ટિકિટ કાપવામાં આવી છે. તો આ તરફ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ ગયા બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેમને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. 


શા માટે કાપવામાં આવી ટિકીટ તે અંગે વાત કરીએ તો... 

જોકે વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને તો BJPએ સુલતાનપુર લોકસભાથી રિપીટ કર્યા છે. એટલે કે BJP હાઈકમાન્ડે ફરી વિશ્વાસ મેનકા ગાંધીમાં બતાવ્યો છે . અહીં એક માહિતીએ પણ આવી રહી છે કે , BJPએ ONE FAMILY અને ONE TICKETનો નિયમ લાગુ કર્યો છે. તેથી પણ આ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ હોઈ શકે છે. અને હવે કદાચ વરુણ ગાંધી કોંગ્રેસ પ્રવેશ કરી, અમેઠી પરથી લડી શકે છે. તો હવે જોઈએ વરુણ ગાંધીનું આગળનું કદમ શું હોય શકે પણ જે હશે અમે તમને જણાવતા રહીશું ?



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .