Loksabha Election : BJPએ વરુણ ગાંધીનું કાપ્યું પત્તુ, PILIBHIT બેઠક પર બહારથી આવેલા નેતાને બનાવ્યા ઉમેદવાર, વરૂણ ગાંધીને મળી કોંગ્રેસમાં જવાની ઓફર!


  • Published By :
  • Published Date : 2024-03-27 14:36:38

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની બેઠકો પરથી ઉમેદવાર જાહેર કરવામાં આક્રામકતા દાખવી છે , તો આ તરફ ઉત્તર પ્રદેશથી પીલીભીત લોકસભાના સિટીંગ સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી દીધી છે. અને કોંગ્રેસના આયાતી નેતા જીતીન પ્રસાદને BJPએ ટિકિટ આપી છે. પુત્રની ટિકીટ બીજેપીએ કાપી પરંતુ વરૂણ ગાંધીની માતા એટલે મેનકા ગાંધીને બીજેપીએ ટિકીટ આપી છે. મેનકા ગાંધી  સુલતાનપુર લોકસભા પરથી 2019થી સાંસદ છે અને બીજેપીએ તેમને ટિકીટ આપી દીધી છે. હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

ભાજપમાંથી વરૂણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા! 

લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે વરૂણ ગાંધીને ટિકીટ નથી આપી. વરૂણ ગાંધી હાલ સાંસદ છે પરંતુ તેમને રિપીટ નથી કરવામાં આવ્યા.   જો વરુણ ગાંધીની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના આક્રમકઃ નેતા છે, તેઓ ગાંધી પરિવારના સદસ્ય છે. ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના બે પુત્ર હતા.સંજય ગાંધી અને રાજીવ ગાંધી. સંજય ગાંધી ઈન્દિરા ગાંધીના ઉત્તરાધિકારી પણ હતા , વડાપ્રધાન ઈન્દિરા હતા પણ શાસન તો સંજય ગાંધી જ ચલાવતા. પણ સંજય ગાંધીનું ૧૯૮૦ના પ્લેન ક્રેશમાં અવસાન થયું . આ પછી સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને વરુણ ગાંધી સાઈડ લાઈન થઈ ગયા હતા.


અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસમાં આવવા માટે આપ્યું આમંત્રણ 

હવે હાલમાં BJPએ કેમ ટિકિટ કાપી વરુણ ગાંધીની તો સામે એવા કારણો આવી રહ્યા છે કે વરુણ ગાંધી પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા હતા.અને લખીમ પૂર ખીરી વાળા કેસમાં તો તેમણે વર્તમાન કેન્દ્ર અને UPની BJPની સરકારની નિંદા કરી હતી. પાછળથી જોકે થોડાક સમય પેહલા વરુણ ગાંધીએ BJPના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો. અને PM મોદીની પ્રશંસા પણ કરી હતી . તો પણ તેમની ટિકિટ કાપવામાં આવી છે. તો આ તરફ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ ગયા બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેમને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. 


શા માટે કાપવામાં આવી ટિકીટ તે અંગે વાત કરીએ તો... 

જોકે વરુણ ગાંધીના માતા મેનકા ગાંધીને તો BJPએ સુલતાનપુર લોકસભાથી રિપીટ કર્યા છે. એટલે કે BJP હાઈકમાન્ડે ફરી વિશ્વાસ મેનકા ગાંધીમાં બતાવ્યો છે . અહીં એક માહિતીએ પણ આવી રહી છે કે , BJPએ ONE FAMILY અને ONE TICKETનો નિયમ લાગુ કર્યો છે. તેથી પણ આ વરુણ ગાંધીની ટિકિટ કપાઈ હોઈ શકે છે. અને હવે કદાચ વરુણ ગાંધી કોંગ્રેસ પ્રવેશ કરી, અમેઠી પરથી લડી શકે છે. તો હવે જોઈએ વરુણ ગાંધીનું આગળનું કદમ શું હોય શકે પણ જે હશે અમે તમને જણાવતા રહીશું ?



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.