Loksabha Election : મેં ભી ચોકીદાર બાદ BJPનું નવું કેમ્પેઈન, આ દિગ્ગજ નેતાઓએ Social Media પર બદલ્યો બાયો લખ્યું Modi Ka Parivar


  • Published By :
  • Published Date : 2024-03-04 16:42:20

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ પણ બની રહ્યો છે. જો ભાજપ માટે આપણે કહીએ કે તે ચૂંટણીને લઈ તૈયાર જ હોય છે તો તે અતિશયોક્તિ નથી. ભાજપ દ્વારા ચૂંટણીને લઈ દર વર્ષે અલગ અલગ થીમ અપનાવવામાં આવતી હોય છે. 2019માં ભાજપે કેમ્પેઈન શરૂ કર્યું હતું મેં ભી ચોકીદાર તો આ વખતની ચૂંટણીમાં ભાજપે શરૂ કર્યું છે મોદી પરિવાર કેમ્પેઈન. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે મોદી કા પરિવાર.  મોદી કા પરિવાર લખી ભાજપના નેતાઓએ X પર પોતાનો બાયો બદલ્યો છે. દિગ્ગજ નેતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ મોદી કા પરિવાર લખી દીધું છે.

फाइल फोटो

કયા કયા કેમ્પેઈનની થઈ હતી શરૂઆત?

ઈતિહાસ એ લોકોને જ યાદ રાખે છે કે જે લડ્યા છે. જેણે સંઘર્ષ કર્યો છે , ત્યારબાદ જીત હાંસલ કરી છે . તે યુદ્ધ લોકતંત્રનું યુદ્ધ કેમ ના હોય?  આપને જણાવી દઈએ આ લોકતંત્રનું યુદ્ધ જીતવા પણ જનમાનસનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતવું પડે છે . રાજનીતિક વિજ્ઞાન આને ઈંગ્લિશ ભાષામાં કહે છે   Perception Battle.જો તમને યાદ હોય તો ૧૯૭૧ લોકસભાનું સૂત્ર " ગરીબી હટાવો " , ૨૦૦૭ ગુજરાત વિધાનસભા જીતાઈ " મૌત કે સૌદાગર " ની ટેગ લાઈનો આવી હતી. ૨૦૧૪ લોકસભા જીતાઈ " અચ્છે દિન આને વાલે હૈ " ૨૦૧૯ લોકસભા " મેં ભી ચોકીદાર હું " Vs "ચોકીદાર ચોર હે" જેવા કેમ્પેઈન આપણે જોયા ત્યારે હવે ફરી એક કેમ્પેઈન શરૂ થઈ ગયું છે. 




फाइल फोटो

फाइल फोटो

फाइल फोटो

ભાજપના દિગ્ગજ નેતાઓ બદલી રહ્યા છે સોશિયલ મીડિયા પર બાયો!

લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને લઈ ટિપ્પણી કરી હતી. પીએમ મોદીના પરિવારને લઈ લાલુ પ્રસાદે કહ્યું હતું કે મોદીની પાસે તો પરિવાર જ નથી. આ નિવેદનને લઈ હવે રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદીએ તો પોતાના અંદાજમાં આને લઈ જવાબ આપ્યો પરંતુ લાલુ પ્રસાદના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભાજપના દિગ્ગજ નેતાઓ બાયો બદલ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ બાયોમાં "મોદી કા પરિવાર" લખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાયો બદલ્યો છે. પોતાના નામની સાથે લખ્યું છે "મોદી કા પરિવાર".. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.