Loksabha Election : મેં ભી ચોકીદાર બાદ BJPનું નવું કેમ્પેઈન, આ દિગ્ગજ નેતાઓએ Social Media પર બદલ્યો બાયો લખ્યું Modi Ka Parivar


  • Published By :
  • Published Date : 2024-03-04 16:42:20

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ પણ બની રહ્યો છે. જો ભાજપ માટે આપણે કહીએ કે તે ચૂંટણીને લઈ તૈયાર જ હોય છે તો તે અતિશયોક્તિ નથી. ભાજપ દ્વારા ચૂંટણીને લઈ દર વર્ષે અલગ અલગ થીમ અપનાવવામાં આવતી હોય છે. 2019માં ભાજપે કેમ્પેઈન શરૂ કર્યું હતું મેં ભી ચોકીદાર તો આ વખતની ચૂંટણીમાં ભાજપે શરૂ કર્યું છે મોદી પરિવાર કેમ્પેઈન. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે મોદી કા પરિવાર.  મોદી કા પરિવાર લખી ભાજપના નેતાઓએ X પર પોતાનો બાયો બદલ્યો છે. દિગ્ગજ નેતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ મોદી કા પરિવાર લખી દીધું છે.

फाइल फोटो

કયા કયા કેમ્પેઈનની થઈ હતી શરૂઆત?

ઈતિહાસ એ લોકોને જ યાદ રાખે છે કે જે લડ્યા છે. જેણે સંઘર્ષ કર્યો છે , ત્યારબાદ જીત હાંસલ કરી છે . તે યુદ્ધ લોકતંત્રનું યુદ્ધ કેમ ના હોય?  આપને જણાવી દઈએ આ લોકતંત્રનું યુદ્ધ જીતવા પણ જનમાનસનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતવું પડે છે . રાજનીતિક વિજ્ઞાન આને ઈંગ્લિશ ભાષામાં કહે છે   Perception Battle.જો તમને યાદ હોય તો ૧૯૭૧ લોકસભાનું સૂત્ર " ગરીબી હટાવો " , ૨૦૦૭ ગુજરાત વિધાનસભા જીતાઈ " મૌત કે સૌદાગર " ની ટેગ લાઈનો આવી હતી. ૨૦૧૪ લોકસભા જીતાઈ " અચ્છે દિન આને વાલે હૈ " ૨૦૧૯ લોકસભા " મેં ભી ચોકીદાર હું " Vs "ચોકીદાર ચોર હે" જેવા કેમ્પેઈન આપણે જોયા ત્યારે હવે ફરી એક કેમ્પેઈન શરૂ થઈ ગયું છે. 




फाइल फोटो

फाइल फोटो

फाइल फोटो

ભાજપના દિગ્ગજ નેતાઓ બદલી રહ્યા છે સોશિયલ મીડિયા પર બાયો!

લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને લઈ ટિપ્પણી કરી હતી. પીએમ મોદીના પરિવારને લઈ લાલુ પ્રસાદે કહ્યું હતું કે મોદીની પાસે તો પરિવાર જ નથી. આ નિવેદનને લઈ હવે રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદીએ તો પોતાના અંદાજમાં આને લઈ જવાબ આપ્યો પરંતુ લાલુ પ્રસાદના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભાજપના દિગ્ગજ નેતાઓ બાયો બદલ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ બાયોમાં "મોદી કા પરિવાર" લખી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાયો બદલ્યો છે. પોતાના નામની સાથે લખ્યું છે "મોદી કા પરિવાર".. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .