Loksabha Election Breaking News : ગમે ત્યારે BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી કરી શકે છે જાહેર! જાણો Gujarat માટે કોના નામની થઈ શકે છે જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-29 17:29:55

લોકસભા ચૂંટણીમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ઉમેદવારોને સિલેક્ટ કરવામાં ભાજપ અનેક વખત સરપ્રાઈઝ આપતી હોય છે. આ બાબતમાં સરપ્રાઈઝ આપવા માટે ભાજપ પહેલેથી જ જાણીતી છે. ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર કોને બનાવા તે માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. ગમે ત્યારે ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


100 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત

ગુજરાતમાં થોડા દિવસો પહેલા ઉમેદવારો માટે સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમને લાગતું હતું કે તે ઉમેદવાર બની શકે છે તેમણે પોતાના નામ નિરીક્ષક કમીટી સમક્ષ મૂક્યા. આ બધા બાદ રાજ્ય સ્તરે પાર્લામેન્ટરી બેઠકનું આયોજન થયું અને એમાં જે ઉમેદવારોના નામ ફાઈનલ થયા તેમના નામ અંગેની ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં કરવામાં આવી. ગમે ત્યારે આજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ પ્રથમ યાદીમાં અંદાજીત 100 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. 


એક લોકસભા સીટના ઉમેદવાર ફાઈનલ! 

ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર બેઠક માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તે ફાઈનલ જ છે...! માત્ર ઔપચારિક રીતે જાહેરાત કરવાની બાકી છે. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે રાજ્યસભાના સાંસદોને આ વખતે રિપીટ નથી કરવામાં આવ્યા. એક છે મનસુખ માંડવિયા અને બીજા છે પરષોત્તમ રૂપાલા.. તેમને રિપીર્ટ કરવામાં ન આવ્યા ત્યારથી લાગતું હતું કે તેમને લોકસભા ઉમેદવાર તરીકે ઘોષિત કરાઈ શકે છે. 


આ બેઠક પરથી મનસુખ માંડવિયા નોંધાવી શકે છે દાવેદારી 

જો શક્યતાઓની વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયાને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે તો રાજકોટ સીટ પરથી પરષોત્તમ રૂપાલાને ચાન્સ આપવામાં આવી શકે છે. અનેક એવા સાંસદો છે જેમના પત્તા કપાઈ શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે. નવા ચહેરાને ભાજપ તક આપી શકે છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી કે જે લોકો ધારાસભ્યો છે તેમને ઉમેદવાર તરીકે નહીં જાહેર કરવામાં આવે. જો ભાવનગરમાં માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર નથી કરવામાં આવતા તો એક શક્યતા એવી પણ છે કે તેમને અમરેલી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. 



નીતિન પટેલ આ બેઠક પરથી લજી શકે છે ઉમેદવારી! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવા મજબૂત દાવેદાર છે. તો મહેસાણા બેઠક માટે નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચા થઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે. જો ભરતસિંહને ટિકીટ નથી આપવામાં આવતી તો નટુજી ઠાકોર પણ એક મજબૂત વિકલ્પ છે, દાવેદાર છે. રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર છે. નવસારીથી સી.આર.પાટીલ જ દાવેદારી નોંધાવી શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. 


ઉમેદવારોને લઈ ભાજપ સરપ્રાઈઝ આપતી હોય છે!

હમણાં ભલે ગમે તેના નામની ચર્ચાઓ થતી હોય. એવું લાગતું હોય કે આ સીટ પરથી તો આ જ નામની જાહેરાત થશે તેવું લાગતું પરંતુ છેલ્લે તો એ ભાજપ છે. છેલ્લા સમયે ભાજપ દ્વારા એવા નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે જેમના નામની કદાચ કલ્પના પણ ના કરી હોય... ત્યારે જોવું રહ્યું ભાજપના પીટારામાંથી કોનું નામ નીકળે છે?     




There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.