Loksabha Election Breaking News : ગમે ત્યારે BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી કરી શકે છે જાહેર! જાણો Gujarat માટે કોના નામની થઈ શકે છે જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-29 17:29:55

લોકસભા ચૂંટણીમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ઉમેદવારોને સિલેક્ટ કરવામાં ભાજપ અનેક વખત સરપ્રાઈઝ આપતી હોય છે. આ બાબતમાં સરપ્રાઈઝ આપવા માટે ભાજપ પહેલેથી જ જાણીતી છે. ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર કોને બનાવા તે માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. ગમે ત્યારે ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


100 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત

ગુજરાતમાં થોડા દિવસો પહેલા ઉમેદવારો માટે સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમને લાગતું હતું કે તે ઉમેદવાર બની શકે છે તેમણે પોતાના નામ નિરીક્ષક કમીટી સમક્ષ મૂક્યા. આ બધા બાદ રાજ્ય સ્તરે પાર્લામેન્ટરી બેઠકનું આયોજન થયું અને એમાં જે ઉમેદવારોના નામ ફાઈનલ થયા તેમના નામ અંગેની ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં કરવામાં આવી. ગમે ત્યારે આજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ પ્રથમ યાદીમાં અંદાજીત 100 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. 


એક લોકસભા સીટના ઉમેદવાર ફાઈનલ! 

ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર બેઠક માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તે ફાઈનલ જ છે...! માત્ર ઔપચારિક રીતે જાહેરાત કરવાની બાકી છે. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે રાજ્યસભાના સાંસદોને આ વખતે રિપીટ નથી કરવામાં આવ્યા. એક છે મનસુખ માંડવિયા અને બીજા છે પરષોત્તમ રૂપાલા.. તેમને રિપીર્ટ કરવામાં ન આવ્યા ત્યારથી લાગતું હતું કે તેમને લોકસભા ઉમેદવાર તરીકે ઘોષિત કરાઈ શકે છે. 


આ બેઠક પરથી મનસુખ માંડવિયા નોંધાવી શકે છે દાવેદારી 

જો શક્યતાઓની વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયાને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે તો રાજકોટ સીટ પરથી પરષોત્તમ રૂપાલાને ચાન્સ આપવામાં આવી શકે છે. અનેક એવા સાંસદો છે જેમના પત્તા કપાઈ શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે. નવા ચહેરાને ભાજપ તક આપી શકે છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી કે જે લોકો ધારાસભ્યો છે તેમને ઉમેદવાર તરીકે નહીં જાહેર કરવામાં આવે. જો ભાવનગરમાં માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર નથી કરવામાં આવતા તો એક શક્યતા એવી પણ છે કે તેમને અમરેલી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. 



નીતિન પટેલ આ બેઠક પરથી લજી શકે છે ઉમેદવારી! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવા મજબૂત દાવેદાર છે. તો મહેસાણા બેઠક માટે નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચા થઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે. જો ભરતસિંહને ટિકીટ નથી આપવામાં આવતી તો નટુજી ઠાકોર પણ એક મજબૂત વિકલ્પ છે, દાવેદાર છે. રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર છે. નવસારીથી સી.આર.પાટીલ જ દાવેદારી નોંધાવી શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. 


ઉમેદવારોને લઈ ભાજપ સરપ્રાઈઝ આપતી હોય છે!

હમણાં ભલે ગમે તેના નામની ચર્ચાઓ થતી હોય. એવું લાગતું હોય કે આ સીટ પરથી તો આ જ નામની જાહેરાત થશે તેવું લાગતું પરંતુ છેલ્લે તો એ ભાજપ છે. છેલ્લા સમયે ભાજપ દ્વારા એવા નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે જેમના નામની કદાચ કલ્પના પણ ના કરી હોય... ત્યારે જોવું રહ્યું ભાજપના પીટારામાંથી કોનું નામ નીકળે છે?     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.