Loksabha Election Breaking News : ગમે ત્યારે BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી કરી શકે છે જાહેર! જાણો Gujarat માટે કોના નામની થઈ શકે છે જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-29 17:29:55

લોકસભા ચૂંટણીમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ઉમેદવારોને સિલેક્ટ કરવામાં ભાજપ અનેક વખત સરપ્રાઈઝ આપતી હોય છે. આ બાબતમાં સરપ્રાઈઝ આપવા માટે ભાજપ પહેલેથી જ જાણીતી છે. ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર કોને બનાવા તે માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. ગમે ત્યારે ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


100 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત

ગુજરાતમાં થોડા દિવસો પહેલા ઉમેદવારો માટે સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમને લાગતું હતું કે તે ઉમેદવાર બની શકે છે તેમણે પોતાના નામ નિરીક્ષક કમીટી સમક્ષ મૂક્યા. આ બધા બાદ રાજ્ય સ્તરે પાર્લામેન્ટરી બેઠકનું આયોજન થયું અને એમાં જે ઉમેદવારોના નામ ફાઈનલ થયા તેમના નામ અંગેની ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં કરવામાં આવી. ગમે ત્યારે આજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ પ્રથમ યાદીમાં અંદાજીત 100 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. 


એક લોકસભા સીટના ઉમેદવાર ફાઈનલ! 

ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર બેઠક માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તે ફાઈનલ જ છે...! માત્ર ઔપચારિક રીતે જાહેરાત કરવાની બાકી છે. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે રાજ્યસભાના સાંસદોને આ વખતે રિપીટ નથી કરવામાં આવ્યા. એક છે મનસુખ માંડવિયા અને બીજા છે પરષોત્તમ રૂપાલા.. તેમને રિપીર્ટ કરવામાં ન આવ્યા ત્યારથી લાગતું હતું કે તેમને લોકસભા ઉમેદવાર તરીકે ઘોષિત કરાઈ શકે છે. 


આ બેઠક પરથી મનસુખ માંડવિયા નોંધાવી શકે છે દાવેદારી 

જો શક્યતાઓની વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયાને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે તો રાજકોટ સીટ પરથી પરષોત્તમ રૂપાલાને ચાન્સ આપવામાં આવી શકે છે. અનેક એવા સાંસદો છે જેમના પત્તા કપાઈ શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે. નવા ચહેરાને ભાજપ તક આપી શકે છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી કે જે લોકો ધારાસભ્યો છે તેમને ઉમેદવાર તરીકે નહીં જાહેર કરવામાં આવે. જો ભાવનગરમાં માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર નથી કરવામાં આવતા તો એક શક્યતા એવી પણ છે કે તેમને અમરેલી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. 



નીતિન પટેલ આ બેઠક પરથી લજી શકે છે ઉમેદવારી! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવા મજબૂત દાવેદાર છે. તો મહેસાણા બેઠક માટે નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચા થઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે. જો ભરતસિંહને ટિકીટ નથી આપવામાં આવતી તો નટુજી ઠાકોર પણ એક મજબૂત વિકલ્પ છે, દાવેદાર છે. રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર છે. નવસારીથી સી.આર.પાટીલ જ દાવેદારી નોંધાવી શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. 


ઉમેદવારોને લઈ ભાજપ સરપ્રાઈઝ આપતી હોય છે!

હમણાં ભલે ગમે તેના નામની ચર્ચાઓ થતી હોય. એવું લાગતું હોય કે આ સીટ પરથી તો આ જ નામની જાહેરાત થશે તેવું લાગતું પરંતુ છેલ્લે તો એ ભાજપ છે. છેલ્લા સમયે ભાજપ દ્વારા એવા નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે જેમના નામની કદાચ કલ્પના પણ ના કરી હોય... ત્યારે જોવું રહ્યું ભાજપના પીટારામાંથી કોનું નામ નીકળે છે?     




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .