Loksabha Election Breaking News : ગમે ત્યારે BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી કરી શકે છે જાહેર! જાણો Gujarat માટે કોના નામની થઈ શકે છે જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-29 17:29:55

લોકસભા ચૂંટણીમાં ભાજપ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ઉમેદવારોને સિલેક્ટ કરવામાં ભાજપ અનેક વખત સરપ્રાઈઝ આપતી હોય છે. આ બાબતમાં સરપ્રાઈઝ આપવા માટે ભાજપ પહેલેથી જ જાણીતી છે. ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર કોને બનાવા તે માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. ગમે ત્યારે ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.


100 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત

ગુજરાતમાં થોડા દિવસો પહેલા ઉમેદવારો માટે સેન્સપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમને લાગતું હતું કે તે ઉમેદવાર બની શકે છે તેમણે પોતાના નામ નિરીક્ષક કમીટી સમક્ષ મૂક્યા. આ બધા બાદ રાજ્ય સ્તરે પાર્લામેન્ટરી બેઠકનું આયોજન થયું અને એમાં જે ઉમેદવારોના નામ ફાઈનલ થયા તેમના નામ અંગેની ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં કરવામાં આવી. ગમે ત્યારે આજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ પ્રથમ યાદીમાં અંદાજીત 100 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. 


એક લોકસભા સીટના ઉમેદવાર ફાઈનલ! 

ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર બેઠક માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તે ફાઈનલ જ છે...! માત્ર ઔપચારિક રીતે જાહેરાત કરવાની બાકી છે. બાકીની તમામ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે રાજ્યસભાના સાંસદોને આ વખતે રિપીટ નથી કરવામાં આવ્યા. એક છે મનસુખ માંડવિયા અને બીજા છે પરષોત્તમ રૂપાલા.. તેમને રિપીર્ટ કરવામાં ન આવ્યા ત્યારથી લાગતું હતું કે તેમને લોકસભા ઉમેદવાર તરીકે ઘોષિત કરાઈ શકે છે. 


આ બેઠક પરથી મનસુખ માંડવિયા નોંધાવી શકે છે દાવેદારી 

જો શક્યતાઓની વાત કરીએ તો ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયાને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે તો રાજકોટ સીટ પરથી પરષોત્તમ રૂપાલાને ચાન્સ આપવામાં આવી શકે છે. અનેક એવા સાંસદો છે જેમના પત્તા કપાઈ શકે છે તેવી પ્રબળ સંભાવનાઓ છે. નવા ચહેરાને ભાજપ તક આપી શકે છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી હતી કે જે લોકો ધારાસભ્યો છે તેમને ઉમેદવાર તરીકે નહીં જાહેર કરવામાં આવે. જો ભાવનગરમાં માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર નથી કરવામાં આવતા તો એક શક્યતા એવી પણ છે કે તેમને અમરેલી બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. 



નીતિન પટેલ આ બેઠક પરથી લજી શકે છે ઉમેદવારી! 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ લોકસભા બેઠક પરથી મનસુખ વસાવા મજબૂત દાવેદાર છે. તો મહેસાણા બેઠક માટે નીતિન પટેલ તેમજ રજની પટેલના નામની ચર્ચા થઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે. જો ભરતસિંહને ટિકીટ નથી આપવામાં આવતી તો નટુજી ઠાકોર પણ એક મજબૂત વિકલ્પ છે, દાવેદાર છે. રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર છે. નવસારીથી સી.આર.પાટીલ જ દાવેદારી નોંધાવી શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. 


ઉમેદવારોને લઈ ભાજપ સરપ્રાઈઝ આપતી હોય છે!

હમણાં ભલે ગમે તેના નામની ચર્ચાઓ થતી હોય. એવું લાગતું હોય કે આ સીટ પરથી તો આ જ નામની જાહેરાત થશે તેવું લાગતું પરંતુ છેલ્લે તો એ ભાજપ છે. છેલ્લા સમયે ભાજપ દ્વારા એવા નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે જેમના નામની કદાચ કલ્પના પણ ના કરી હોય... ત્યારે જોવું રહ્યું ભાજપના પીટારામાંથી કોનું નામ નીકળે છે?     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.