Loksabha Election Breaking News - ભાજપનું લિસ્ટ જાહેર થાય એ પહેલા જાણી લો ઉમેદવારોની યાદી


  • Published By :
  • Published Date : 2024-03-01 12:21:05

ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈ પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવી. એક તરફ લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તો બીજી તરફ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી રહી છે. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે તેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. આજ બપોર સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે તેવું અનુમાન છે. ગુજરાતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા.

 


આ દિગ્ગજ નેતાઓ આ બેઠક માટે નોંધાવી શકે છે દાવેદારી! 

મળતી માહિતી અનુસાર સર્વાનંદ સોનાવાલ - ડિબ્રુગઢ, લખનૌથી રાજનાથ સિંહ ઉમેદવારી નોંધાવી શકે છે. તિરુવનંતપુરમ ગ્રામ્ય - મુરલીધરન, સુબ્રત પાઠક કન્નૌજથી ઉમેદવારી નોંધાવી શકે છે. મનોજ તિવારી - ઉત્તર-પૂર્વ દિલ્હી જ્યારે ગુના શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દાવેદારી નોંધાવી શકે છે. વારાણસીથી નરેન્દ્ર મોદી, ગાંધીનગરથી અમિત શાહ દાવેદારી નોંધાવી શકે છે. નવસારીથી સી.આર.પાટીલ દાવેદારી નોંધાવી શકે છે. 

BJP अध्यक्ष जेपी नड्डा ने BJP मुख्यालय में PM मोदी का शॉल उढ़ाकर स्वागत किया।

પીએમ મોદી આ બેઠક પરથી નોંધાવી શકે છે દાવેદારી!

ભારતીય જનતા પાર્ટીના ખાસીયતની વાત કરીએ તો એ છે કે એવા નામોની જાહેરાત ઉમેદવાર તરીકે કરે છે જેની કલ્પના પણ કોઈએ ના કરી હોય. અનેક વખત આવા ઉદાહરણો આપણી સામે છે જેમાં ભાજપ સરપ્રાઈઝ આપે છે. ગુજરાતની લોકસભા બેઠકો અંગેની વાત કરીએ તો 25 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી. ગાંધીનગરથી ઉમેદવાર ફાઈનલ છે અને તે છે અમિત શાહ. બાકીની બેઠકો પર નવા ચહેરા ભાજપ ડિક્લેર કરી શકે છે તેવું અનુમાન છે. ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવા માટે ગઈકાલે દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે 10 વાગે બેઠક શરૂ થઈ હતી અને અનેક કલાકો સુધી ચાલી હતી.પીએમ મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડી શકે છે. 


ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારના નામની થઈ શકે છે જાહેરાત 

ઉમેદવારોના નામની પ્રથમ યાદી આજે જાહેર થઈ શકે છે તેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થઈ શકે છે. પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, ઓડિશા, મણિપુર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને અંદમાનની બેઠકો અંગે ચર્ચા કરી હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .