Loksabha Election : BJPમાં ભડકો, આંતરિક ડખો જોઈ કોંગ્રેસ આનંદમાં આવ્યું. જુઓ કોણે શું કર્યા પ્રહાર?


  • Published By :
  • Published Date : 2024-03-27 18:12:49

આજકાલ ગુજરાતમાં ટનાટન સરકારની ચર્ચા થઈ રહી છે.. આ શબ્દ પહેલા પણ ગુજરાતના રાજકારણમાં વાપરવામાં આવતો હતો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 'બાપુ' હતા. એ વખતે ગુજરાતની જનતા તેમની સરકારને ટનાટન સરકાર તરીકે બોલાવતી હતી. આજે ટનાટન સરકારની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ગુજરાતમાં ટનાટન રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 

ભાજપમાં ચાલતા આંતરિક ડખા પર કોંગ્રેસનો કટાક્ષ!

ગુજરાત લોકસભા ચૂંટણીના રંગમાં ખરેખર રંગાઈ ગયું હોય તેવું લાગે છે. ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે. જાહેર મંચ પરથી તો નેતાઓ એક બીજા પર કટાક્ષ કરતા હોય છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ આ વોર જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ મૂકવામાં આવી રહી છે.  કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી છે... . ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર આપ્યો. 

ટનાટન સરકારને લઈ શરૂ થઈ રાજનીતિ!

કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "કમલમ" માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004નુ પુનરાવર્તન પાક્કુ.! ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ધાનાણીની પોસ્ટનો જવાબ આપતા કહ્યું, કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે. ટનાટન સરકારનો ખેલ અહીંયા પૂરો નથી થતો.. આ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ કટાક્ષ કર્યો છે અને કવિતા લખી છે. 


ઓનલાઈન વોર શરૂ થયું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે!

એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભારે કકળાટ છે.. ડેમેજ કંટ્રોલ કરવામાં નેતાઓ લાગ્યા છે... એવામાં હવે સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને પણ ભાજપ કોગ્રેસ વચ્ચે યુદ્ધ શરુ થઈ ચુક્યું છે. આ ચૂંટણીમાં આગળ જતા કયા ખેલ જોવા મળે છે તે જોવું રહ્યું... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે