Loksabha Election : BJPમાં ભડકો, આંતરિક ડખો જોઈ કોંગ્રેસ આનંદમાં આવ્યું. જુઓ કોણે શું કર્યા પ્રહાર?


  • Published By :
  • Published Date : 2024-03-27 18:12:49

આજકાલ ગુજરાતમાં ટનાટન સરકારની ચર્ચા થઈ રહી છે.. આ શબ્દ પહેલા પણ ગુજરાતના રાજકારણમાં વાપરવામાં આવતો હતો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા 'બાપુ' હતા. એ વખતે ગુજરાતની જનતા તેમની સરકારને ટનાટન સરકાર તરીકે બોલાવતી હતી. આજે ટનાટન સરકારની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે ગુજરાતમાં ટનાટન રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 

ભાજપમાં ચાલતા આંતરિક ડખા પર કોંગ્રેસનો કટાક્ષ!

ગુજરાત લોકસભા ચૂંટણીના રંગમાં ખરેખર રંગાઈ ગયું હોય તેવું લાગે છે. ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવ્યો છે. જાહેર મંચ પરથી તો નેતાઓ એક બીજા પર કટાક્ષ કરતા હોય છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ આ વોર જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ મૂકવામાં આવી રહી છે.  કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી છે... . ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર આપ્યો. 

ટનાટન સરકારને લઈ શરૂ થઈ રાજનીતિ!

કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં કકળાટ અને કોંગ્રેસ ટનાટન છે. ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "કમલમ" માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004નુ પુનરાવર્તન પાક્કુ.! ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ધાનાણીની પોસ્ટનો જવાબ આપતા કહ્યું, કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન. સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે. ટનાટન સરકારનો ખેલ અહીંયા પૂરો નથી થતો.. આ મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ કટાક્ષ કર્યો છે અને કવિતા લખી છે. 


ઓનલાઈન વોર શરૂ થયું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે!

એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભારે કકળાટ છે.. ડેમેજ કંટ્રોલ કરવામાં નેતાઓ લાગ્યા છે... એવામાં હવે સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને પણ ભાજપ કોગ્રેસ વચ્ચે યુદ્ધ શરુ થઈ ચુક્યું છે. આ ચૂંટણીમાં આગળ જતા કયા ખેલ જોવા મળે છે તે જોવું રહ્યું... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.