Loksabha Election : પહેલા JamnagarAAPમાં ભંગાણ, શહેર પ્રમુખે આપ્યું રાજીનામું, રાજીનામાનું કારણ આપતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-03 12:26:14

ચૂંટણી નજીક આવે છે ત્યારે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ પોતાના પક્ષને છોડી રહ્યા છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે. કારણ જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલ વચનો પૂર્ણ ન થયા. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે... 

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે આપ્યું રાજીનામું   

જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું હોવાની માહિતી સામે આવી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલા વચનો પૂર્ણ નથી થયા. જેને કારણે તેઓ પક્ષને છોડી રહ્યા છે. કરશન કરમુરે જામનગર વિધાનસભા પર ચૂંટણી લડી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે કરશન કરમુર ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે તેઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હશે અને જો હવે તે ભાજપમાં જોડાશે તો તે ઘરવાપસી કરશે.. 



પેટા ચૂંટણી માટે ભાજપે કરી ઉમેદવારોના નામની જાહેરાત 

કરશન કરમુરે અનેક હોદ્દાઓને સંભાળ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે બાદ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યોના રાજીનામાને કારણે 6 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી થઈ. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બહારથી આવેલા નેતાઓને ઉમેદવાર ઘોષિત કર્યા છે... ત્યારે  જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે