Loksabha Election : પહેલા JamnagarAAPમાં ભંગાણ, શહેર પ્રમુખે આપ્યું રાજીનામું, રાજીનામાનું કારણ આપતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-03 12:26:14

ચૂંટણી નજીક આવે છે ત્યારે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ પોતાના પક્ષને છોડી રહ્યા છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે. કારણ જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલ વચનો પૂર્ણ ન થયા. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે... 

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે આપ્યું રાજીનામું   

જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું હોવાની માહિતી સામે આવી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલા વચનો પૂર્ણ નથી થયા. જેને કારણે તેઓ પક્ષને છોડી રહ્યા છે. કરશન કરમુરે જામનગર વિધાનસભા પર ચૂંટણી લડી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે કરશન કરમુર ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે તેઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હશે અને જો હવે તે ભાજપમાં જોડાશે તો તે ઘરવાપસી કરશે.. 



પેટા ચૂંટણી માટે ભાજપે કરી ઉમેદવારોના નામની જાહેરાત 

કરશન કરમુરે અનેક હોદ્દાઓને સંભાળ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે બાદ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યોના રાજીનામાને કારણે 6 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી થઈ. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બહારથી આવેલા નેતાઓને ઉમેદવાર ઘોષિત કર્યા છે... ત્યારે  જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.