Loksabha Election : પહેલા JamnagarAAPમાં ભંગાણ, શહેર પ્રમુખે આપ્યું રાજીનામું, રાજીનામાનું કારણ આપતા શું કહ્યું? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 12:26:14

ચૂંટણી નજીક આવે છે ત્યારે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ પોતાના પક્ષને છોડી રહ્યા છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે. કારણ જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલ વચનો પૂર્ણ ન થયા. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે... 

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે આપ્યું રાજીનામું   

જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું હોવાની માહિતી સામે આવી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલા વચનો પૂર્ણ નથી થયા. જેને કારણે તેઓ પક્ષને છોડી રહ્યા છે. કરશન કરમુરે જામનગર વિધાનસભા પર ચૂંટણી લડી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે કરશન કરમુર ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે તેઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હશે અને જો હવે તે ભાજપમાં જોડાશે તો તે ઘરવાપસી કરશે.. 



પેટા ચૂંટણી માટે ભાજપે કરી ઉમેદવારોના નામની જાહેરાત 

કરશન કરમુરે અનેક હોદ્દાઓને સંભાળ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે બાદ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યોના રાજીનામાને કારણે 6 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી થઈ. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બહારથી આવેલા નેતાઓને ઉમેદવાર ઘોષિત કર્યા છે... ત્યારે  જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.