Loksabha Election : પહેલા JamnagarAAPમાં ભંગાણ, શહેર પ્રમુખે આપ્યું રાજીનામું, રાજીનામાનું કારણ આપતા શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-04-03 12:26:14

ચૂંટણી નજીક આવે છે ત્યારે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ પોતાના પક્ષને છોડી રહ્યા છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે. કારણ જણાવતા તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલ વચનો પૂર્ણ ન થયા. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે... 

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે આપ્યું રાજીનામું   

જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું હોવાની માહિતી સામે આવી છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કરશન કરમુર સહિત સંગઠનના 12 કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પાછળનું કારણ તેમણે જણાવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વએ આપેલા વચનો પૂર્ણ નથી થયા. જેને કારણે તેઓ પક્ષને છોડી રહ્યા છે. કરશન કરમુરે જામનગર વિધાનસભા પર ચૂંટણી લડી હતી. એવી માહિતી સામે આવી રહી છે કે કરશન કરમુર ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે તેઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હશે અને જો હવે તે ભાજપમાં જોડાશે તો તે ઘરવાપસી કરશે.. 



પેટા ચૂંટણી માટે ભાજપે કરી ઉમેદવારોના નામની જાહેરાત 

કરશન કરમુરે અનેક હોદ્દાઓને સંભાળ્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે બાદ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્યોના રાજીનામાને કારણે 6 બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. પાંચ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી થઈ. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને બહારથી આવેલા નેતાઓને ઉમેદવાર ઘોષિત કર્યા છે... ત્યારે  જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરશન કરમુરે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"