Loksabha Election : Gujaratના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupaniને હાઈકમાન્ડે સોંપી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રભારી તરીકે કરાઈ નિમણૂંક


  • Published By :
  • Published Date : 2024-01-27 16:05:27

ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે.. આવી વાતો અનેક રાજકીય નિષ્ણાતોના નિવેદનોમાં સાંભળ્યું હશે.પંચાયતની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીની પાછળ ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રાજ્યો માટે પ્રભારિયોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારી અને સહપ્રભારિયોના નામની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. 

ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની કરાઈ જાહેરાત 

કેન્દ્રમાં ફરી એક વખત ભાજપની સરકાર આવે તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા પ્લાનિંગ તેજ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ રાજ્યોના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના નેતાઓના નામનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને, પૂર્ણેશ મોદીને તેમજ દુષ્યંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

Birthday Special | Former Chief Minister Vijay Rupani took an important  decision for Navsari | જન્મદિન વિશેષ: બસ પોર્ટ અને પૂર્ણા ડેમમાં રૂપાણીનો  ફાળો મહત્વનો - Divya Bhaskar

ગુજરાતના આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી!

વિજયરૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તો પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દીવ-દમણની જવાબદારી સોંપવામાં આવી છે. સૂચી પ્રમાણે ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને, ઉત્તરાખંડની જવાબદારી દુષ્યંત કુમાર ગૌતમને, જ્યારે બિહારની જવાબદારી વિનોદ તાવડે અને દીપક પ્રકાશને સોંપવામાં આવી છે. બિપલવ કુમાર દેવ તેમજ સુરેન્દ્ર નાગરને હરિયાણાની જવાબદારી જ્યારે મંગલ પાંડે, અમિત માલવીયા અને આશા લકડાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે.           



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.