Loksabha Election : Gujaratના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupaniને હાઈકમાન્ડે સોંપી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રભારી તરીકે કરાઈ નિમણૂંક


  • Published By :
  • Published Date : 2024-01-27 16:05:27

ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે.. આવી વાતો અનેક રાજકીય નિષ્ણાતોના નિવેદનોમાં સાંભળ્યું હશે.પંચાયતની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીની પાછળ ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રાજ્યો માટે પ્રભારિયોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારી અને સહપ્રભારિયોના નામની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. 

ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની કરાઈ જાહેરાત 

કેન્દ્રમાં ફરી એક વખત ભાજપની સરકાર આવે તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા પ્લાનિંગ તેજ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ રાજ્યોના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના નેતાઓના નામનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને, પૂર્ણેશ મોદીને તેમજ દુષ્યંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

Birthday Special | Former Chief Minister Vijay Rupani took an important  decision for Navsari | જન્મદિન વિશેષ: બસ પોર્ટ અને પૂર્ણા ડેમમાં રૂપાણીનો  ફાળો મહત્વનો - Divya Bhaskar

ગુજરાતના આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી!

વિજયરૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તો પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દીવ-દમણની જવાબદારી સોંપવામાં આવી છે. સૂચી પ્રમાણે ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને, ઉત્તરાખંડની જવાબદારી દુષ્યંત કુમાર ગૌતમને, જ્યારે બિહારની જવાબદારી વિનોદ તાવડે અને દીપક પ્રકાશને સોંપવામાં આવી છે. બિપલવ કુમાર દેવ તેમજ સુરેન્દ્ર નાગરને હરિયાણાની જવાબદારી જ્યારે મંગલ પાંડે, અમિત માલવીયા અને આશા લકડાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે.           



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.