Loksabha Election : Gujaratના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupaniને હાઈકમાન્ડે સોંપી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રભારી તરીકે કરાઈ નિમણૂંક


  • Published By :
  • Published Date : 2024-01-27 16:05:27

ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે.. આવી વાતો અનેક રાજકીય નિષ્ણાતોના નિવેદનોમાં સાંભળ્યું હશે.પંચાયતની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીની પાછળ ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રાજ્યો માટે પ્રભારિયોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારી અને સહપ્રભારિયોના નામની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. 

ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની કરાઈ જાહેરાત 

કેન્દ્રમાં ફરી એક વખત ભાજપની સરકાર આવે તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા પ્લાનિંગ તેજ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ રાજ્યોના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના નેતાઓના નામનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને, પૂર્ણેશ મોદીને તેમજ દુષ્યંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

Birthday Special | Former Chief Minister Vijay Rupani took an important  decision for Navsari | જન્મદિન વિશેષ: બસ પોર્ટ અને પૂર્ણા ડેમમાં રૂપાણીનો  ફાળો મહત્વનો - Divya Bhaskar

ગુજરાતના આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી!

વિજયરૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તો પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દીવ-દમણની જવાબદારી સોંપવામાં આવી છે. સૂચી પ્રમાણે ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને, ઉત્તરાખંડની જવાબદારી દુષ્યંત કુમાર ગૌતમને, જ્યારે બિહારની જવાબદારી વિનોદ તાવડે અને દીપક પ્રકાશને સોંપવામાં આવી છે. બિપલવ કુમાર દેવ તેમજ સુરેન્દ્ર નાગરને હરિયાણાની જવાબદારી જ્યારે મંગલ પાંડે, અમિત માલવીયા અને આશા લકડાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે.           



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.