Loksabha Election : Gujaratના પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupaniને હાઈકમાન્ડે સોંપી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રભારી તરીકે કરાઈ નિમણૂંક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-27 16:05:27

ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે.. આવી વાતો અનેક રાજકીય નિષ્ણાતોના નિવેદનોમાં સાંભળ્યું હશે.પંચાયતની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય દરેક ચૂંટણીની પાછળ ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ દ્વારા રાજ્યો માટે પ્રભારિયોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારી અને સહપ્રભારિયોના નામની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ પર વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. 

ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીના નામની કરાઈ જાહેરાત 

કેન્દ્રમાં ફરી એક વખત ભાજપની સરકાર આવે તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટી દ્વારા પ્લાનિંગ તેજ કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ રાજ્યોના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી પ્રભારી અને સહ ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જે લિસ્ટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતના નેતાઓના નામનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને, પૂર્ણેશ મોદીને તેમજ દુષ્યંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

Birthday Special | Former Chief Minister Vijay Rupani took an important  decision for Navsari | જન્મદિન વિશેષ: બસ પોર્ટ અને પૂર્ણા ડેમમાં રૂપાણીનો  ફાળો મહત્વનો - Divya Bhaskar

ગુજરાતના આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી!

વિજયરૂપાણીને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તો પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દીવ-દમણની જવાબદારી સોંપવામાં આવી છે. સૂચી પ્રમાણે ઉત્તરપ્રદેશની જવાબદારી બૈજયંત પાંડાને, ઉત્તરાખંડની જવાબદારી દુષ્યંત કુમાર ગૌતમને, જ્યારે બિહારની જવાબદારી વિનોદ તાવડે અને દીપક પ્રકાશને સોંપવામાં આવી છે. બિપલવ કુમાર દેવ તેમજ સુરેન્દ્ર નાગરને હરિયાણાની જવાબદારી જ્યારે મંગલ પાંડે, અમિત માલવીયા અને આશા લકડાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે.           



થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..

આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.