Loksabha Election : શું INDI ગઠબંધનને મળી રહી છે 295 સીટો? Exit Pollને લઈ Rahul Gandhi- Arvind Kejriwalએ આપી આ પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-03 11:30:27

ચોથી જૂને લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. પરંતુ શનિવારે સામે આવેલા એક્ઝિટ પોલ પર સૌ કોઈની નજર રહેલી હતી.. અનેક એક્ઝિટ પોલે એનડીએને 360-400 વચ્ચેની સીટ આપી છે.. એક્ઝિટ પોલને લઈ સામાન્ય માણસો શું વિચારે છે તે આપણે જાણીએ છીએ. પંતુ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ શું વિચારે છે તે તમે જાણો..લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે પણ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ એક્સિટપોલના આંકડાઓ માનવાનો ઇનકાર કરે છે. બધા નેતાઓ પ્રતિક્રિયા આપે છે પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ જે પ્રતિક્રિયા આપી એ ઇન્ટરેસ્ટિંગ છે...

રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને લઈ કહ્યું કે... 

આ વખતનું પરિણામ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ INDIA છે. એક્ઝિટ પોલ એનડીએની તરફેણમાં આવ્યા છે જેને કારણે એનડીએના નેતા ખુશ છે જ્યારે આ એક્ઝિટ પોલથી ઈન્ડિ ગઠબંધનના નેતાઓ ના ખુશ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એક્ઝિટ પોલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મોદી પોલ છે એક્ઝિટ પોલ નથી મોદી મીડિયા પોલ છે. અને સાથે જ રાહુલ ગાંધીએ એક ગીતનો ઉલ્લેખ કર્યો. જ્યારે રાહુલ ગાંધીને ઇન્ડી ગઠબંધન બેઠકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,"શું તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત 295? 295 સાંભળ્યું છે. 

ચોથી જૂને ખબર પડશે કોની બનશે સરકાર.. 

એટલે કે રાહુલ ગાંધી ઇન્ડી ગઠબંધન 295 સીટો પર જીતનો દાવો કરી રહ્યા છે. આ પહેલા 1 જૂનના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂરી થયા બાદ ‘ઈન્ડિયા ’ ગઠબંધનના નેતાઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખડગેએ ઈન્ડિયા એલાયન્સની 295+ સીટો પર જીતનો દાવો કર્યો હતો. તે સિવાય અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલને લઈ દાવો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સને 295થી વધુ સીટો મળી રહી છે. ભાજપને 220થી ઓછી બેઠકો મળશે. કોને કેટલી સીટો મળશે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.