Loksabha Election : શું INDI ગઠબંધનને મળી રહી છે 295 સીટો? Exit Pollને લઈ Rahul Gandhi- Arvind Kejriwalએ આપી આ પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-03 11:30:27

ચોથી જૂને લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. પરંતુ શનિવારે સામે આવેલા એક્ઝિટ પોલ પર સૌ કોઈની નજર રહેલી હતી.. અનેક એક્ઝિટ પોલે એનડીએને 360-400 વચ્ચેની સીટ આપી છે.. એક્ઝિટ પોલને લઈ સામાન્ય માણસો શું વિચારે છે તે આપણે જાણીએ છીએ. પંતુ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ શું વિચારે છે તે તમે જાણો..લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે પણ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ એક્સિટપોલના આંકડાઓ માનવાનો ઇનકાર કરે છે. બધા નેતાઓ પ્રતિક્રિયા આપે છે પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ જે પ્રતિક્રિયા આપી એ ઇન્ટરેસ્ટિંગ છે...

રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને લઈ કહ્યું કે... 

આ વખતનું પરિણામ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ INDIA છે. એક્ઝિટ પોલ એનડીએની તરફેણમાં આવ્યા છે જેને કારણે એનડીએના નેતા ખુશ છે જ્યારે આ એક્ઝિટ પોલથી ઈન્ડિ ગઠબંધનના નેતાઓ ના ખુશ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એક્ઝિટ પોલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મોદી પોલ છે એક્ઝિટ પોલ નથી મોદી મીડિયા પોલ છે. અને સાથે જ રાહુલ ગાંધીએ એક ગીતનો ઉલ્લેખ કર્યો. જ્યારે રાહુલ ગાંધીને ઇન્ડી ગઠબંધન બેઠકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,"શું તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત 295? 295 સાંભળ્યું છે. 

ચોથી જૂને ખબર પડશે કોની બનશે સરકાર.. 

એટલે કે રાહુલ ગાંધી ઇન્ડી ગઠબંધન 295 સીટો પર જીતનો દાવો કરી રહ્યા છે. આ પહેલા 1 જૂનના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂરી થયા બાદ ‘ઈન્ડિયા ’ ગઠબંધનના નેતાઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખડગેએ ઈન્ડિયા એલાયન્સની 295+ સીટો પર જીતનો દાવો કર્યો હતો. તે સિવાય અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલને લઈ દાવો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સને 295થી વધુ સીટો મળી રહી છે. ભાજપને 220થી ઓછી બેઠકો મળશે. કોને કેટલી સીટો મળશે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.