Loksabha Election : શું INDI ગઠબંધનને મળી રહી છે 295 સીટો? Exit Pollને લઈ Rahul Gandhi- Arvind Kejriwalએ આપી આ પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-03 11:30:27

ચોથી જૂને લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. પરંતુ શનિવારે સામે આવેલા એક્ઝિટ પોલ પર સૌ કોઈની નજર રહેલી હતી.. અનેક એક્ઝિટ પોલે એનડીએને 360-400 વચ્ચેની સીટ આપી છે.. એક્ઝિટ પોલને લઈ સામાન્ય માણસો શું વિચારે છે તે આપણે જાણીએ છીએ. પંતુ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ શું વિચારે છે તે તમે જાણો..લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનાવતી દેખાઈ રહી છે પણ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ એક્સિટપોલના આંકડાઓ માનવાનો ઇનકાર કરે છે. બધા નેતાઓ પ્રતિક્રિયા આપે છે પણ આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ જે પ્રતિક્રિયા આપી એ ઇન્ટરેસ્ટિંગ છે...

રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને લઈ કહ્યું કે... 

આ વખતનું પરિણામ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે. એક તરફ એનડીએ છે તો બીજી તરફ INDIA છે. એક્ઝિટ પોલ એનડીએની તરફેણમાં આવ્યા છે જેને કારણે એનડીએના નેતા ખુશ છે જ્યારે આ એક્ઝિટ પોલથી ઈન્ડિ ગઠબંધનના નેતાઓ ના ખુશ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એક્ઝિટ પોલને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મોદી પોલ છે એક્ઝિટ પોલ નથી મોદી મીડિયા પોલ છે. અને સાથે જ રાહુલ ગાંધીએ એક ગીતનો ઉલ્લેખ કર્યો. જ્યારે રાહુલ ગાંધીને ઇન્ડી ગઠબંધન બેઠકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,"શું તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત 295? 295 સાંભળ્યું છે. 

ચોથી જૂને ખબર પડશે કોની બનશે સરકાર.. 

એટલે કે રાહુલ ગાંધી ઇન્ડી ગઠબંધન 295 સીટો પર જીતનો દાવો કરી રહ્યા છે. આ પહેલા 1 જૂનના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂરી થયા બાદ ‘ઈન્ડિયા ’ ગઠબંધનના નેતાઓએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખડગેએ ઈન્ડિયા એલાયન્સની 295+ સીટો પર જીતનો દાવો કર્યો હતો. તે સિવાય અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલને લઈ દાવો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સને 295થી વધુ સીટો મળી રહી છે. ભાજપને 220થી ઓછી બેઠકો મળશે. કોને કેટલી સીટો મળશે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.