Loksabha Election : પેટા ચૂંટણી વાળી લોકસભા બેઠકો પર થયું ઓછું મતદાન? જાણો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-07 17:05:19

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... લોકસભા બેઠકમાં મતદાતાઓની નિરસતા જોવા મળી રહી છે પરંતુ જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં પણ નિરસતા જોવા મળી રહી છે...  લોકસભા બેઠકની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધારે મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. 


કઈ વિધાનસભા બેઠક કયા લોકસભા ક્ષેત્રમાં આવે છે? 

પાંચ વિધાનસભા બેઠકોમાંની વાત કરીએ તો વાઘોડિયા, પોરબંદર, માણાવદર, વિજાપુર અને ખંભાતમાં મતદાન યોજાઈ રહ્યું છે.. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા લોકસભા બેઠકમાં આવે છે.. પોરદંબર વિધાનસભા બેઠક પોરબંદ લોકસભા બેઠકમાં આવે છે. માણાવદર વિધાનસભા બેઠક જૂનાગઢ લોકસભા બેઠકમાં આવે છે.. વિજાપુર વિધાનસભા બેઠક મહેસાણામાં આવે છે જ્યારે ખંભાત વિધાનસભા બેઠક આણંદમાં આવે છે...વડોદરા લોકસભા બેઠકમાં 48.48 ટકા મતદાન થયું છે, પોરબંદર લોકસભા બેઠક પર મતદાન 37.96 ટકા મતદાન થયું છે... જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન 44.47 ટકા મતદાન થયું છે.. મહેસાણા લોકસભા બેઠકમાં 48.15 ટકા મતદાન થયું છે. આણંદ લોકસભા બેઠક પર 52.49 ટકા મતદાન થયું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

મતદાન ટકાની વાત કરીએ તો વાઘાડિયામાં 52.76 ટકા મતદાન થયું છે, પોરબંદર પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન ટકાની વાત કરીએ તો 41.03 ટકા, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો 40.09 ટકા મતદાન થયું છે. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 50.53 ટકા મતદાન થયું છે જ્યારે ખંભાતમાં 49.83 ટકા  મતદાન થયું છે... મહત્વનું છે કે ઉમેદવાર પર રાખવામાં આવેલો વિશ્વાસ ત્યારે તૂટે છે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે છે..   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.