Loksabha Election : પેટા ચૂંટણી વાળી લોકસભા બેઠકો પર થયું ઓછું મતદાન? જાણો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-07 17:05:19

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... લોકસભા બેઠકમાં મતદાતાઓની નિરસતા જોવા મળી રહી છે પરંતુ જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં પણ નિરસતા જોવા મળી રહી છે...  લોકસભા બેઠકની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધારે મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. 


કઈ વિધાનસભા બેઠક કયા લોકસભા ક્ષેત્રમાં આવે છે? 

પાંચ વિધાનસભા બેઠકોમાંની વાત કરીએ તો વાઘોડિયા, પોરબંદર, માણાવદર, વિજાપુર અને ખંભાતમાં મતદાન યોજાઈ રહ્યું છે.. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા લોકસભા બેઠકમાં આવે છે.. પોરદંબર વિધાનસભા બેઠક પોરબંદ લોકસભા બેઠકમાં આવે છે. માણાવદર વિધાનસભા બેઠક જૂનાગઢ લોકસભા બેઠકમાં આવે છે.. વિજાપુર વિધાનસભા બેઠક મહેસાણામાં આવે છે જ્યારે ખંભાત વિધાનસભા બેઠક આણંદમાં આવે છે...વડોદરા લોકસભા બેઠકમાં 48.48 ટકા મતદાન થયું છે, પોરબંદર લોકસભા બેઠક પર મતદાન 37.96 ટકા મતદાન થયું છે... જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન 44.47 ટકા મતદાન થયું છે.. મહેસાણા લોકસભા બેઠકમાં 48.15 ટકા મતદાન થયું છે. આણંદ લોકસભા બેઠક પર 52.49 ટકા મતદાન થયું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

મતદાન ટકાની વાત કરીએ તો વાઘાડિયામાં 52.76 ટકા મતદાન થયું છે, પોરબંદર પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન ટકાની વાત કરીએ તો 41.03 ટકા, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો 40.09 ટકા મતદાન થયું છે. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 50.53 ટકા મતદાન થયું છે જ્યારે ખંભાતમાં 49.83 ટકા  મતદાન થયું છે... મહત્વનું છે કે ઉમેદવાર પર રાખવામાં આવેલો વિશ્વાસ ત્યારે તૂટે છે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે છે..   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.