Loksabha Election : પેટા ચૂંટણી વાળી લોકસભા બેઠકો પર થયું ઓછું મતદાન? જાણો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-05-07 17:05:19

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... લોકસભા બેઠકમાં મતદાતાઓની નિરસતા જોવા મળી રહી છે પરંતુ જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે ત્યાં પણ નિરસતા જોવા મળી રહી છે...  લોકસભા બેઠકની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધારે મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.. 


કઈ વિધાનસભા બેઠક કયા લોકસભા ક્ષેત્રમાં આવે છે? 

પાંચ વિધાનસભા બેઠકોમાંની વાત કરીએ તો વાઘોડિયા, પોરબંદર, માણાવદર, વિજાપુર અને ખંભાતમાં મતદાન યોજાઈ રહ્યું છે.. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા લોકસભા બેઠકમાં આવે છે.. પોરદંબર વિધાનસભા બેઠક પોરબંદ લોકસભા બેઠકમાં આવે છે. માણાવદર વિધાનસભા બેઠક જૂનાગઢ લોકસભા બેઠકમાં આવે છે.. વિજાપુર વિધાનસભા બેઠક મહેસાણામાં આવે છે જ્યારે ખંભાત વિધાનસભા બેઠક આણંદમાં આવે છે...વડોદરા લોકસભા બેઠકમાં 48.48 ટકા મતદાન થયું છે, પોરબંદર લોકસભા બેઠક પર મતદાન 37.96 ટકા મતદાન થયું છે... જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન 44.47 ટકા મતદાન થયું છે.. મહેસાણા લોકસભા બેઠકમાં 48.15 ટકા મતદાન થયું છે. આણંદ લોકસભા બેઠક પર 52.49 ટકા મતદાન થયું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન? 

મતદાન ટકાની વાત કરીએ તો વાઘાડિયામાં 52.76 ટકા મતદાન થયું છે, પોરબંદર પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન ટકાની વાત કરીએ તો 41.03 ટકા, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો 40.09 ટકા મતદાન થયું છે. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 50.53 ટકા મતદાન થયું છે જ્યારે ખંભાતમાં 49.83 ટકા  મતદાન થયું છે... મહત્વનું છે કે ઉમેદવાર પર રાખવામાં આવેલો વિશ્વાસ ત્યારે તૂટે છે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે છે..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.