Loksabha Election: Sabarkanthaમાં BJPના જ કાર્યક્રમમાં BJP નેતાઓ, કાર્યકરોને એન્ટ્રી નહીં! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-27 18:21:07

સાબરકાંઠામાં શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દીધી. તે બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી. હવે શોભનાબેન બારૈયાનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. અને હવે આ ભડકો જાણે ફેશન થઈ ગયો છે... રાજકોટ, અમરેલી, અને વડોદરા પછી સાબરકાંઠામાં અસંતોષની આગ હજુ ઓલવાઈ નથી. હવે તો ભાજપના કાર્યકરોએ ભાજપના જ આગેવાનોને મિટિંગમાં પ્રવેશવા ના દીધા... ચોખ્ખી ના પાડી દીધી.... 

ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાને ના મળ્યો પ્રવેશ!

ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે... આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે.. અને આ વિરોધ પણ કેવો ભાજપ હાંફી ગયો તો પણ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. સાબરકાંઠામાં લોકસભાના ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડીમાં ભાજપનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ અગ્રણી નેતાઓને જ કાર્યક્રમમાં ન જવા દેવાયા. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો વિરોધ કર્યો. અને બેઠકમાં પ્રવેશ ન મળતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો પણ મચાવ્યો.



મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી ઉચ્ચારી હતી ચિમકી!

ઉમેદવારને બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ કરાયો. ઉમેદવાર નહીં બદલવામાં આવે તો મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગઈકાલે મોડાસા અને મેઘરજમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને આજે હિંમતનગરમાં પણ વિરોધ... અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે ભીખાજી ઠાકોરે ગઈકાલે સ્પષ્ટતા પણ કરી કે વિરોધ રહેવા દો હું ભાજપના એટલે કે પાર્ટીના અને હાઈકમાન્ડના નિર્ણય સાથે સહમત છું છતાંય આ વિરોધ હજું ઠંડો પડ્યો નથી.  



કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને મળી રહી છે ટિકીટ! 

તો લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે... અને આવુ એટલા માટે છે કે કેમ કે ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ.... સાથે તેઓનું એવું પણ કહેવું છે કે 15થી20 વર્ષથી શોભનાબેનને કોઈ ઓળખતું પણ નથી... બેને જાતે કોઈ દિવસ ભાજપને મતદાન કર્યું નથી. જો મહિલા ઉમેદવારને જ ટિકિટ આપવી હોય તો કૌશલ્યા કુંવરબા છે. રેખાબા છે. અને જો મહિલાને ન આપવી હોય તો ભીખાજી શ્રેષ્ઠ છે. પણ ઉમેદવાર બદલો. નહીંતર અમારો વિરોધ યથાવત રહેશે.... 


ભાજપમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા થઈ રહ્યો છે ડેમેજ કંટ્રોલ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહી, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજકંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયું છે... એ કામ કેટલું પાર પડશે તે તો સમય જ જાણે...



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.