Loksabha Election: Sabarkanthaમાં BJPના જ કાર્યક્રમમાં BJP નેતાઓ, કાર્યકરોને એન્ટ્રી નહીં! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-27 18:21:07

સાબરકાંઠામાં શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દીધી. તે બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી. હવે શોભનાબેન બારૈયાનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. અને હવે આ ભડકો જાણે ફેશન થઈ ગયો છે... રાજકોટ, અમરેલી, અને વડોદરા પછી સાબરકાંઠામાં અસંતોષની આગ હજુ ઓલવાઈ નથી. હવે તો ભાજપના કાર્યકરોએ ભાજપના જ આગેવાનોને મિટિંગમાં પ્રવેશવા ના દીધા... ચોખ્ખી ના પાડી દીધી.... 

ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાને ના મળ્યો પ્રવેશ!

ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે... આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે.. અને આ વિરોધ પણ કેવો ભાજપ હાંફી ગયો તો પણ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. સાબરકાંઠામાં લોકસભાના ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડીમાં ભાજપનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ અગ્રણી નેતાઓને જ કાર્યક્રમમાં ન જવા દેવાયા. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો વિરોધ કર્યો. અને બેઠકમાં પ્રવેશ ન મળતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો પણ મચાવ્યો.



મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી ઉચ્ચારી હતી ચિમકી!

ઉમેદવારને બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ કરાયો. ઉમેદવાર નહીં બદલવામાં આવે તો મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગઈકાલે મોડાસા અને મેઘરજમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને આજે હિંમતનગરમાં પણ વિરોધ... અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે ભીખાજી ઠાકોરે ગઈકાલે સ્પષ્ટતા પણ કરી કે વિરોધ રહેવા દો હું ભાજપના એટલે કે પાર્ટીના અને હાઈકમાન્ડના નિર્ણય સાથે સહમત છું છતાંય આ વિરોધ હજું ઠંડો પડ્યો નથી.  



કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને મળી રહી છે ટિકીટ! 

તો લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે... અને આવુ એટલા માટે છે કે કેમ કે ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ.... સાથે તેઓનું એવું પણ કહેવું છે કે 15થી20 વર્ષથી શોભનાબેનને કોઈ ઓળખતું પણ નથી... બેને જાતે કોઈ દિવસ ભાજપને મતદાન કર્યું નથી. જો મહિલા ઉમેદવારને જ ટિકિટ આપવી હોય તો કૌશલ્યા કુંવરબા છે. રેખાબા છે. અને જો મહિલાને ન આપવી હોય તો ભીખાજી શ્રેષ્ઠ છે. પણ ઉમેદવાર બદલો. નહીંતર અમારો વિરોધ યથાવત રહેશે.... 


ભાજપમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા થઈ રહ્યો છે ડેમેજ કંટ્રોલ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહી, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજકંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયું છે... એ કામ કેટલું પાર પડશે તે તો સમય જ જાણે...



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે