Loksabha Election: Sabarkanthaમાં BJPના જ કાર્યક્રમમાં BJP નેતાઓ, કાર્યકરોને એન્ટ્રી નહીં! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-27 18:21:07

સાબરકાંઠામાં શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દીધી. તે બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી. હવે શોભનાબેન બારૈયાનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. અને હવે આ ભડકો જાણે ફેશન થઈ ગયો છે... રાજકોટ, અમરેલી, અને વડોદરા પછી સાબરકાંઠામાં અસંતોષની આગ હજુ ઓલવાઈ નથી. હવે તો ભાજપના કાર્યકરોએ ભાજપના જ આગેવાનોને મિટિંગમાં પ્રવેશવા ના દીધા... ચોખ્ખી ના પાડી દીધી.... 

ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાને ના મળ્યો પ્રવેશ!

ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે... આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે.. અને આ વિરોધ પણ કેવો ભાજપ હાંફી ગયો તો પણ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. સાબરકાંઠામાં લોકસભાના ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડીમાં ભાજપનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ અગ્રણી નેતાઓને જ કાર્યક્રમમાં ન જવા દેવાયા. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો વિરોધ કર્યો. અને બેઠકમાં પ્રવેશ ન મળતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો પણ મચાવ્યો.



મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી ઉચ્ચારી હતી ચિમકી!

ઉમેદવારને બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ કરાયો. ઉમેદવાર નહીં બદલવામાં આવે તો મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગઈકાલે મોડાસા અને મેઘરજમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને આજે હિંમતનગરમાં પણ વિરોધ... અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે ભીખાજી ઠાકોરે ગઈકાલે સ્પષ્ટતા પણ કરી કે વિરોધ રહેવા દો હું ભાજપના એટલે કે પાર્ટીના અને હાઈકમાન્ડના નિર્ણય સાથે સહમત છું છતાંય આ વિરોધ હજું ઠંડો પડ્યો નથી.  



કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને મળી રહી છે ટિકીટ! 

તો લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે... અને આવુ એટલા માટે છે કે કેમ કે ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ.... સાથે તેઓનું એવું પણ કહેવું છે કે 15થી20 વર્ષથી શોભનાબેનને કોઈ ઓળખતું પણ નથી... બેને જાતે કોઈ દિવસ ભાજપને મતદાન કર્યું નથી. જો મહિલા ઉમેદવારને જ ટિકિટ આપવી હોય તો કૌશલ્યા કુંવરબા છે. રેખાબા છે. અને જો મહિલાને ન આપવી હોય તો ભીખાજી શ્રેષ્ઠ છે. પણ ઉમેદવાર બદલો. નહીંતર અમારો વિરોધ યથાવત રહેશે.... 


ભાજપમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા થઈ રહ્યો છે ડેમેજ કંટ્રોલ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહી, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજકંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયું છે... એ કામ કેટલું પાર પડશે તે તો સમય જ જાણે...



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે