Loksabha Election: Sabarkanthaમાં BJPના જ કાર્યક્રમમાં BJP નેતાઓ, કાર્યકરોને એન્ટ્રી નહીં! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-27 18:21:07

સાબરકાંઠામાં શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી ના લડવાની જાહેરાત કરી દીધી. તે બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી. હવે શોભનાબેન બારૈયાનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. અને હવે આ ભડકો જાણે ફેશન થઈ ગયો છે... રાજકોટ, અમરેલી, અને વડોદરા પછી સાબરકાંઠામાં અસંતોષની આગ હજુ ઓલવાઈ નથી. હવે તો ભાજપના કાર્યકરોએ ભાજપના જ આગેવાનોને મિટિંગમાં પ્રવેશવા ના દીધા... ચોખ્ખી ના પાડી દીધી.... 

ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાને ના મળ્યો પ્રવેશ!

ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે... આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે.. અને આ વિરોધ પણ કેવો ભાજપ હાંફી ગયો તો પણ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. સાબરકાંઠામાં લોકસભાના ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડીમાં ભાજપનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ અગ્રણી નેતાઓને જ કાર્યક્રમમાં ન જવા દેવાયા. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો વિરોધ કર્યો. અને બેઠકમાં પ્રવેશ ન મળતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો પણ મચાવ્યો.



મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી ઉચ્ચારી હતી ચિમકી!

ઉમેદવારને બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ કરાયો. ઉમેદવાર નહીં બદલવામાં આવે તો મોટી સંખ્યામાં રાજીનામા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગઈકાલે મોડાસા અને મેઘરજમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને આજે હિંમતનગરમાં પણ વિરોધ... અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે ભીખાજી ઠાકોરે ગઈકાલે સ્પષ્ટતા પણ કરી કે વિરોધ રહેવા દો હું ભાજપના એટલે કે પાર્ટીના અને હાઈકમાન્ડના નિર્ણય સાથે સહમત છું છતાંય આ વિરોધ હજું ઠંડો પડ્યો નથી.  



કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓને મળી રહી છે ટિકીટ! 

તો લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે... અને આવુ એટલા માટે છે કે કેમ કે ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ.... સાથે તેઓનું એવું પણ કહેવું છે કે 15થી20 વર્ષથી શોભનાબેનને કોઈ ઓળખતું પણ નથી... બેને જાતે કોઈ દિવસ ભાજપને મતદાન કર્યું નથી. જો મહિલા ઉમેદવારને જ ટિકિટ આપવી હોય તો કૌશલ્યા કુંવરબા છે. રેખાબા છે. અને જો મહિલાને ન આપવી હોય તો ભીખાજી શ્રેષ્ઠ છે. પણ ઉમેદવાર બદલો. નહીંતર અમારો વિરોધ યથાવત રહેશે.... 


ભાજપમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા થઈ રહ્યો છે ડેમેજ કંટ્રોલ

ગુજરાતમાં ભાજપે ૨૬ ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે, પણ ઉમેદવારોની પસંદગીને લઈને હાઈકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહી, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ લેતો નથી. આ કારણોસર પ્રદેશ નેતાગીરી ય ચિંતામાં મૂકાઇ છે. હવે ડેમેજકંટ્રોલ કરવા દોડધામ મચી છે. કમલમમાં બેઠકનો દોર શરૂ થયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપાયું છે... એ કામ કેટલું પાર પડશે તે તો સમય જ જાણે...



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.