Loksabha Election : Gujaratમાં આ તારીખો બાદ PM Modi અને Amit Shah કરશે પ્રચાર, ગજવશે અનેક સભા કરશે અનેક રોડ શો!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:32:49

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. તમામ બેઠકો પર ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે... ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એક બેઠક જીતી લીધી છે.. સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા પીએમ મોદી ગુજરાત આવવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય તે બાદ પ્રચાર માટે ગુજરાત આવશે અને ચારેય ઝોનમાં પ્રચાર કરશે. અનેક રોડ શો કરશે અને અનેક સભાને સંબોધશે...


ગુજરાતની એક બેઠક આવી છે ભાજપના ખાતામાં 

ભારતીય જનતા પાર્ટીએ આ વખત માટે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દાવો કરે છે કે તેઓ 5લાખની લીડથી જીત હાંસલ કરશે.. પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવી ગયો છે. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. સ્થાનિક નેતાઓ તો પ્રચાર કરી રહ્યા છે પરંતુ હવે પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાત આવવાના છે... મે મહિનાની શરૂઆતમાં પીએમ મોદી પણ ગુજરાતમા અનેક સભાઓ ગજવશે.. 


સ્ટાર પ્રચારકોની યાદી કરી હતી જાહેર 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટી રાજકીય પ્રયોગશાળા માને છે... જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય તે પ્રયોગને અનેક બીજા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવે છે.. સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ. મતદાન વગર સુરતને સાંસદ મળી ગયા છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થયો હતો. કેન્દ્રીય મંત્રીઓને પણ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં  આવ્યા છે. 


ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ આવશે ગુજરાત! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.. 27 એપ્રિલથી 3 મે સુધી અમતિ શાહ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે.. પીએમ મોદી પણ મે મહિનાની શરૂઆતમાં ગુજરાત પ્રચાર માટે આવવાને છે.. મહત્વનું છે કે ચૂંટણીના થોડા દિવસ પહેલા ચૂંટણી કયા મુદ્દે લડાશે તેની ખબર ધીરે ધીરે પડવા લાગે છે..   

   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે