Loksabha Election : Gujaratમાં આ તારીખો બાદ PM Modi અને Amit Shah કરશે પ્રચાર, ગજવશે અનેક સભા કરશે અનેક રોડ શો!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:32:49

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. તમામ બેઠકો પર ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે... ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એક બેઠક જીતી લીધી છે.. સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા પીએમ મોદી ગુજરાત આવવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય તે બાદ પ્રચાર માટે ગુજરાત આવશે અને ચારેય ઝોનમાં પ્રચાર કરશે. અનેક રોડ શો કરશે અને અનેક સભાને સંબોધશે...


ગુજરાતની એક બેઠક આવી છે ભાજપના ખાતામાં 

ભારતીય જનતા પાર્ટીએ આ વખત માટે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દાવો કરે છે કે તેઓ 5લાખની લીડથી જીત હાંસલ કરશે.. પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવી ગયો છે. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. સ્થાનિક નેતાઓ તો પ્રચાર કરી રહ્યા છે પરંતુ હવે પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાત આવવાના છે... મે મહિનાની શરૂઆતમાં પીએમ મોદી પણ ગુજરાતમા અનેક સભાઓ ગજવશે.. 


સ્ટાર પ્રચારકોની યાદી કરી હતી જાહેર 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટી રાજકીય પ્રયોગશાળા માને છે... જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય તે પ્રયોગને અનેક બીજા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવે છે.. સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ. મતદાન વગર સુરતને સાંસદ મળી ગયા છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થયો હતો. કેન્દ્રીય મંત્રીઓને પણ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં  આવ્યા છે. 


ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ આવશે ગુજરાત! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.. 27 એપ્રિલથી 3 મે સુધી અમતિ શાહ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે.. પીએમ મોદી પણ મે મહિનાની શરૂઆતમાં ગુજરાત પ્રચાર માટે આવવાને છે.. મહત્વનું છે કે ચૂંટણીના થોડા દિવસ પહેલા ચૂંટણી કયા મુદ્દે લડાશે તેની ખબર ધીરે ધીરે પડવા લાગે છે..   

   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે