Loksabha Election : Gujaratમાં આ તારીખો બાદ PM Modi અને Amit Shah કરશે પ્રચાર, ગજવશે અનેક સભા કરશે અનેક રોડ શો!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:32:49

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. તમામ બેઠકો પર ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે... ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એક બેઠક જીતી લીધી છે.. સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા પીએમ મોદી ગુજરાત આવવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય તે બાદ પ્રચાર માટે ગુજરાત આવશે અને ચારેય ઝોનમાં પ્રચાર કરશે. અનેક રોડ શો કરશે અને અનેક સભાને સંબોધશે...


ગુજરાતની એક બેઠક આવી છે ભાજપના ખાતામાં 

ભારતીય જનતા પાર્ટીએ આ વખત માટે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દાવો કરે છે કે તેઓ 5લાખની લીડથી જીત હાંસલ કરશે.. પોતાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવી ગયો છે. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. સ્થાનિક નેતાઓ તો પ્રચાર કરી રહ્યા છે પરંતુ હવે પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાત આવવાના છે... મે મહિનાની શરૂઆતમાં પીએમ મોદી પણ ગુજરાતમા અનેક સભાઓ ગજવશે.. 


સ્ટાર પ્રચારકોની યાદી કરી હતી જાહેર 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટી રાજકીય પ્રયોગશાળા માને છે... જે પ્રયોગ ગુજરાતમાં સફળ થાય તે પ્રયોગને અનેક બીજા રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવે છે.. સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ. મતદાન વગર સુરતને સાંસદ મળી ગયા છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થયો હતો. કેન્દ્રીય મંત્રીઓને પણ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં  આવ્યા છે. 


ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ આવશે ગુજરાત! 

ત્યારે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.. 27 એપ્રિલથી 3 મે સુધી અમતિ શાહ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે.. પીએમ મોદી પણ મે મહિનાની શરૂઆતમાં ગુજરાત પ્રચાર માટે આવવાને છે.. મહત્વનું છે કે ચૂંટણીના થોડા દિવસ પહેલા ચૂંટણી કયા મુદ્દે લડાશે તેની ખબર ધીરે ધીરે પડવા લાગે છે..   

   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.