Loksabha Election : ગુજરાત સ્થાપના દિવસે PM Modiનો Gujaratમાં પ્રચાર, આજે Banaskantha અને Sabarkanthaમાં જનસભા સંબોધશે...


  • Published By :
  • Published Date : 2024-05-01 10:29:05

7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.. ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાને ગજવી રહ્યા છે અને ભવ્ય રોડ શો કરતા દેખાઈ રહ્યા છે... ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પ્રચાર કરતા દેખાયા છે ત્યારે પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે... બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક સભાઓ કરવાના છે. ત્યારે આજે પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભાને સંબોધવાના છે...


કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ આવ્યા છે ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. મતદાન થાય તે પહેલ તમામ રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે.. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે અનેક સભાઓ ગજવી હતી.. આપના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજથી બે દિવસના પ્રવાસ માટે પીએમ મોદી ગુજરાત આવવાના છે... 


આ છે પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. આજે તે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જનસભાને સંબોધવાના છે... આવતી કાલે પણ અનેક લોકસભા ક્ષેત્રોમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે... આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં આવતી કાલે જનસભાને સંબોધશે..  આજે ડીસા તેમજ હિંમતનગરમાં તેઓ સભાને ગજવવાના છે...


પાંચ લાખની લીડ સાથે તમામ સીટો જીતવાનો ભાજપનો લક્ષ્ય 

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાત માટે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાતની 26માંથી 26એ બેઠક ભાજપના ફાળે છે.. ત્યારે મતદાન થાય તે પહેલા જ લોકસભાની એક સીટ ભાજપના ફાળે જતી રહી છે.. વગર ચૂંટણીએ સુરતને તેના સાંસદ મળી ગયા છે.. ત્યારે ગુજરાતમાં ભાજપ પોતાનો ટાર્ગેટ મેળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું...    




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે