Loksabha Election : ગુજરાત સ્થાપના દિવસે PM Modiનો Gujaratમાં પ્રચાર, આજે Banaskantha અને Sabarkanthaમાં જનસભા સંબોધશે...


  • Published By :
  • Published Date : 2024-05-01 10:29:05

7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે.. ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાને ગજવી રહ્યા છે અને ભવ્ય રોડ શો કરતા દેખાઈ રહ્યા છે... ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પ્રચાર કરતા દેખાયા છે ત્યારે પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે... બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક સભાઓ કરવાના છે. ત્યારે આજે પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભાને સંબોધવાના છે...


કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ આવ્યા છે ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. મતદાન થાય તે પહેલ તમામ રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે.. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. તેમણે અનેક સભાઓ ગજવી હતી.. આપના સાંસદ સંજયસિંહ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજથી બે દિવસના પ્રવાસ માટે પીએમ મોદી ગુજરાત આવવાના છે... 


આ છે પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. આજે તે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં જનસભાને સંબોધવાના છે... આવતી કાલે પણ અનેક લોકસભા ક્ષેત્રોમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે... આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં આવતી કાલે જનસભાને સંબોધશે..  આજે ડીસા તેમજ હિંમતનગરમાં તેઓ સભાને ગજવવાના છે...


પાંચ લાખની લીડ સાથે તમામ સીટો જીતવાનો ભાજપનો લક્ષ્ય 

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાત માટે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો છે.. ગુજરાતની 26માંથી 26એ બેઠક ભાજપના ફાળે છે.. ત્યારે મતદાન થાય તે પહેલા જ લોકસભાની એક સીટ ભાજપના ફાળે જતી રહી છે.. વગર ચૂંટણીએ સુરતને તેના સાંસદ મળી ગયા છે.. ત્યારે ગુજરાતમાં ભાજપ પોતાનો ટાર્ગેટ મેળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું...    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.