Loksabha Election Result : ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે Jamnagarમાં PoonamBen Madamની જીત...


  • Published By :
  • Published Date : 2024-06-04 20:27:27

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું હતું.. ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી પરંતુ  ભાજપ પોતાના નિર્ણયમાં મક્કમ દેખાયો.. રાજકોટમાં ભાજપે ઉમેદવારને બદલ્યા નહીં.. ક્ષત્રિય સમાજે જેટલો વિરોધ રાજકોટમાં દર્શાવ્યો ના હતો તેટલો વિરોધ જામનગરમાં દર્શાવ્યો હતો.. 



જામનગરની લોકસભા બેઠક પર હતી સૌ કોઈની નજર

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા આખા ચૂંટણી દરમિયાન થઈ. રાજકોટ સિવાય જે બેઠકો ચર્ચામાં રહી તેમાં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ ચર્ચામાં રહ્યો. અનેક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડ્યો. અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી. જામનગરથી વિરોધના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. પૂનમબેન માડમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 



જો ભાજપ એક પણ બેઠક હારે છે તો...  

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. એક બેઠક પણ જો ભાજપ હારે છે તો તે ભાજપના દિગ્ગજ નેતાઓના શ્વાસ અધ્ધર થઈ જતા હોય છે. મનોબળ તેમનું તૂટી જાય છે તેવી વાત રાજકીય નિષ્ણાંતો માને છે. એક બેઠક ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર જીતી ગયા છે. અનેક એવી બેઠકો હતી જ્યાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવારો જીતી શકતા હતા. ભાજપનો આંતરિક ડખો એક મોટું કારણ માનવામાં આવતું હતું તેમજ ક્ષત્રિય સમાજનો વિરોધ.. એવું લાગતું હતું કે ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. 


પૂનમબેન માડમને મળી સારી લીડથી જીત 

જામનગરની બેઠક એમાંની એક હતી જ્યાં બીજેપીની જીત ટફ માનવામાં આવતી હતી.ક્ષત્રિય સમાજના લોકોએ જેટલો વિરોધ રાજકોટમાં નથી નોંધાવ્યો તેટલો વિરોધ જામનગરના બેઠક પર જોવા મળ્યો. પૂનમબેન માડમની જીત થશે કે નહીં તેની પર મોટો પ્રશ્ન હતો પરંતુ અંતે સારી લીડથી પૂનમબેન માડમની જીત થઈ છે.. પૂનમમાડમની જીત બાદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરી છે.. મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ માત્ર ગણતરીની બેઠકો જ એવી છે જ્યાં આ લીડ પાર થઈ શકી છે..   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.