Loksabha Election : ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને પાઠવી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-23 12:07:54

લોકસભાની ચૂંટણી આવે છે આવે છે.. એવી વાતો કરતા હતા ત્યારે ચૂંટણી આવી ગઈ અને પાંચ તબક્કા ચૂંટણીના પૂર્ણ પણ થઈ ગયા.. લોકસભાના જંગ માટે હવે માત્ર બે જ ચરણોનું મતદાન બાકી રહ્યું છે.  છઠ્ઠા તબક્કા માટેનું મતદાન ૨૫ મેના રોજ અને સાતમા તબક્કા માટેનું મતદાન પહેલી જૂનના રોજ થવાનું છે.. પ્રચાર દરમિયાન અનેક વખત એવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. રાજકીય આક્ષેપબાજીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે . તો આ તરફ ઇલેકશન કમિશને ખુબ કડક વલણ અપનાવ્યું છે . 

ચૂંટણી પંચે કરી રાજકીય પાર્ટીના નેતાઓને ટકોર!

પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , BJP અધ્યક્ષ જે.પી.નડ્ડાને અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઇલેકશન કમિશને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં બન્ને પાર્ટીના સ્ટાર પ્રચારકોને પણ પોતાની ભાષામાં મર્યાદા રાખવાની વાત કરી છે. ઇલેકશન કમિશને ચોખ્ખું કહી દીધું છે કે , બંને પાર્ટીના સ્ટાર પ્રચારકો અને નેતા જાહેરસભાઓમાં ધાર્મિક, સાંપ્રદાયિક મુદ્દાઓ પર દલીલો કરતા બચે. આ સાથે જ ઇલેકશન કમિશને ભાજપ અને કોંગ્રેસને જાતિ , ભાષા, ધર્મ , સેના અને બંધારણ પર ટિપ્પણી કરવા બદલ ટકોર કરી છે..  


ભાજપ અધ્યક્ષને શું આપવામાં આવી નોટિસ?  

હવે વાત કરીએ ચૂંટણી કમિશને કે જે નોટિસ ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાને ફટકારી તેમાં તેમણે લખ્યું છે કે  સ્ટાર પ્રચારક સમાજને વહેંચવા માટેની કોઈ ટિપ્પણી ના કરે , અને જો એવું થશે તો કમિશન પ્રચાર કરવા માટે પ્રતિબંધ મૂકી દેશે. આ સાથે જ સૂચિત કરવામાં આવ્યું છે કે, ધર્મથી જોડાયેલા નિવેદનો સ્ટાર પ્રચારક દ્વારા ના આપવામાં આવે.

 

ઈલેક્શન કમિશને શું કહ્યું? 

ના માત્ર ભાજપના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ કોંગ્રેસના અધ્યક્ષને પણ નોટીસ ફટકારવામાં આવી છે.. ઇલેકશન કમિશને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જે નિર્દેશ આપ્યા છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે , પાર્ટીના સ્ટાર પ્રચારકો બંધારણને લઈને ખોટા નિવેદનો આપવાથી બચે.. સ્ટાર પ્રચારકોએ એવા વાક્યો ના બોલવા જોઈએ જેનાથી ખોટી ધારણાઓ બને... આ સાથે ઇલેકશન કમિશને કોંગ્રેસને સેનાનું રાજનીતિકરણ કરવાની ના પડી દીધી , કેમ કે કોંગ્રેસ તરફથી અગ્નિવીર scheme માટે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે . 


આ ભાષને લઈ થઈ ફરિયાદ 

તમને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ  ઇલેકશન કમિશનની પોલ પેનલને સામસામે ફરિયાદો ૨૫ એપ્રિલના રોજ કરી હતી. તે કારણથી , બંને પાર્ટીના અધ્યક્ષોને નોટિસ આપવામાં આવી છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની, કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના આ ભાષણ પર ફરિયાદ કરી હતી કે જેમાં pm મોદીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર બની તો તમારી સંપત્તિ ઘુસણખોરોને વહેંચી દેવામાં આવશે. 

 

સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષોને પઠવાઈ નોટિસ! 

તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ઇલેકશન કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તે બંધારણ વિશે કહી રહ્યા હતા. મહત્વનું છે કે આવું પેહલી વાર છે કે ઇલેકશન કમિશને સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટી અધ્યક્ષોને નોટિસ પાઠવી છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.