Loksabha Election : ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને પાઠવી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-23 12:07:54

લોકસભાની ચૂંટણી આવે છે આવે છે.. એવી વાતો કરતા હતા ત્યારે ચૂંટણી આવી ગઈ અને પાંચ તબક્કા ચૂંટણીના પૂર્ણ પણ થઈ ગયા.. લોકસભાના જંગ માટે હવે માત્ર બે જ ચરણોનું મતદાન બાકી રહ્યું છે.  છઠ્ઠા તબક્કા માટેનું મતદાન ૨૫ મેના રોજ અને સાતમા તબક્કા માટેનું મતદાન પહેલી જૂનના રોજ થવાનું છે.. પ્રચાર દરમિયાન અનેક વખત એવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. રાજકીય આક્ષેપબાજીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે . તો આ તરફ ઇલેકશન કમિશને ખુબ કડક વલણ અપનાવ્યું છે . 

ચૂંટણી પંચે કરી રાજકીય પાર્ટીના નેતાઓને ટકોર!

પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , BJP અધ્યક્ષ જે.પી.નડ્ડાને અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઇલેકશન કમિશને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં બન્ને પાર્ટીના સ્ટાર પ્રચારકોને પણ પોતાની ભાષામાં મર્યાદા રાખવાની વાત કરી છે. ઇલેકશન કમિશને ચોખ્ખું કહી દીધું છે કે , બંને પાર્ટીના સ્ટાર પ્રચારકો અને નેતા જાહેરસભાઓમાં ધાર્મિક, સાંપ્રદાયિક મુદ્દાઓ પર દલીલો કરતા બચે. આ સાથે જ ઇલેકશન કમિશને ભાજપ અને કોંગ્રેસને જાતિ , ભાષા, ધર્મ , સેના અને બંધારણ પર ટિપ્પણી કરવા બદલ ટકોર કરી છે..  


ભાજપ અધ્યક્ષને શું આપવામાં આવી નોટિસ?  

હવે વાત કરીએ ચૂંટણી કમિશને કે જે નોટિસ ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાને ફટકારી તેમાં તેમણે લખ્યું છે કે  સ્ટાર પ્રચારક સમાજને વહેંચવા માટેની કોઈ ટિપ્પણી ના કરે , અને જો એવું થશે તો કમિશન પ્રચાર કરવા માટે પ્રતિબંધ મૂકી દેશે. આ સાથે જ સૂચિત કરવામાં આવ્યું છે કે, ધર્મથી જોડાયેલા નિવેદનો સ્ટાર પ્રચારક દ્વારા ના આપવામાં આવે.

 

ઈલેક્શન કમિશને શું કહ્યું? 

ના માત્ર ભાજપના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ કોંગ્રેસના અધ્યક્ષને પણ નોટીસ ફટકારવામાં આવી છે.. ઇલેકશન કમિશને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જે નિર્દેશ આપ્યા છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે , પાર્ટીના સ્ટાર પ્રચારકો બંધારણને લઈને ખોટા નિવેદનો આપવાથી બચે.. સ્ટાર પ્રચારકોએ એવા વાક્યો ના બોલવા જોઈએ જેનાથી ખોટી ધારણાઓ બને... આ સાથે ઇલેકશન કમિશને કોંગ્રેસને સેનાનું રાજનીતિકરણ કરવાની ના પડી દીધી , કેમ કે કોંગ્રેસ તરફથી અગ્નિવીર scheme માટે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે . 


આ ભાષને લઈ થઈ ફરિયાદ 

તમને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ  ઇલેકશન કમિશનની પોલ પેનલને સામસામે ફરિયાદો ૨૫ એપ્રિલના રોજ કરી હતી. તે કારણથી , બંને પાર્ટીના અધ્યક્ષોને નોટિસ આપવામાં આવી છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની, કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના આ ભાષણ પર ફરિયાદ કરી હતી કે જેમાં pm મોદીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર બની તો તમારી સંપત્તિ ઘુસણખોરોને વહેંચી દેવામાં આવશે. 

 

સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષોને પઠવાઈ નોટિસ! 

તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ઇલેકશન કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તે બંધારણ વિશે કહી રહ્યા હતા. મહત્વનું છે કે આવું પેહલી વાર છે કે ઇલેકશન કમિશને સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટી અધ્યક્ષોને નોટિસ પાઠવી છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..   



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.