Loksabha Election : ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને પાઠવી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-05-23 12:07:54

લોકસભાની ચૂંટણી આવે છે આવે છે.. એવી વાતો કરતા હતા ત્યારે ચૂંટણી આવી ગઈ અને પાંચ તબક્કા ચૂંટણીના પૂર્ણ પણ થઈ ગયા.. લોકસભાના જંગ માટે હવે માત્ર બે જ ચરણોનું મતદાન બાકી રહ્યું છે.  છઠ્ઠા તબક્કા માટેનું મતદાન ૨૫ મેના રોજ અને સાતમા તબક્કા માટેનું મતદાન પહેલી જૂનના રોજ થવાનું છે.. પ્રચાર દરમિયાન અનેક વખત એવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. રાજકીય આક્ષેપબાજીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે . તો આ તરફ ઇલેકશન કમિશને ખુબ કડક વલણ અપનાવ્યું છે . 

ચૂંટણી પંચે કરી રાજકીય પાર્ટીના નેતાઓને ટકોર!

પ્રચાર દરમિયાન અનેક વખત નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે , BJP અધ્યક્ષ જે.પી.નડ્ડાને અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઇલેકશન કમિશને નોટિસ ફટકારી છે. આટલું જ નહીં બન્ને પાર્ટીના સ્ટાર પ્રચારકોને પણ પોતાની ભાષામાં મર્યાદા રાખવાની વાત કરી છે. ઇલેકશન કમિશને ચોખ્ખું કહી દીધું છે કે , બંને પાર્ટીના સ્ટાર પ્રચારકો અને નેતા જાહેરસભાઓમાં ધાર્મિક, સાંપ્રદાયિક મુદ્દાઓ પર દલીલો કરતા બચે. આ સાથે જ ઇલેકશન કમિશને ભાજપ અને કોંગ્રેસને જાતિ , ભાષા, ધર્મ , સેના અને બંધારણ પર ટિપ્પણી કરવા બદલ ટકોર કરી છે..  


ભાજપ અધ્યક્ષને શું આપવામાં આવી નોટિસ?  

હવે વાત કરીએ ચૂંટણી કમિશને કે જે નોટિસ ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાને ફટકારી તેમાં તેમણે લખ્યું છે કે  સ્ટાર પ્રચારક સમાજને વહેંચવા માટેની કોઈ ટિપ્પણી ના કરે , અને જો એવું થશે તો કમિશન પ્રચાર કરવા માટે પ્રતિબંધ મૂકી દેશે. આ સાથે જ સૂચિત કરવામાં આવ્યું છે કે, ધર્મથી જોડાયેલા નિવેદનો સ્ટાર પ્રચારક દ્વારા ના આપવામાં આવે.

 

ઈલેક્શન કમિશને શું કહ્યું? 

ના માત્ર ભાજપના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ કોંગ્રેસના અધ્યક્ષને પણ નોટીસ ફટકારવામાં આવી છે.. ઇલેકશન કમિશને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જે નિર્દેશ આપ્યા છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે , પાર્ટીના સ્ટાર પ્રચારકો બંધારણને લઈને ખોટા નિવેદનો આપવાથી બચે.. સ્ટાર પ્રચારકોએ એવા વાક્યો ના બોલવા જોઈએ જેનાથી ખોટી ધારણાઓ બને... આ સાથે ઇલેકશન કમિશને કોંગ્રેસને સેનાનું રાજનીતિકરણ કરવાની ના પડી દીધી , કેમ કે કોંગ્રેસ તરફથી અગ્નિવીર scheme માટે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે . 


આ ભાષને લઈ થઈ ફરિયાદ 

તમને જણાવી દઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ  ઇલેકશન કમિશનની પોલ પેનલને સામસામે ફરિયાદો ૨૫ એપ્રિલના રોજ કરી હતી. તે કારણથી , બંને પાર્ટીના અધ્યક્ષોને નોટિસ આપવામાં આવી છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની, કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીના આ ભાષણ પર ફરિયાદ કરી હતી કે જેમાં pm મોદીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર બની તો તમારી સંપત્તિ ઘુસણખોરોને વહેંચી દેવામાં આવશે. 

 

સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષોને પઠવાઈ નોટિસ! 

તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ઇલેકશન કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તે બંધારણ વિશે કહી રહ્યા હતા. મહત્વનું છે કે આવું પેહલી વાર છે કે ઇલેકશન કમિશને સ્ટાર પ્રચારકોની જગ્યાએ પાર્ટી અધ્યક્ષોને નોટિસ પાઠવી છે. આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.