Loksabha Election : દેશમાં થઈ રહી છે લોકશાહીના પર્વની ઉજવણી, પ્રથમ તબક્કા અંતર્ગત આ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-20 10:01:03

દેશમાં લોકશાહીના ઉત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે..  પ્રથમ તબક્કા માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે.. આજે 102 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જે અંતર્ગત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર, અંદમાન, નિકોબાર, બિહાર, મેઘાલય, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપમાં મતદાન થવાનું છે.. તે ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, આસામ,છત્તીસગઢ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં તેમજ મહારાષ્ટમાં ચૂંટણી થવાની છે... મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક હોવાની ફરજ નિભાવી રહ્યા છે....

21 રાજ્યોમાં ચાલી રહી છે મતદાનની પ્રક્રિયા   

દર પાંચ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવે છે.. નાગરિક પાસે એ અધિકાર હોય છે જેમાં તે પોતાની સરકારને ચૂંટી શકે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી.. સામાન્ય રીતે મતદાનના દિવસે જાહેર રજા ડિક્લેર કરવામાં આવતી હોય છે.. ત્યારે આજે 102 બેઠકો માટે ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે... 21 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 9 વાગ્યા સુધીમાં અરૂણાચલ પ્રદેશમાં 6.44 ટકા જેટલું મતદાન જ્યારે સિક્કિમમાં 7.90 જેટલું મતદાન થયું છે.. 

ક્યાં કેટલું થયું મતદાન?

અંદમાન અને નિકોબારમાં 8.64 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 5.98 ટકા, આસામમાં 11.15 ટકા મતદાન, બિહારમાં 9.23 ટકા મતદાન થયું છે જ્યારે છત્તીસગઢમાં 12.02 ટકા મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં 10.43 ટકા. લક્ષદ્વીપમાં 5.59 ટકા, મધ્યપ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્રમાં 6.98 ટકા, મણિપુરમાં 10.76 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં થઈ ગયું છે... મેઘાલયમાં 13.71 મતદાન, મિઝોરમમાં 10.84, નાગાલેન્ડમાં 9.66. પુડૂચેરીમાં 8.78 જ્યારે રાજસ્થાનમાં 10.67 ટકા મતદાન થયું છે. તમિલનાડુમાં 8.21 ટકા, ત્રિપુરામાં 15.21, ઉત્તરપ્રદેશમાં 12.66 ટકા જ્યારે ઉત્તરાખંડમાં 10.54 ટકા મતદાન થયું છે તેવી માહિતી સામે આવી છે.... 


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર? 

મહત્વનું છે આજે જે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં અનેક મોટા ચહેરાઓ જેમના ભાવિ આજે નક્કી થવાના છે... મોટા ચહેરાઓની વાત કરીએ તો નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર  બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વરૂણ ગાંધીની જગ્યાએ ઉત્તર પ્રદેશના પિલીભીત બેઠક પર જીતિન પ્રસાદને ટિકીટ આપવામાં આવી. તે સિવાય તમિલનાડુની બેઠક  ચેન્નઈ સાઉથ બેઠક પર જ નજર રહેશે જ્યાં તમિલિસાંઈ સુંદરરાજન ચૂંટણી લડી રહ્યા છે. કાર્તિ ચિદમ્બરમ કૉંગ્રેસના ઉમેદવાર છે તમિલનાડુની  સિવાગંગા બેઠક પરથી...કો. અન્નામલાઈ, ભાજપ ચીફ, તમિલનાડુંની કોઈમ્બતુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નકુલ નાથ મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.