Loksabha Election : દેશમાં થઈ રહી છે લોકશાહીના પર્વની ઉજવણી, પ્રથમ તબક્કા અંતર્ગત આ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-20 10:01:03

દેશમાં લોકશાહીના ઉત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે..  પ્રથમ તબક્કા માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે.. આજે 102 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જે અંતર્ગત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર, અંદમાન, નિકોબાર, બિહાર, મેઘાલય, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપમાં મતદાન થવાનું છે.. તે ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, આસામ,છત્તીસગઢ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં તેમજ મહારાષ્ટમાં ચૂંટણી થવાની છે... મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક હોવાની ફરજ નિભાવી રહ્યા છે....

21 રાજ્યોમાં ચાલી રહી છે મતદાનની પ્રક્રિયા   

દર પાંચ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવે છે.. નાગરિક પાસે એ અધિકાર હોય છે જેમાં તે પોતાની સરકારને ચૂંટી શકે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી.. સામાન્ય રીતે મતદાનના દિવસે જાહેર રજા ડિક્લેર કરવામાં આવતી હોય છે.. ત્યારે આજે 102 બેઠકો માટે ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે... 21 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 9 વાગ્યા સુધીમાં અરૂણાચલ પ્રદેશમાં 6.44 ટકા જેટલું મતદાન જ્યારે સિક્કિમમાં 7.90 જેટલું મતદાન થયું છે.. 

ક્યાં કેટલું થયું મતદાન?

અંદમાન અને નિકોબારમાં 8.64 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 5.98 ટકા, આસામમાં 11.15 ટકા મતદાન, બિહારમાં 9.23 ટકા મતદાન થયું છે જ્યારે છત્તીસગઢમાં 12.02 ટકા મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં 10.43 ટકા. લક્ષદ્વીપમાં 5.59 ટકા, મધ્યપ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્રમાં 6.98 ટકા, મણિપુરમાં 10.76 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં થઈ ગયું છે... મેઘાલયમાં 13.71 મતદાન, મિઝોરમમાં 10.84, નાગાલેન્ડમાં 9.66. પુડૂચેરીમાં 8.78 જ્યારે રાજસ્થાનમાં 10.67 ટકા મતદાન થયું છે. તમિલનાડુમાં 8.21 ટકા, ત્રિપુરામાં 15.21, ઉત્તરપ્રદેશમાં 12.66 ટકા જ્યારે ઉત્તરાખંડમાં 10.54 ટકા મતદાન થયું છે તેવી માહિતી સામે આવી છે.... 


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર? 

મહત્વનું છે આજે જે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં અનેક મોટા ચહેરાઓ જેમના ભાવિ આજે નક્કી થવાના છે... મોટા ચહેરાઓની વાત કરીએ તો નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર  બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વરૂણ ગાંધીની જગ્યાએ ઉત્તર પ્રદેશના પિલીભીત બેઠક પર જીતિન પ્રસાદને ટિકીટ આપવામાં આવી. તે સિવાય તમિલનાડુની બેઠક  ચેન્નઈ સાઉથ બેઠક પર જ નજર રહેશે જ્યાં તમિલિસાંઈ સુંદરરાજન ચૂંટણી લડી રહ્યા છે. કાર્તિ ચિદમ્બરમ કૉંગ્રેસના ઉમેદવાર છે તમિલનાડુની  સિવાગંગા બેઠક પરથી...કો. અન્નામલાઈ, ભાજપ ચીફ, તમિલનાડુંની કોઈમ્બતુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નકુલ નાથ મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.