Loksabha Election : દેશમાં થઈ રહી છે લોકશાહીના પર્વની ઉજવણી, પ્રથમ તબક્કા અંતર્ગત આ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-20 10:01:03

દેશમાં લોકશાહીના ઉત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે..  પ્રથમ તબક્કા માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે.. આજે 102 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જે અંતર્ગત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર, અંદમાન, નિકોબાર, બિહાર, મેઘાલય, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપમાં મતદાન થવાનું છે.. તે ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, આસામ,છત્તીસગઢ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં તેમજ મહારાષ્ટમાં ચૂંટણી થવાની છે... મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક હોવાની ફરજ નિભાવી રહ્યા છે....

21 રાજ્યોમાં ચાલી રહી છે મતદાનની પ્રક્રિયા   

દર પાંચ વર્ષે લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવે છે.. નાગરિક પાસે એ અધિકાર હોય છે જેમાં તે પોતાની સરકારને ચૂંટી શકે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી.. સામાન્ય રીતે મતદાનના દિવસે જાહેર રજા ડિક્લેર કરવામાં આવતી હોય છે.. ત્યારે આજે 102 બેઠકો માટે ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે... 21 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 9 વાગ્યા સુધીમાં અરૂણાચલ પ્રદેશમાં 6.44 ટકા જેટલું મતદાન જ્યારે સિક્કિમમાં 7.90 જેટલું મતદાન થયું છે.. 

ક્યાં કેટલું થયું મતદાન?

અંદમાન અને નિકોબારમાં 8.64 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 5.98 ટકા, આસામમાં 11.15 ટકા મતદાન, બિહારમાં 9.23 ટકા મતદાન થયું છે જ્યારે છત્તીસગઢમાં 12.02 ટકા મતદાન થયું છે. જમ્મુ કાશ્મીરમાં 10.43 ટકા. લક્ષદ્વીપમાં 5.59 ટકા, મધ્યપ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્રમાં 6.98 ટકા, મણિપુરમાં 10.76 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં થઈ ગયું છે... મેઘાલયમાં 13.71 મતદાન, મિઝોરમમાં 10.84, નાગાલેન્ડમાં 9.66. પુડૂચેરીમાં 8.78 જ્યારે રાજસ્થાનમાં 10.67 ટકા મતદાન થયું છે. તમિલનાડુમાં 8.21 ટકા, ત્રિપુરામાં 15.21, ઉત્તરપ્રદેશમાં 12.66 ટકા જ્યારે ઉત્તરાખંડમાં 10.54 ટકા મતદાન થયું છે તેવી માહિતી સામે આવી છે.... 


કઈ બેઠકો પર રહેશે સૌ કોઈની નજર? 

મહત્વનું છે આજે જે બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં અનેક મોટા ચહેરાઓ જેમના ભાવિ આજે નક્કી થવાના છે... મોટા ચહેરાઓની વાત કરીએ તો નીતિન ગડકરી મહારાષ્ટ્રની નાગપુર  બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વરૂણ ગાંધીની જગ્યાએ ઉત્તર પ્રદેશના પિલીભીત બેઠક પર જીતિન પ્રસાદને ટિકીટ આપવામાં આવી. તે સિવાય તમિલનાડુની બેઠક  ચેન્નઈ સાઉથ બેઠક પર જ નજર રહેશે જ્યાં તમિલિસાંઈ સુંદરરાજન ચૂંટણી લડી રહ્યા છે. કાર્તિ ચિદમ્બરમ કૉંગ્રેસના ઉમેદવાર છે તમિલનાડુની  સિવાગંગા બેઠક પરથી...કો. અન્નામલાઈ, ભાજપ ચીફ, તમિલનાડુંની કોઈમ્બતુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નકુલ નાથ મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.