Loksabha Election : Gujaratની આટલી બેઠકો પર વર્તમાન સાંસદોને રિપીટ કરવાની સંભાવના ઓછી, No Repeat Theoryથી મતદાતા પર પડશે અસર?


  • Published By :
  • Published Date : 2024-03-02 11:44:08

એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ રાજકીય પાર્ટી ઉમેદવારોના નામોને લઈ બેઠકો કરી રહી છે. ભાજપ ગમે ત્યારે પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરી શકે છે. ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી  તે બાદ રાજ્યની પાર્લામેન્ટરી બેઠકમાં તે અંગે ચર્ચા થઈ અને તે બાદ દિલ્હી ખાતે ઉમેદવારોના નામની ચર્ચા થઈ. 


પીએમ મોદીના ચહેરાને જોઈ મતદાતાઓ કરતા હોય છે મતદાન!

ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો છે. ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાસે છે અને અનેક બેઠકો એવી છે જેના માટે ભાજપે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી. અનેક મતદાતાઓ એવા હોય છે કે ઉમેદવારને જોઈને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને વોટ આપતા હોય છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર ગમે તે કેમ ના હોય પરંતુ વોટ તો પીએમ મોદીના ચહેરા માટે મતદાતાઓ કરતા હોય છે. 


આ બે સીટ પર ઉમેદવારો ફાઈનલ જેવા!

ગુજરાતની બેઠકો માટે ચર્ચાઓ થઈ રહી છે કે મુખ્યત્વેની બેઠકો પર ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે. નવા ચહેરાને ચાન્સ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 15 બેઠકો એવી છે ગુજરાતની જ્યાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. ગુજરાતની બે ત્રણ બેઠકો એવી છે જ્યાંના ઉમેદવાર ફાઈનલ જેવા જ છે માત્ર ઘોષણા કરવાની બાકી છે સત્તાવાર રીતે. અમિત શાહ ગાંધીનગરથી, સી.આર.પાટીલ નવસારીથી જ્યારે જામનગર બેઠક પરથી પૂનમ માડમને ફરીથી રિપીટ કરાઈ શકે છે. અમિત શાહ તેમજ સી.આર.પાટીલની સીટ અંગે તો નક્કી જેવું છે પરંતુ પૂનમ માડમને લઈ ચર્ચાઓ થઈ રહી છે.



આટલા વર્તમાન સાંસદોની ભાજપ કાપી શકે છે ટિકીટ!   

 તે સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અમરેલીથી અને પરષોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમેદવારી નોંધાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ આ વખતે કોના નામની જાહેરાત કરે છે. ગુજરાતના અનેક વર્તમાન સાંસદો એવા છે જેમના નામ કપાવાની સંભાવનાઓ રહેલી છે. સાંસદોની વાત કરીએ તો દર્શના જરદોશ, પરબત પટેલ, ભરતજી ડાભી, શારદાબેન પટેલ, પરભુ વસાવા, દીપસિંહ રાઠોડ, રતનસિંહ રાઠોડ, કિરીટ સોલંકી, રંજન ભટ્ટ, રાજેશ ચૂડાસમા, કે.સી.પટેલ, હસમુખ પટેલ, ગીતાબેન રાઠવા, નારણ કાછડિયા, મનસુખ વસાવાના નામો કપાવાની સંભાવના છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.