Loksabha Election : Gujaratની આટલી બેઠકો પર વર્તમાન સાંસદોને રિપીટ કરવાની સંભાવના ઓછી, No Repeat Theoryથી મતદાતા પર પડશે અસર?


  • Published By :
  • Published Date : 2024-03-02 11:44:08

એક તરફ લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ રાજકીય પાર્ટી ઉમેદવારોના નામોને લઈ બેઠકો કરી રહી છે. ભાજપ ગમે ત્યારે પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરી શકે છે. ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી  તે બાદ રાજ્યની પાર્લામેન્ટરી બેઠકમાં તે અંગે ચર્ચા થઈ અને તે બાદ દિલ્હી ખાતે ઉમેદવારોના નામની ચર્ચા થઈ. 


પીએમ મોદીના ચહેરાને જોઈ મતદાતાઓ કરતા હોય છે મતદાન!

ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો છે. ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાસે છે અને અનેક બેઠકો એવી છે જેના માટે ભાજપે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી. અનેક મતદાતાઓ એવા હોય છે કે ઉમેદવારને જોઈને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને વોટ આપતા હોય છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર ગમે તે કેમ ના હોય પરંતુ વોટ તો પીએમ મોદીના ચહેરા માટે મતદાતાઓ કરતા હોય છે. 


આ બે સીટ પર ઉમેદવારો ફાઈનલ જેવા!

ગુજરાતની બેઠકો માટે ચર્ચાઓ થઈ રહી છે કે મુખ્યત્વેની બેઠકો પર ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે. નવા ચહેરાને ચાન્સ આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 15 બેઠકો એવી છે ગુજરાતની જ્યાં ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. ગુજરાતની બે ત્રણ બેઠકો એવી છે જ્યાંના ઉમેદવાર ફાઈનલ જેવા જ છે માત્ર ઘોષણા કરવાની બાકી છે સત્તાવાર રીતે. અમિત શાહ ગાંધીનગરથી, સી.આર.પાટીલ નવસારીથી જ્યારે જામનગર બેઠક પરથી પૂનમ માડમને ફરીથી રિપીટ કરાઈ શકે છે. અમિત શાહ તેમજ સી.આર.પાટીલની સીટ અંગે તો નક્કી જેવું છે પરંતુ પૂનમ માડમને લઈ ચર્ચાઓ થઈ રહી છે.



આટલા વર્તમાન સાંસદોની ભાજપ કાપી શકે છે ટિકીટ!   

 તે સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અમરેલીથી અને પરષોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમેદવારી નોંધાવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ આ વખતે કોના નામની જાહેરાત કરે છે. ગુજરાતના અનેક વર્તમાન સાંસદો એવા છે જેમના નામ કપાવાની સંભાવનાઓ રહેલી છે. સાંસદોની વાત કરીએ તો દર્શના જરદોશ, પરબત પટેલ, ભરતજી ડાભી, શારદાબેન પટેલ, પરભુ વસાવા, દીપસિંહ રાઠોડ, રતનસિંહ રાઠોડ, કિરીટ સોલંકી, રંજન ભટ્ટ, રાજેશ ચૂડાસમા, કે.સી.પટેલ, હસમુખ પટેલ, ગીતાબેન રાઠવા, નારણ કાછડિયા, મનસુખ વસાવાના નામો કપાવાની સંભાવના છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.