Loksabha Election : આજે સમજો વડોદરા અને સુરત લોકસભા બેઠકના સમીકરણો, આ બે બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે થશે કાંટાની ટક્કર


  • Published By :
  • Published Date : 2024-04-09 16:18:50

26 લોકસભા બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે. અનેક બેઠકો એવી છે જ્યાંની ચર્ચાઓ હમણાંથી થઈ રહી છે. જ્યારે પણ કોઈ ઉમેદવારના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે અનેક સમીકરણો, અનેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી ગઈ છે પરંતુ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે આજે બે લોકસભા બેઠકની વાત કરીએ. એક છે વડોદરા લોકસભા બેઠક અને બીજી છે સુરત લોકસભા બેઠક. 

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર 

સૌ પ્રથમ વાત કરીએ વડોદરા લોકસભા બેઠકની. એક સમયે  ગાયકવાડ પરિવારના ફતેહસિંહ ગાયકવાડ કોંગ્રેસમાંથી જીત્યા. 1991માં રામાનંદ સાગરની રામાયણ સીરીયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયા BJPમાંથી જીત્યા હતા. 1998થી BJPનો ગઢ આ બેઠકને માનવામાં આવે છે. 2014માં નરેન્દ્ર મોદી જીત્યા, બનારસ બેઠક તેમણે જાળવી રાખતા, આ પછી રંજનબેન ભટ્ટ ચૂંટાયા. પરંતુ આ 2024માં તેમનો વિરોધ થતા BJPએ હેમાંગ જોશીને ટિકિટ આપી છે. તો સામે કોંગ્રેસ પાર્ટીએ જશપાલ સિંહ પઢિયારને ટિકિટ આપી છે. આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ , સાવલી , વાઘોડિયા , વડોદરા સિટી , સયાજીગંજ , અકોટા, માંજલપુર, રાઓપુરા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વાઘોડિયા સિવાયની તમામ બેઠક જીતી લીધી. વાઘોડિયા બેઠક અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ફાળે ગઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો , આ બેઠક પર બ્રાહ્મણ , પાટીદાર , દલિત , અનુસૂચિત જનજાતિ , મુસ્લિમ મતો નિર્ણાયક છે .


સુરત લોકસભાના સમીકરણો સમજીએ તો

આગળ વાત કરીએ સુરત લોકસભા બેઠકની. એક સમયે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અહીંથી ચૂંટાયા. આ બાદ કોંગ્રેસના કદાવર નેતા કોળી સમાજના સી.ડી.પટેલ અહીંથી ચૂંટાતા. 1989થી BJPનો ગઢ છે . BJPના કદાવર નેતા કાંશીરામ રાણા પણ સુરત લોકસભા પરથી ચૂંટાતા . 2009થી દર્શનાબેન જરદોશ અહીંથી ચૂંટાતા આવ્યા છે. હવે BJPએ દર્શનાબેનની  ટિકિટ કાપી છે અને મુકેશ દલાલને ટિકિટ આપી છે.  જયારે સામે કોંગ્રેસ પાર્ટીએ નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. આ લોકસભામાં આવે છે, 7 વિધાનસભાઓ આવે છે તેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત પશ્ચિમ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ  બધી જ બેઠકો જીતી લીધી હતી.  વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર અનાવિલ બ્રાહ્મણ, પાટીદાર, પ્રજાપતિ, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે. .તો જોઈએ હવે સુરતની જનતા પોતાના ક્યા દીકરાને સંસદમાં મોકલે છે?  




In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.