Loksabha Election : પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-19 19:04:48

દેશમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું 21 રાજ્યોની 102 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ આજે કેદ થયું છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કયા રાજ્યમાં કેટલું મતદાન થયું છે તેની વિગતો સામે આવી છે.. અનેક રાજ્યો એવા હતા જ્યાં કટેલા ટકા મતદાન થાય છે તેની પર સૌ કોઈની નજર હતી... 70 ટકા મતદાનથી વધારે મતદાન માત્ર આસામમાં, પુડુચેરીમાં, ત્રિપુરામાં અને પશ્ચિમ બંગાળમાં થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન?

દર પાંચ વર્ષે દેશમાં લોકશાહીનો પર્વ ઉજવાય છે. મતાદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરકાર બનાવે છે... આજે પ્રથમ તબક્કા માટેનું મતદાન થયું હતું 102 સીટો પર અને 21 રાજ્યોમાં મતદાન યોજાયું હતું. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે નક્કી થયા છે.. ક્યાં કેટલું મતદાન થયું છે તેની માહિતી સામે  આવી છે.. રાજ્યો વાઈઝ વાત કરીએ તો અંદમાન નિકોબારની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જે માટે 56.87 ટકા મતદાન થયું છે, અરૂણાચલ પ્રદેશની બે બેઠકો માટે મતદાન હતું જ્યાં 64.07 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં પાંચ બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 70.77 ટકા મતદાન થયું છે. બિહારની ચાર બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 46.32 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત છત્તીસગઢની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 63.41 ટકા મતદાન નોંધાયું છે... 


આ રાજ્યોમાં થયું હતું મતદાન...

જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 63.41 ટકા નોંધાયું છે જ્યારે લક્ષદ્વીપની એક બેઠક માટે મતદાન થયું જ્યાં 59.02 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત મધ્યપ્રદેશની 6 બેઠકો માટે મતદાન થયું છે જ્યાં 63.25 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે 54.85 ટકા મતદાન થયું છે જ્યારે મણિપુરની બે બેઠકો માટે 68.62 ટકા મતદાન નોંધાયું છે. મેઘાલયની બે બેઠકો પર 69.91 ટકા મતદાન જ્યારે નાગાલેન્ડની એક બેઠક માટે 56.18 ટકા મતદાન થયું છે.


ઉત્તરપ્રદેશની આટલી બેઠકો પર યોજાયું મતદાન 

તે સિવાયના રાજ્યોની વાત કરીએ તો પુડુચેરીની એક બેઠક માટે 72.84 ટકા મતદાન થું છે જ્યારે રાજસ્થાનની 12 બેઠકો માટે 50.27 ટકા મતદાન થયું છે. સિક્કિમની એક બેઠક માટે 68.06 ટકા મતદાન થયું છે જ્યારે તમિલનાડુની 39 બેઠકો માચે 62.08 ટકા મતદાન થયું છે. ત્રિપુરાની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 76.10 ટકા મતદાન થયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશની 8 બેઠકો માટે મતદાન થયું હતું જે પર 57.54 ટકા મતદાન થયું છે. 



પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધારે મતદાન 

ઉત્તરાખંડની પાંચ બેઠકો પર મતદાન થયું હતું 53.56 ટકા મતદાન નોંધાયું છે. મહત્વનું છે કે સૌથી વધારે મતદાન જો રાજ્યમાં થયું હોય તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ છે... પશ્ચિમ બંગાળની ત્રણ બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 77.57 ટકા મતદાન થયું છે... મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં સારૂ મતદાન થયું છે... ત્યારે મતદાતાઓનો ઝુકાવ કોના તરફ છે તેની પર નજર રહેલી છે...     




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.