Loksabha Election : પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-19 19:04:48

દેશમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું 21 રાજ્યોની 102 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ આજે કેદ થયું છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કયા રાજ્યમાં કેટલું મતદાન થયું છે તેની વિગતો સામે આવી છે.. અનેક રાજ્યો એવા હતા જ્યાં કટેલા ટકા મતદાન થાય છે તેની પર સૌ કોઈની નજર હતી... 70 ટકા મતદાનથી વધારે મતદાન માત્ર આસામમાં, પુડુચેરીમાં, ત્રિપુરામાં અને પશ્ચિમ બંગાળમાં થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન?

દર પાંચ વર્ષે દેશમાં લોકશાહીનો પર્વ ઉજવાય છે. મતાદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરકાર બનાવે છે... આજે પ્રથમ તબક્કા માટેનું મતદાન થયું હતું 102 સીટો પર અને 21 રાજ્યોમાં મતદાન યોજાયું હતું. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે નક્કી થયા છે.. ક્યાં કેટલું મતદાન થયું છે તેની માહિતી સામે  આવી છે.. રાજ્યો વાઈઝ વાત કરીએ તો અંદમાન નિકોબારની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જે માટે 56.87 ટકા મતદાન થયું છે, અરૂણાચલ પ્રદેશની બે બેઠકો માટે મતદાન હતું જ્યાં 64.07 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં પાંચ બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 70.77 ટકા મતદાન થયું છે. બિહારની ચાર બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 46.32 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત છત્તીસગઢની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 63.41 ટકા મતદાન નોંધાયું છે... 


આ રાજ્યોમાં થયું હતું મતદાન...

જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 63.41 ટકા નોંધાયું છે જ્યારે લક્ષદ્વીપની એક બેઠક માટે મતદાન થયું જ્યાં 59.02 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત મધ્યપ્રદેશની 6 બેઠકો માટે મતદાન થયું છે જ્યાં 63.25 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે 54.85 ટકા મતદાન થયું છે જ્યારે મણિપુરની બે બેઠકો માટે 68.62 ટકા મતદાન નોંધાયું છે. મેઘાલયની બે બેઠકો પર 69.91 ટકા મતદાન જ્યારે નાગાલેન્ડની એક બેઠક માટે 56.18 ટકા મતદાન થયું છે.


ઉત્તરપ્રદેશની આટલી બેઠકો પર યોજાયું મતદાન 

તે સિવાયના રાજ્યોની વાત કરીએ તો પુડુચેરીની એક બેઠક માટે 72.84 ટકા મતદાન થું છે જ્યારે રાજસ્થાનની 12 બેઠકો માટે 50.27 ટકા મતદાન થયું છે. સિક્કિમની એક બેઠક માટે 68.06 ટકા મતદાન થયું છે જ્યારે તમિલનાડુની 39 બેઠકો માચે 62.08 ટકા મતદાન થયું છે. ત્રિપુરાની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 76.10 ટકા મતદાન થયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશની 8 બેઠકો માટે મતદાન થયું હતું જે પર 57.54 ટકા મતદાન થયું છે. 



પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધારે મતદાન 

ઉત્તરાખંડની પાંચ બેઠકો પર મતદાન થયું હતું 53.56 ટકા મતદાન નોંધાયું છે. મહત્વનું છે કે સૌથી વધારે મતદાન જો રાજ્યમાં થયું હોય તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ છે... પશ્ચિમ બંગાળની ત્રણ બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 77.57 ટકા મતદાન થયું છે... મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં સારૂ મતદાન થયું છે... ત્યારે મતદાતાઓનો ઝુકાવ કોના તરફ છે તેની પર નજર રહેલી છે...     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.