Loksabha Election : પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ, જાણો ક્યાં કેટલું થયું મતદાન?


  • Published By :
  • Published Date : 2024-04-19 19:04:48

દેશમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું 21 રાજ્યોની 102 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ આજે કેદ થયું છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કયા રાજ્યમાં કેટલું મતદાન થયું છે તેની વિગતો સામે આવી છે.. અનેક રાજ્યો એવા હતા જ્યાં કટેલા ટકા મતદાન થાય છે તેની પર સૌ કોઈની નજર હતી... 70 ટકા મતદાનથી વધારે મતદાન માત્ર આસામમાં, પુડુચેરીમાં, ત્રિપુરામાં અને પશ્ચિમ બંગાળમાં થયું છે... 

ક્યાં કેટલું નોંધાયું મતદાન?

દર પાંચ વર્ષે દેશમાં લોકશાહીનો પર્વ ઉજવાય છે. મતાદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરકાર બનાવે છે... આજે પ્રથમ તબક્કા માટેનું મતદાન થયું હતું 102 સીટો પર અને 21 રાજ્યોમાં મતદાન યોજાયું હતું. અનેક મોટા ચહેરાઓના ભાવિ આજે નક્કી થયા છે.. ક્યાં કેટલું મતદાન થયું છે તેની માહિતી સામે  આવી છે.. રાજ્યો વાઈઝ વાત કરીએ તો અંદમાન નિકોબારની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જે માટે 56.87 ટકા મતદાન થયું છે, અરૂણાચલ પ્રદેશની બે બેઠકો માટે મતદાન હતું જ્યાં 64.07 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં પાંચ બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 70.77 ટકા મતદાન થયું છે. બિહારની ચાર બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 46.32 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત છત્તીસગઢની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 63.41 ટકા મતદાન નોંધાયું છે... 


આ રાજ્યોમાં થયું હતું મતદાન...

જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 63.41 ટકા નોંધાયું છે જ્યારે લક્ષદ્વીપની એક બેઠક માટે મતદાન થયું જ્યાં 59.02 ટકા મતદાન થયું છે. તે ઉપરાંત મધ્યપ્રદેશની 6 બેઠકો માટે મતદાન થયું છે જ્યાં 63.25 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે 54.85 ટકા મતદાન થયું છે જ્યારે મણિપુરની બે બેઠકો માટે 68.62 ટકા મતદાન નોંધાયું છે. મેઘાલયની બે બેઠકો પર 69.91 ટકા મતદાન જ્યારે નાગાલેન્ડની એક બેઠક માટે 56.18 ટકા મતદાન થયું છે.


ઉત્તરપ્રદેશની આટલી બેઠકો પર યોજાયું મતદાન 

તે સિવાયના રાજ્યોની વાત કરીએ તો પુડુચેરીની એક બેઠક માટે 72.84 ટકા મતદાન થું છે જ્યારે રાજસ્થાનની 12 બેઠકો માટે 50.27 ટકા મતદાન થયું છે. સિક્કિમની એક બેઠક માટે 68.06 ટકા મતદાન થયું છે જ્યારે તમિલનાડુની 39 બેઠકો માચે 62.08 ટકા મતદાન થયું છે. ત્રિપુરાની એક બેઠક માટે મતદાન યોજાયું હતું જ્યાં 76.10 ટકા મતદાન થયું છે. તે સિવાય ઉત્તર પ્રદેશની 8 બેઠકો માટે મતદાન થયું હતું જે પર 57.54 ટકા મતદાન થયું છે. 



પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધારે મતદાન 

ઉત્તરાખંડની પાંચ બેઠકો પર મતદાન થયું હતું 53.56 ટકા મતદાન નોંધાયું છે. મહત્વનું છે કે સૌથી વધારે મતદાન જો રાજ્યમાં થયું હોય તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ છે... પશ્ચિમ બંગાળની ત્રણ બેઠક માટે મતદાન થયું હતું જ્યાં 77.57 ટકા મતદાન થયું છે... મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં સારૂ મતદાન થયું છે... ત્યારે મતદાતાઓનો ઝુકાવ કોના તરફ છે તેની પર નજર રહેલી છે...     




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.