Loksabha Election : ચોથા તબક્કા અંતર્ગત 96 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન, જાણો ક્યાં કેટલા ટકા થયું મતદાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 15:07:37

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.. આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.  બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે. સૌથી વધારે મતદાન અત્યાર સુધીનું પશ્ચિમ બંગાળમાં થયું છે.. આજે 93 બેઠકોના ઉમેદવારોનું  ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. 

ચોથા તબક્કા માટે 96 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન 

સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે.. પ્રથમ ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.. 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે જ્યારે ઉત્તર પ્રદેશની 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. એમપીની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની પાંચ, ઝારખંડ તેમજ ઓડિશાની 4-4 બેઠકો માટે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન?

બપોરના એક વાગ્યા સુધી સરેરાશ 40.32 ટકા મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું તેની વાત કરીએ તો એક વાગ્યા સુધી આંધ્ર પ્રદેશમાં 40.26 ટકા, બિહારમાં 34.44, જમ્મુ કાશ્મીરમાં 23.57 ટકા મતદાન થયું છે જ્યારે ઝારખંડમાં 43.80 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં 48.52 ટકા, મહારાષ્ટ્રમાં 30.85, ઓડિશામાં 39.30 ટકા મતદાન એક વાગ્યા સુધી થયું છે. તેલંગાણામાં 40.38 ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 39.68 ટકા મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં 51.87 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે લોકસભા ઈલેક્શનનું પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે..  




ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.