Loksabha Seat : જાણો Ahmedabad West બેઠકના સમીકરણોને, આ બેઠક પર જોવા મળશે મકવાણા Vs મકવાણાનો જંગ...


  • Published By :
  • Published Date : 2024-03-19 14:28:38

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે જ્યારે 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટિકીટ આપતા પહેલા રાજકીય પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં લેતી હોય છે. ક્યાં કોનું વર્ચસ્વ છે તે બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આજે જાણીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટના જાતીગત સમીકરણોને...

 


કોંગ્રેસે માત્ર આ બેઠક પર જીત હાંસલ કરી હતી 2022માં!

અમદાવાદ પશ્ચિમ SC અનામત લોકસભા બેઠકની કે જે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમા આવી. આ બેઠક પર ૨૦૦૯થી BJPના ડોક્ટક કિરીટ સોલંકી સાંસદ છે. 2024 માટે આ જંગમાં BJPએ દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે. આ લોકસભામાં વિધાનસભાની 7 સીટો આવે છે અને તે છે એલિસબ્રિજ , અમરાઈવાડી ,દરિયાપુર, જમાલપૂર-ખાડિયા,મણિનગર, દાણીલીંબડા, અસારવા. 2022માં કોંગ્રેસ માત્ર દાણીલીમડા અને જમાલપૂર - ખાડિયા બેઠકજ જીતી શકી હતી , બાકીની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી. 


કયા સમાજનું છે આ બેઠક પર પ્રભુત્વ? 

જો જાતિગત સમીકરણોની વાત કરીએ તો દલિત સમાજના ૧૨ ટકા અને મુસ્લિમ સમાજના ૧૨ ટકા વોટર્સ છે. બીજા સમાજો પણ જોવા મળે છે જેમ કે પટ્ટણી સમાજ, ઠાકોર સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ . હવે જોઈએ અમદાવાદ પશ્ચિમની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.