Loksabha Seat : જાણો Ahmedabad West બેઠકના સમીકરણોને, આ બેઠક પર જોવા મળશે મકવાણા Vs મકવાણાનો જંગ...


  • Published By :
  • Published Date : 2024-03-19 14:28:38

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે જ્યારે 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટિકીટ આપતા પહેલા રાજકીય પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં લેતી હોય છે. ક્યાં કોનું વર્ચસ્વ છે તે બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આજે જાણીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટના જાતીગત સમીકરણોને...

 


કોંગ્રેસે માત્ર આ બેઠક પર જીત હાંસલ કરી હતી 2022માં!

અમદાવાદ પશ્ચિમ SC અનામત લોકસભા બેઠકની કે જે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમા આવી. આ બેઠક પર ૨૦૦૯થી BJPના ડોક્ટક કિરીટ સોલંકી સાંસદ છે. 2024 માટે આ જંગમાં BJPએ દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે. આ લોકસભામાં વિધાનસભાની 7 સીટો આવે છે અને તે છે એલિસબ્રિજ , અમરાઈવાડી ,દરિયાપુર, જમાલપૂર-ખાડિયા,મણિનગર, દાણીલીંબડા, અસારવા. 2022માં કોંગ્રેસ માત્ર દાણીલીમડા અને જમાલપૂર - ખાડિયા બેઠકજ જીતી શકી હતી , બાકીની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી. 


કયા સમાજનું છે આ બેઠક પર પ્રભુત્વ? 

જો જાતિગત સમીકરણોની વાત કરીએ તો દલિત સમાજના ૧૨ ટકા અને મુસ્લિમ સમાજના ૧૨ ટકા વોટર્સ છે. બીજા સમાજો પણ જોવા મળે છે જેમ કે પટ્ટણી સમાજ, ઠાકોર સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ . હવે જોઈએ અમદાવાદ પશ્ચિમની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.