Loksabha Seat : જાણો Ahmedabad West બેઠકના સમીકરણોને, આ બેઠક પર જોવા મળશે મકવાણા Vs મકવાણાનો જંગ...


  • Published By :
  • Published Date : 2024-03-19 14:28:38

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે જ્યારે 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટિકીટ આપતા પહેલા રાજકીય પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં લેતી હોય છે. ક્યાં કોનું વર્ચસ્વ છે તે બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આજે જાણીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટના જાતીગત સમીકરણોને...

 


કોંગ્રેસે માત્ર આ બેઠક પર જીત હાંસલ કરી હતી 2022માં!

અમદાવાદ પશ્ચિમ SC અનામત લોકસભા બેઠકની કે જે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમા આવી. આ બેઠક પર ૨૦૦૯થી BJPના ડોક્ટક કિરીટ સોલંકી સાંસદ છે. 2024 માટે આ જંગમાં BJPએ દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે. આ લોકસભામાં વિધાનસભાની 7 સીટો આવે છે અને તે છે એલિસબ્રિજ , અમરાઈવાડી ,દરિયાપુર, જમાલપૂર-ખાડિયા,મણિનગર, દાણીલીંબડા, અસારવા. 2022માં કોંગ્રેસ માત્ર દાણીલીમડા અને જમાલપૂર - ખાડિયા બેઠકજ જીતી શકી હતી , બાકીની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી. 


કયા સમાજનું છે આ બેઠક પર પ્રભુત્વ? 

જો જાતિગત સમીકરણોની વાત કરીએ તો દલિત સમાજના ૧૨ ટકા અને મુસ્લિમ સમાજના ૧૨ ટકા વોટર્સ છે. બીજા સમાજો પણ જોવા મળે છે જેમ કે પટ્ટણી સમાજ, ઠાકોર સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ . હવે જોઈએ અમદાવાદ પશ્ચિમની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.