Loksabha Seat : જાણો Ahmedabad West બેઠકના સમીકરણોને, આ બેઠક પર જોવા મળશે મકવાણા Vs મકવાણાનો જંગ...


  • Published By :
  • Published Date : 2024-03-19 14:28:38

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે જ્યારે 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ટિકીટ આપતા પહેલા રાજકીય પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં લેતી હોય છે. ક્યાં કોનું વર્ચસ્વ છે તે બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આજે જાણીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટના જાતીગત સમીકરણોને...

 


કોંગ્રેસે માત્ર આ બેઠક પર જીત હાંસલ કરી હતી 2022માં!

અમદાવાદ પશ્ચિમ SC અનામત લોકસભા બેઠકની કે જે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમા આવી. આ બેઠક પર ૨૦૦૯થી BJPના ડોક્ટક કિરીટ સોલંકી સાંસદ છે. 2024 માટે આ જંગમાં BJPએ દિનેશ મકવાણા અને કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે. આ લોકસભામાં વિધાનસભાની 7 સીટો આવે છે અને તે છે એલિસબ્રિજ , અમરાઈવાડી ,દરિયાપુર, જમાલપૂર-ખાડિયા,મણિનગર, દાણીલીંબડા, અસારવા. 2022માં કોંગ્રેસ માત્ર દાણીલીમડા અને જમાલપૂર - ખાડિયા બેઠકજ જીતી શકી હતી , બાકીની બધી બેઠકો BJPએ જીતી લીધી હતી. 


કયા સમાજનું છે આ બેઠક પર પ્રભુત્વ? 

જો જાતિગત સમીકરણોની વાત કરીએ તો દલિત સમાજના ૧૨ ટકા અને મુસ્લિમ સમાજના ૧૨ ટકા વોટર્સ છે. બીજા સમાજો પણ જોવા મળે છે જેમ કે પટ્ટણી સમાજ, ઠાકોર સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ . હવે જોઈએ અમદાવાદ પશ્ચિમની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.