Loksabha : BJPએ વલસાડ બેઠક પરથી કેમ Dhaval Patelને ટિકીટ આપી? જાણો શા માટે Anant Patel સામે કરવામાં આવી ધવલ પટેલની પસંદગી?


  • Published By :
  • Published Date : 2024-03-14 13:41:38

ગઈકાલે ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે  બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે. અનેક સાંસદોના પત્તા પાર્ટીએ કાપ્યા છે. વડોદરાથી, રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે પરંતુ બાકીની 5 બેઠકો પર ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ રહેવાની છે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલના નામની જાહેરાત કરી છે તો ભાજપે પણ ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિશે.. 


કોણ છે ધવલ પટેલ જેમને વલસાડથી બીજેપીએ બનાવ્યા છે ઉમેદવાર? 

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક લોકોના પત્તા કપાયા છે. સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. આ લોકસભા ચુંટણીમાં અમુક બેઠકો એવી છે જ્યાં જંગ રસપ્રદ રહવાની છે અને એમાં થી એક બેઠક છે વલસાડની કારણકે ત્યાં કોંગ્રેસે અંનત પટેલને ઉતાર્યા છે જ્યારે ભાજપે નવા અને યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ઉતાર્યા છે ધવલ પટેલની વાત કરીએ તો હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે.  

ભાજપે શિક્ષિત ઉમેદવારને આપી છે તક!

વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. તેમણે આદિવાસી લોકોની સફળતા સંઘર્ષ અને પીએમ મોદીએ આદિવાસીઓ માટે શું કામ કર્યા છે એના પર  બે બૂક પણ લખી છે એટલે એ લેખક પણ છે. શિક્ષણની વાત કરીએ તો તેમણે બીટેક કર્યું છે બાદમાં એમબીએ પણ કર્યું છે આમ શિક્ષિત અને યુવા અને એક મજબૂત ચેહરો બીજેપીએ વલસાડથી ઉતાર્યો છે. ટિકીટ મળ્યા બાદ ધવલ પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  



અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે થવાની છે ટક્કર

બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે.  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.