Loksabha : BJPએ વલસાડ બેઠક પરથી કેમ Dhaval Patelને ટિકીટ આપી? જાણો શા માટે Anant Patel સામે કરવામાં આવી ધવલ પટેલની પસંદગી?


  • Published By :
  • Published Date : 2024-03-14 13:41:38

ગઈકાલે ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે  બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે. અનેક સાંસદોના પત્તા પાર્ટીએ કાપ્યા છે. વડોદરાથી, રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે પરંતુ બાકીની 5 બેઠકો પર ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ રહેવાની છે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલના નામની જાહેરાત કરી છે તો ભાજપે પણ ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિશે.. 


કોણ છે ધવલ પટેલ જેમને વલસાડથી બીજેપીએ બનાવ્યા છે ઉમેદવાર? 

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક લોકોના પત્તા કપાયા છે. સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. આ લોકસભા ચુંટણીમાં અમુક બેઠકો એવી છે જ્યાં જંગ રસપ્રદ રહવાની છે અને એમાં થી એક બેઠક છે વલસાડની કારણકે ત્યાં કોંગ્રેસે અંનત પટેલને ઉતાર્યા છે જ્યારે ભાજપે નવા અને યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ઉતાર્યા છે ધવલ પટેલની વાત કરીએ તો હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે.  

ભાજપે શિક્ષિત ઉમેદવારને આપી છે તક!

વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. તેમણે આદિવાસી લોકોની સફળતા સંઘર્ષ અને પીએમ મોદીએ આદિવાસીઓ માટે શું કામ કર્યા છે એના પર  બે બૂક પણ લખી છે એટલે એ લેખક પણ છે. શિક્ષણની વાત કરીએ તો તેમણે બીટેક કર્યું છે બાદમાં એમબીએ પણ કર્યું છે આમ શિક્ષિત અને યુવા અને એક મજબૂત ચેહરો બીજેપીએ વલસાડથી ઉતાર્યો છે. ટિકીટ મળ્યા બાદ ધવલ પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  



અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે થવાની છે ટક્કર

બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.