Loksabha : BJPએ વલસાડ બેઠક પરથી કેમ Dhaval Patelને ટિકીટ આપી? જાણો શા માટે Anant Patel સામે કરવામાં આવી ધવલ પટેલની પસંદગી?


  • Published By :
  • Published Date : 2024-03-14 13:41:38

ગઈકાલે ભાજપે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે  બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે. અનેક સાંસદોના પત્તા પાર્ટીએ કાપ્યા છે. વડોદરાથી, રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે પરંતુ બાકીની 5 બેઠકો પર ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ રહેવાની છે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલના નામની જાહેરાત કરી છે તો ભાજપે પણ ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જાણીએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિશે.. 


કોણ છે ધવલ પટેલ જેમને વલસાડથી બીજેપીએ બનાવ્યા છે ઉમેદવાર? 

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક લોકોના પત્તા કપાયા છે. સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે. આ લોકસભા ચુંટણીમાં અમુક બેઠકો એવી છે જ્યાં જંગ રસપ્રદ રહવાની છે અને એમાં થી એક બેઠક છે વલસાડની કારણકે ત્યાં કોંગ્રેસે અંનત પટેલને ઉતાર્યા છે જ્યારે ભાજપે નવા અને યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ઉતાર્યા છે ધવલ પટેલની વાત કરીએ તો હાલમાં ધવલ પટેલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળે છે.  

ભાજપે શિક્ષિત ઉમેદવારને આપી છે તક!

વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ નેતા તરીકે ધવલ પટેલ સફળ કામગીરી કરી રહ્યા છે. તેમણે આદિવાસી લોકોની સફળતા સંઘર્ષ અને પીએમ મોદીએ આદિવાસીઓ માટે શું કામ કર્યા છે એના પર  બે બૂક પણ લખી છે એટલે એ લેખક પણ છે. શિક્ષણની વાત કરીએ તો તેમણે બીટેક કર્યું છે બાદમાં એમબીએ પણ કર્યું છે આમ શિક્ષિત અને યુવા અને એક મજબૂત ચેહરો બીજેપીએ વલસાડથી ઉતાર્યો છે. ટિકીટ મળ્યા બાદ ધવલ પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  



અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે થવાની છે ટક્કર

બીજેપીએ અહિયાં જાતિગત સમીકરણ પર પણ ધ્યાન આપ્યું છે વલસાડ લોકસભામાં ઢોડીયા પટેલ ,કુકણા પટેલ, દેસાઈ, કોળી પટેલ અને હળપતિનું પ્રભુત્વ છે એટલે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે એટલે ત્યાં અનંત પટેલ અને ધવલ પટેલની ટક્કર રહેવાની છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.