Morbiની લેડી ડોન 'રાણીબા'નો તો ઠાઠ તો જુઓ! તલવારથી કાપે છે કેક અને કરે છે લાખોની શોપિંગ...


  • Published By :
  • Published Date : 2023-11-25 16:30:51

ગઈકાલથી દરેક જગ્યા પર મોરબીમાં દલિત યુવક સાથે બનેલી ઘટના અંગે ચર્ચા થઈ રહી છે. પગાર માગવા જ્યારે યુવક ગયો ત્યારે તે યુવકને માર માર્યો તેમજ તેને ચપ્પલ ચટાડ્યું. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળીને યુવકને માર્યો.રાણીબાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ્યારે ચેક કર્યું ત્યારે જે ફોટા સામે આવ્યા તે જોઈને લાગે કે તે પોતાને લેડી ડોન સમજે છે.!  

 મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. તે સોશિયલ મીડિયામાં ઘણી જ અપડેટ રહે છે. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)


રાણીબા મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે 

રાણીબા પોતાના જાતને લેડી ડોન કહેવું પસંદ કરે છે આમતો રાણીબાનું નામ વિભૂતિ પટેલ છે હાલ દલિત યુવાનને માર મારવાના કેસમાં તેમના સામે ફરીયાદ થઈ છે અને ગઈકાલથી આ રાણીબાની ચર્ચાઑ બહુ થઈ રહી છે. મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવાતા વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે.રાણીબાનો થાટતો એમની રીલ્સમાં દેખાય જ છે રાણીબા લાખોની કરે છે તે શોપિંગ... 

 મોરબીમાં થોડા દિવસ પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામનો યુવક 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ ગયો હતો. આ બાદ, 18 ઓક્ટોબરે તેમને નોકરીએ આવવાનું ના પડ્યું હતું. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

રોલા પાડવાનો રાણીબાને છે શોખ!

હજારોના પહેરે છે તે કપડા... મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવાનો છે તેમને સોખ છે એટલુંજ નહીં પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે. આ અમે નથી કહેતા આ બતાવે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. કારણકે દરેક વીડિયોમાં એવું દેખાય છે કે બાને મોંઘી ગાડીયોમાં ફરવાનો અને તલવારથી કેક કાપવાનો અને અત્યારની ભાષામાં કહીએ તો રોલા પાડવાનો કેટલો શોક છે . આ તો કઈ નથી પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તલવારથી એક નહીં પરંતુ 32 કેક કાપે છે અને એ પણ તલવારથી.

 આ બાદ, પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઈ ગયા હતા. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

બીજેપી સાથે રાણીબાના છે કનેક્શન!

આ બધુ તો ઠીક પરંતુ ગઈકાલે એક ખુલાસો થયો કે રાણીબાનું કનેક્શન બીજેપી સાથે છે. વિભૂતિ પટેલના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સાથે ગાઢ સંબંધો સામે આવ્યા છે  ભાજપના અનેક કાર્યક્રમોમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક જ મંચ પર પણ જોવા મળ્યા છે એટલે તમારી પાસે પૈસા છે તમારા કનેક્શન સારા છે તો તમે મન ફાવે એવું વર્તન કારસો તમને એ લાઇસનસ મળે છે કે તમારા પોલિટિકલ કનેક્શન છે એટલે તમે દાદાગીરી કરી શકો!  ગુંડાગીરીની તમને છૂટ મળી ગઈ?તમે પોતાને લેડી ડોન માનો છો એટલે મન પડે એમ કોઈને પણ ઢોરની જેમ મારશો અને પાછા આવા લોકો પાસે પૈસા છે એટલે બધુજ ખરીદી લેવાની તાકાત છે હવે પૈસાનો રોબ ભાજપ કનેક્શન આ બધુ હોવા છતાં પણ આ રાણીબા સામે કડક કાર્યવાહી થાય એવી આશા.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.