Morbiની લેડી ડોન 'રાણીબા'નો તો ઠાઠ તો જુઓ! તલવારથી કાપે છે કેક અને કરે છે લાખોની શોપિંગ...


  • Published By :
  • Published Date : 2023-11-25 16:30:51

ગઈકાલથી દરેક જગ્યા પર મોરબીમાં દલિત યુવક સાથે બનેલી ઘટના અંગે ચર્ચા થઈ રહી છે. પગાર માગવા જ્યારે યુવક ગયો ત્યારે તે યુવકને માર માર્યો તેમજ તેને ચપ્પલ ચટાડ્યું. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળીને યુવકને માર્યો.રાણીબાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ્યારે ચેક કર્યું ત્યારે જે ફોટા સામે આવ્યા તે જોઈને લાગે કે તે પોતાને લેડી ડોન સમજે છે.!  

 મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. તે સોશિયલ મીડિયામાં ઘણી જ અપડેટ રહે છે. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)


રાણીબા મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે 

રાણીબા પોતાના જાતને લેડી ડોન કહેવું પસંદ કરે છે આમતો રાણીબાનું નામ વિભૂતિ પટેલ છે હાલ દલિત યુવાનને માર મારવાના કેસમાં તેમના સામે ફરીયાદ થઈ છે અને ગઈકાલથી આ રાણીબાની ચર્ચાઑ બહુ થઈ રહી છે. મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવાતા વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે.રાણીબાનો થાટતો એમની રીલ્સમાં દેખાય જ છે રાણીબા લાખોની કરે છે તે શોપિંગ... 

 મોરબીમાં થોડા દિવસ પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામનો યુવક 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ ગયો હતો. આ બાદ, 18 ઓક્ટોબરે તેમને નોકરીએ આવવાનું ના પડ્યું હતું. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

રોલા પાડવાનો રાણીબાને છે શોખ!

હજારોના પહેરે છે તે કપડા... મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવાનો છે તેમને સોખ છે એટલુંજ નહીં પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે. આ અમે નથી કહેતા આ બતાવે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. કારણકે દરેક વીડિયોમાં એવું દેખાય છે કે બાને મોંઘી ગાડીયોમાં ફરવાનો અને તલવારથી કેક કાપવાનો અને અત્યારની ભાષામાં કહીએ તો રોલા પાડવાનો કેટલો શોક છે . આ તો કઈ નથી પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તલવારથી એક નહીં પરંતુ 32 કેક કાપે છે અને એ પણ તલવારથી.

 આ બાદ, પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઈ ગયા હતા. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

બીજેપી સાથે રાણીબાના છે કનેક્શન!

આ બધુ તો ઠીક પરંતુ ગઈકાલે એક ખુલાસો થયો કે રાણીબાનું કનેક્શન બીજેપી સાથે છે. વિભૂતિ પટેલના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સાથે ગાઢ સંબંધો સામે આવ્યા છે  ભાજપના અનેક કાર્યક્રમોમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક જ મંચ પર પણ જોવા મળ્યા છે એટલે તમારી પાસે પૈસા છે તમારા કનેક્શન સારા છે તો તમે મન ફાવે એવું વર્તન કારસો તમને એ લાઇસનસ મળે છે કે તમારા પોલિટિકલ કનેક્શન છે એટલે તમે દાદાગીરી કરી શકો!  ગુંડાગીરીની તમને છૂટ મળી ગઈ?તમે પોતાને લેડી ડોન માનો છો એટલે મન પડે એમ કોઈને પણ ઢોરની જેમ મારશો અને પાછા આવા લોકો પાસે પૈસા છે એટલે બધુજ ખરીદી લેવાની તાકાત છે હવે પૈસાનો રોબ ભાજપ કનેક્શન આ બધુ હોવા છતાં પણ આ રાણીબા સામે કડક કાર્યવાહી થાય એવી આશા.




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.