Morbiની લેડી ડોન 'રાણીબા'નો તો ઠાઠ તો જુઓ! તલવારથી કાપે છે કેક અને કરે છે લાખોની શોપિંગ...


  • Published By :
  • Published Date : 2023-11-25 16:30:51

ગઈકાલથી દરેક જગ્યા પર મોરબીમાં દલિત યુવક સાથે બનેલી ઘટના અંગે ચર્ચા થઈ રહી છે. પગાર માગવા જ્યારે યુવક ગયો ત્યારે તે યુવકને માર માર્યો તેમજ તેને ચપ્પલ ચટાડ્યું. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળીને યુવકને માર્યો.રાણીબાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ્યારે ચેક કર્યું ત્યારે જે ફોટા સામે આવ્યા તે જોઈને લાગે કે તે પોતાને લેડી ડોન સમજે છે.!  

 મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલા પણ તે ચર્ચામાં આવી હતી. તે સોશિયલ મીડિયામાં ઘણી જ અપડેટ રહે છે. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)


રાણીબા મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે 

રાણીબા પોતાના જાતને લેડી ડોન કહેવું પસંદ કરે છે આમતો રાણીબાનું નામ વિભૂતિ પટેલ છે હાલ દલિત યુવાનને માર મારવાના કેસમાં તેમના સામે ફરીયાદ થઈ છે અને ગઈકાલથી આ રાણીબાની ચર્ચાઑ બહુ થઈ રહી છે. મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવાતા વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે.રાણીબાનો થાટતો એમની રીલ્સમાં દેખાય જ છે રાણીબા લાખોની કરે છે તે શોપિંગ... 

 મોરબીમાં થોડા દિવસ પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામનો યુવક 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ ગયો હતો. આ બાદ, 18 ઓક્ટોબરે તેમને નોકરીએ આવવાનું ના પડ્યું હતું. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

રોલા પાડવાનો રાણીબાને છે શોખ!

હજારોના પહેરે છે તે કપડા... મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવાનો છે તેમને સોખ છે એટલુંજ નહીં પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે. આ અમે નથી કહેતા આ બતાવે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. કારણકે દરેક વીડિયોમાં એવું દેખાય છે કે બાને મોંઘી ગાડીયોમાં ફરવાનો અને તલવારથી કેક કાપવાનો અને અત્યારની ભાષામાં કહીએ તો રોલા પાડવાનો કેટલો શોક છે . આ તો કઈ નથી પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તલવારથી એક નહીં પરંતુ 32 કેક કાપે છે અને એ પણ તલવારથી.

 આ બાદ, પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઈ ગયા હતા. (આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબાની ફાઇલ તસવીર)

બીજેપી સાથે રાણીબાના છે કનેક્શન!

આ બધુ તો ઠીક પરંતુ ગઈકાલે એક ખુલાસો થયો કે રાણીબાનું કનેક્શન બીજેપી સાથે છે. વિભૂતિ પટેલના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સાથે ગાઢ સંબંધો સામે આવ્યા છે  ભાજપના અનેક કાર્યક્રમોમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક જ મંચ પર પણ જોવા મળ્યા છે એટલે તમારી પાસે પૈસા છે તમારા કનેક્શન સારા છે તો તમે મન ફાવે એવું વર્તન કારસો તમને એ લાઇસનસ મળે છે કે તમારા પોલિટિકલ કનેક્શન છે એટલે તમે દાદાગીરી કરી શકો!  ગુંડાગીરીની તમને છૂટ મળી ગઈ?તમે પોતાને લેડી ડોન માનો છો એટલે મન પડે એમ કોઈને પણ ઢોરની જેમ મારશો અને પાછા આવા લોકો પાસે પૈસા છે એટલે બધુજ ખરીદી લેવાની તાકાત છે હવે પૈસાનો રોબ ભાજપ કનેક્શન આ બધુ હોવા છતાં પણ આ રાણીબા સામે કડક કાર્યવાહી થાય એવી આશા.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.