પીએમના વધતા આંટાફેરા જોતા લાગે કે ચૂંટણી નજીક આવી, મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 11:29:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત 19 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેને લઈ હમણાંથી લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટની મુલાકાતે તેઓ આવવાના છે. 

PM Modi Gujarat Visit Live Updates: भावनगर में पीएम मोदी, कहा-हम हमेशा अपने  वादों पर खरे उतरे pm modi gujarat visit live updates ahmedabad metro vande  bharat national games bhupendra patel

અનેક વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ 

રાજકોટ ખાતે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કરવાના છે. રાજકોટમાં ગુજરાત ભાજપ દ્વારા નવું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું કાર્યાલય ત્રણ માળનું રહેશે. રાજકોટમાં તૈયાર થયેલું મીની કમલમનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ઉપરાંત શાસ્ત્રી મેદાન ખાતે હાઉસિંગ કોન્કલેવનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કોન્ક્લેવનો શુભારંભ તેમના હસ્તે થવાનો છે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે. તેઓ રેસકોર્સ ખાતે જનસભાને સંબોધવાના છે. ઉપરાંત 5500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.


પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર 

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો  પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે તો વડાપ્રધાન પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે પોતાની ટીમને ઉતારી રહી છે. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.  




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"