પીએમના વધતા આંટાફેરા જોતા લાગે કે ચૂંટણી નજીક આવી, મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 11:29:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત 19 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેને લઈ હમણાંથી લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટની મુલાકાતે તેઓ આવવાના છે. 

PM Modi Gujarat Visit Live Updates: भावनगर में पीएम मोदी, कहा-हम हमेशा अपने  वादों पर खरे उतरे pm modi gujarat visit live updates ahmedabad metro vande  bharat national games bhupendra patel

અનેક વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ 

રાજકોટ ખાતે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કરવાના છે. રાજકોટમાં ગુજરાત ભાજપ દ્વારા નવું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું કાર્યાલય ત્રણ માળનું રહેશે. રાજકોટમાં તૈયાર થયેલું મીની કમલમનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ઉપરાંત શાસ્ત્રી મેદાન ખાતે હાઉસિંગ કોન્કલેવનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કોન્ક્લેવનો શુભારંભ તેમના હસ્તે થવાનો છે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે. તેઓ રેસકોર્સ ખાતે જનસભાને સંબોધવાના છે. ઉપરાંત 5500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.


પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર 

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો  પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે તો વડાપ્રધાન પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે પોતાની ટીમને ઉતારી રહી છે. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.