પીએમના વધતા આંટાફેરા જોતા લાગે કે ચૂંટણી નજીક આવી, મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 11:29:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ પીએમ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત 19 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેને લઈ હમણાંથી લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટની મુલાકાતે તેઓ આવવાના છે. 

PM Modi Gujarat Visit Live Updates: भावनगर में पीएम मोदी, कहा-हम हमेशा अपने  वादों पर खरे उतरे pm modi gujarat visit live updates ahmedabad metro vande  bharat national games bhupendra patel

અનેક વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ 

રાજકોટ ખાતે વડાપ્રધાન પોતાનો પ્રવાસ કરવાના છે. રાજકોટમાં ગુજરાત ભાજપ દ્વારા નવું કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું કાર્યાલય ત્રણ માળનું રહેશે. રાજકોટમાં તૈયાર થયેલું મીની કમલમનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ઉપરાંત શાસ્ત્રી મેદાન ખાતે હાઉસિંગ કોન્કલેવનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. આ કોન્ક્લેવનો શુભારંભ તેમના હસ્તે થવાનો છે. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેવાના છે. તેઓ રેસકોર્સ ખાતે જનસભાને સંબોધવાના છે. ઉપરાંત 5500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.


પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર 

વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો  પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. અમિત શાહ પણ અનેક વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે તો વડાપ્રધાન પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ પ્રચાર માટે પોતાની ટીમને ઉતારી રહી છે. અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .