ભગવાન જગન્નાથજી 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજશે, આજે અમદાવાદના માણેકચોકમાં નંદીઘોષ રથનું યોજાયું ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2023-05-22 14:31:17

અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રા પહેલા આજે રથયાત્રા માટેના ભગવાન જગન્નાથના રથ નંદીઘોષનું રિહર્સલ કરાયુ હતું. આ વખતની રથયાત્રાની સૌથી નોંધવા જેવી બાબત એ છે કે  ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથનો નવો રથ નવા રંગરૂપમાં જોવા મળશે. આ વખતે ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ પુરીના રથની પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યો છે. રથના રંગ અને ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.


નવા રથની શું છે વિશેષતા?


અત્રે ઉલ્લેખનિય છે કે જગન્નાથ મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ રાખવામાં આવી છે. રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવ્યા છે. રથ બનાવવામાં લગભગ ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આજે યોજાયું રથનું ટ્રાયલ 


આજે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું ટ્રાયલ યોજાયું હતું. રથને ફેરવીને રથના સ્ટ્રક્ચરને લગતા વિવિધ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે, ત્યાં જ એવી રીતે સાંકડી જગ્યા છે, જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ તેનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આજે ટ્રાયલ દરમિયાન રથને જ્યારે ફૂલ ટર્ન મારવાનો હોય ત્યારે હજી તેમાં થોડી તકલીફ જેવું બની શકે છે, જેથી રથમાં સુધારા કરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પણ ટ્રાયલ કરવામાં આવશે.


વર્ષ 1950માં બન્યા હતા જુના રથ


અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે  ભગવાનના રથ 72 વર્ષ પછી નવા બનાવવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 1950માં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના રથ નવા બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદની રથયાત્રામાં નવા રથ જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ બનાવવામાં આવ્યાં છે.


20મી જૂને નિકળશે રથયાત્રા


અમદાવાદના જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી  અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે. આ વખતની ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રા ખાસ છે, કારણ કે જગન્નાથજીના રથ સહીત ત્રણેય રથ વર્ષો પછી નવા બનાવવામાં આવ્યાં છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.