ભગવાન જગન્નાથજી 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજશે, આજે અમદાવાદના માણેકચોકમાં નંદીઘોષ રથનું યોજાયું ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2023-05-22 14:31:17

અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રા પહેલા આજે રથયાત્રા માટેના ભગવાન જગન્નાથના રથ નંદીઘોષનું રિહર્સલ કરાયુ હતું. આ વખતની રથયાત્રાની સૌથી નોંધવા જેવી બાબત એ છે કે  ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથનો નવો રથ નવા રંગરૂપમાં જોવા મળશે. આ વખતે ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ પુરીના રથની પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યો છે. રથના રંગ અને ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.


નવા રથની શું છે વિશેષતા?


અત્રે ઉલ્લેખનિય છે કે જગન્નાથ મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ રાખવામાં આવી છે. રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવ્યા છે. રથ બનાવવામાં લગભગ ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આજે યોજાયું રથનું ટ્રાયલ 


આજે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું ટ્રાયલ યોજાયું હતું. રથને ફેરવીને રથના સ્ટ્રક્ચરને લગતા વિવિધ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે, ત્યાં જ એવી રીતે સાંકડી જગ્યા છે, જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ તેનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આજે ટ્રાયલ દરમિયાન રથને જ્યારે ફૂલ ટર્ન મારવાનો હોય ત્યારે હજી તેમાં થોડી તકલીફ જેવું બની શકે છે, જેથી રથમાં સુધારા કરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પણ ટ્રાયલ કરવામાં આવશે.


વર્ષ 1950માં બન્યા હતા જુના રથ


અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે  ભગવાનના રથ 72 વર્ષ પછી નવા બનાવવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 1950માં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના રથ નવા બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદની રથયાત્રામાં નવા રથ જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ બનાવવામાં આવ્યાં છે.


20મી જૂને નિકળશે રથયાત્રા


અમદાવાદના જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી  અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે. આ વખતની ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રા ખાસ છે, કારણ કે જગન્નાથજીના રથ સહીત ત્રણેય રથ વર્ષો પછી નવા બનાવવામાં આવ્યાં છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.