Lord Ram : હાથ ન હોવા છતાં કલાકારે બનાવ્યુંં રામલલાનું અદ્ભૂત સ્કેચ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 11:12:47

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ સંપન્ન થાય તે પહેલીથી જ અયોધ્યા ચર્ચામાં હતું. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. યથાશક્તિ ભક્તો ભક્તિ કરી રહ્યા છે. કોઈ મંદિરમાં દાન કરીને તો કોઈ ગઈને ભક્તિ દર્શાવે છે. ત્યારે એક રામ ભક્તે હાથ ન હોવા છતાંય ભગવાન રામનો સ્કેચ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ ગયો છે.

હાથ ન હોવા છતાંય રામ લલ્લાની બનાવી સુંદર છબી!

અનેક લોકો એવા હોય છે જેમની પાસે અનેક સુવિધાઓ હોય છે તો પણ ફરિયાદ કરતા હોય છે. જે નથી મળ્યું તેને ગણીને દુખી થતા હોય છે પરંતુ એવા પણ અનેક લોકો હોય છે જેમની પાસે અનેક વસ્તુઓનો અભાવ હોય છે પરંતુ તો પણ તે જીવનથી સંતુષ્ટ હોય છે. તેમને કોઈ ફરિયાદ નથી હોતી અને તે પોતાનું જીવન સારી રીતે જીવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક કલાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમની પાસે હાથ ન હોવા છતાંય રામ ભગવાનની સુંદર છબી બનાવે છે.    


લોકોએ કરી આ કલાકારની કળાની પ્રશંસા!

જે ચિત્રકારની, જે કલાકારની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે ધવલ ખત્રી. નાનપણમાં તેમને હાથ હતા પરંતુ 2003માં તેમને ઈલેક્ટ્રિક શોક લાગ્યો જેને કારણે તેમને હાથ ગુમાવ્યા પડ્યા હતા. હાથ ન હોવા છતાંય તેઓ મનોબળ ના હાર્યા. સ્કૂલમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજી સ્કૂલમાં એડમિશન લેવાની બદલીમાં તેમણે ચિત્રકામ કરવાની રૂચિને આગળ વધારી. પેન્ટિંગ અને સ્કેચ બનાવવાનું ચાલું રાખ્યું. 24 જાન્યુઆરીએ રામ લલ્લાનો સ્કેચ બનાવીને ધવલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો અને લખ્યું કે દિલથી આ સ્કેચ બનાવી રહ્યો હતો એટલે થોડા સમય લાગી ગયો. જય શ્રી રામ.. મહત્વનું છે કે આ વીડિયો પોસ્ટ કર્યા બાદ અનેક લોકોએ કલાકારના કામને બિરદાવ્યું છે. અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.