Lord Ram : હાથ ન હોવા છતાં કલાકારે બનાવ્યુંં રામલલાનું અદ્ભૂત સ્કેચ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 11:12:47

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ સંપન્ન થાય તે પહેલીથી જ અયોધ્યા ચર્ચામાં હતું. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. યથાશક્તિ ભક્તો ભક્તિ કરી રહ્યા છે. કોઈ મંદિરમાં દાન કરીને તો કોઈ ગઈને ભક્તિ દર્શાવે છે. ત્યારે એક રામ ભક્તે હાથ ન હોવા છતાંય ભગવાન રામનો સ્કેચ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ ગયો છે.

હાથ ન હોવા છતાંય રામ લલ્લાની બનાવી સુંદર છબી!

અનેક લોકો એવા હોય છે જેમની પાસે અનેક સુવિધાઓ હોય છે તો પણ ફરિયાદ કરતા હોય છે. જે નથી મળ્યું તેને ગણીને દુખી થતા હોય છે પરંતુ એવા પણ અનેક લોકો હોય છે જેમની પાસે અનેક વસ્તુઓનો અભાવ હોય છે પરંતુ તો પણ તે જીવનથી સંતુષ્ટ હોય છે. તેમને કોઈ ફરિયાદ નથી હોતી અને તે પોતાનું જીવન સારી રીતે જીવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક કલાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમની પાસે હાથ ન હોવા છતાંય રામ ભગવાનની સુંદર છબી બનાવે છે.    


લોકોએ કરી આ કલાકારની કળાની પ્રશંસા!

જે ચિત્રકારની, જે કલાકારની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે ધવલ ખત્રી. નાનપણમાં તેમને હાથ હતા પરંતુ 2003માં તેમને ઈલેક્ટ્રિક શોક લાગ્યો જેને કારણે તેમને હાથ ગુમાવ્યા પડ્યા હતા. હાથ ન હોવા છતાંય તેઓ મનોબળ ના હાર્યા. સ્કૂલમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજી સ્કૂલમાં એડમિશન લેવાની બદલીમાં તેમણે ચિત્રકામ કરવાની રૂચિને આગળ વધારી. પેન્ટિંગ અને સ્કેચ બનાવવાનું ચાલું રાખ્યું. 24 જાન્યુઆરીએ રામ લલ્લાનો સ્કેચ બનાવીને ધવલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો અને લખ્યું કે દિલથી આ સ્કેચ બનાવી રહ્યો હતો એટલે થોડા સમય લાગી ગયો. જય શ્રી રામ.. મહત્વનું છે કે આ વીડિયો પોસ્ટ કર્યા બાદ અનેક લોકોએ કલાકારના કામને બિરદાવ્યું છે. અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે.      



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.