Lord Ram : હાથ ન હોવા છતાં કલાકારે બનાવ્યુંં રામલલાનું અદ્ભૂત સ્કેચ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 11:12:47

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ સંપન્ન થાય તે પહેલીથી જ અયોધ્યા ચર્ચામાં હતું. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. યથાશક્તિ ભક્તો ભક્તિ કરી રહ્યા છે. કોઈ મંદિરમાં દાન કરીને તો કોઈ ગઈને ભક્તિ દર્શાવે છે. ત્યારે એક રામ ભક્તે હાથ ન હોવા છતાંય ભગવાન રામનો સ્કેચ બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ ગયો છે.

હાથ ન હોવા છતાંય રામ લલ્લાની બનાવી સુંદર છબી!

અનેક લોકો એવા હોય છે જેમની પાસે અનેક સુવિધાઓ હોય છે તો પણ ફરિયાદ કરતા હોય છે. જે નથી મળ્યું તેને ગણીને દુખી થતા હોય છે પરંતુ એવા પણ અનેક લોકો હોય છે જેમની પાસે અનેક વસ્તુઓનો અભાવ હોય છે પરંતુ તો પણ તે જીવનથી સંતુષ્ટ હોય છે. તેમને કોઈ ફરિયાદ નથી હોતી અને તે પોતાનું જીવન સારી રીતે જીવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક કલાકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમની પાસે હાથ ન હોવા છતાંય રામ ભગવાનની સુંદર છબી બનાવે છે.    


લોકોએ કરી આ કલાકારની કળાની પ્રશંસા!

જે ચિત્રકારની, જે કલાકારની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે ધવલ ખત્રી. નાનપણમાં તેમને હાથ હતા પરંતુ 2003માં તેમને ઈલેક્ટ્રિક શોક લાગ્યો જેને કારણે તેમને હાથ ગુમાવ્યા પડ્યા હતા. હાથ ન હોવા છતાંય તેઓ મનોબળ ના હાર્યા. સ્કૂલમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજી સ્કૂલમાં એડમિશન લેવાની બદલીમાં તેમણે ચિત્રકામ કરવાની રૂચિને આગળ વધારી. પેન્ટિંગ અને સ્કેચ બનાવવાનું ચાલું રાખ્યું. 24 જાન્યુઆરીએ રામ લલ્લાનો સ્કેચ બનાવીને ધવલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો અને લખ્યું કે દિલથી આ સ્કેચ બનાવી રહ્યો હતો એટલે થોડા સમય લાગી ગયો. જય શ્રી રામ.. મહત્વનું છે કે આ વીડિયો પોસ્ટ કર્યા બાદ અનેક લોકોએ કલાકારના કામને બિરદાવ્યું છે. અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે