ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો નૃસિંહનો અવતાર! ભગવાન નૃસિંહના પ્રાગટ્ય દિવસ પર આ વસ્તુ કરવી જોઈએ અર્પણ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-04 15:40:26

આજે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ છે. આ તીથીએ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એટલે કે ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. આ તીથિને નૃસિંહ પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સ્વરૂપ ભગવાન વિષ્ણનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સાંજના સમયે ભગવાન પ્રગટ થયા હતા. ભગવાન નૃસિંહની પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ રહેલું છે. 

Narasimha Jayanti 2023: Date & Time, Significance, Puja Vidhi

જો ભગવાન નૃસિંહના પ્રાગટ્યની વાત કરીએ તો દંતકથા અનુસાર ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો, હંમેશા ભગવાનના ગુનગાણ ગાતો હતો. અનેક વખત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને ભક્તના વિશ્વાસને તૂટવા ન દીધો હતો. ભગવાન કણ કણમાં વસે છે તેવું ભક્ત પ્રહલાદ માનતો હતો. ત્યારે પોતાના ભક્તને બચાવા માટે ભગવાન સ્તંભમાંથી નૃસિંહ રૂપમાં પ્રગટ થયા હતા. તેમનું અડધું શરીર સિંહનું હતું જ્યારે અડધુ શરીર માનવનું હતું.

The fourth avatar of Lord Vishnu | Narasimha avatar – Rosebazaar India

હિરણ્યકશ્યપે તપ કરીને વરદાન માંગ્યું હતું કે તેમનું મૃત્યુ ના તો કોઈ માણસ દ્વારા થાય કે ના તો કોઈ પશુ-પક્ષી દ્વારા થાય. ના તો પાણી, હવા અથવા તો જમીન પર થાય, ના તો કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે થાય. ત્યારે વરદાન પણ સચવાઈ જાય અને હિરણ્યકશ્યપનો વધ થાય તે માટે ભગવાને આ અવતાર ધારણ કર્યો હતો. ભગવાને પોતાના ખોળા હિરણ્યક્શયપનો વધ કર્યો હતો. 

News & Views :: રામ, કૃષ્ણ અને પરશુરામ સહિત આ છે ભગવાન વિષ્ણુના દશઅવતાર

ભગવાનના આ અવતારને ઉગ્ર સ્વરૂપ માનવામાં  આવે છે. એટલા માટે ભગવાનની પૂજામાં ચંદનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અભિષેક પણ કરવો જોઈએ. ભગવાનના ગુસ્સાને શાંત કરવા માટે આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ચંદન અર્પણ કરવાથી ભગવાનને ઠંડક મળે છે. આ અવતાર ભગવાનના દસ અવતારોમાંનો ચોથો અવતાર છે. 

Narsimha Jayanti 2021: Katha, facts and puja vidhi in gujarati. સંકટોથી  રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથા - Gujarati Oneindia

આ દિવસે અનેક ભક્તો દ્વારા ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. પોતાની ભક્તિ તેમજ શક્તિ પ્રમાણે અન્ન, જળ તેમજ કપડાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દુખોનો અંત આવે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. યથાશક્તિ ભગવાન નૃસિંહનું પૂજન કરવું જોઈએ. પૂજા દરમિયાન ॐ वज्रनखाय विद्महे तीक्ष्ण दंष्ट्राय धीमहि | तन्नो नरसिंह प्रचोदयात || મંત્રનો જાપ કરવો જોઈએ.          



રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.