ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો નૃસિંહનો અવતાર! ભગવાન નૃસિંહના પ્રાગટ્ય દિવસ પર આ વસ્તુ કરવી જોઈએ અર્પણ!


  • Published By :
  • Published Date : 2023-05-04 15:40:26

આજે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ છે. આ તીથીએ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એટલે કે ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. આ તીથિને નૃસિંહ પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સ્વરૂપ ભગવાન વિષ્ણનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સાંજના સમયે ભગવાન પ્રગટ થયા હતા. ભગવાન નૃસિંહની પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ રહેલું છે. 

Narasimha Jayanti 2023: Date & Time, Significance, Puja Vidhi

જો ભગવાન નૃસિંહના પ્રાગટ્યની વાત કરીએ તો દંતકથા અનુસાર ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો, હંમેશા ભગવાનના ગુનગાણ ગાતો હતો. અનેક વખત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને ભક્તના વિશ્વાસને તૂટવા ન દીધો હતો. ભગવાન કણ કણમાં વસે છે તેવું ભક્ત પ્રહલાદ માનતો હતો. ત્યારે પોતાના ભક્તને બચાવા માટે ભગવાન સ્તંભમાંથી નૃસિંહ રૂપમાં પ્રગટ થયા હતા. તેમનું અડધું શરીર સિંહનું હતું જ્યારે અડધુ શરીર માનવનું હતું.

The fourth avatar of Lord Vishnu | Narasimha avatar – Rosebazaar India

હિરણ્યકશ્યપે તપ કરીને વરદાન માંગ્યું હતું કે તેમનું મૃત્યુ ના તો કોઈ માણસ દ્વારા થાય કે ના તો કોઈ પશુ-પક્ષી દ્વારા થાય. ના તો પાણી, હવા અથવા તો જમીન પર થાય, ના તો કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે થાય. ત્યારે વરદાન પણ સચવાઈ જાય અને હિરણ્યકશ્યપનો વધ થાય તે માટે ભગવાને આ અવતાર ધારણ કર્યો હતો. ભગવાને પોતાના ખોળા હિરણ્યક્શયપનો વધ કર્યો હતો. 

News & Views :: રામ, કૃષ્ણ અને પરશુરામ સહિત આ છે ભગવાન વિષ્ણુના દશઅવતાર

ભગવાનના આ અવતારને ઉગ્ર સ્વરૂપ માનવામાં  આવે છે. એટલા માટે ભગવાનની પૂજામાં ચંદનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અભિષેક પણ કરવો જોઈએ. ભગવાનના ગુસ્સાને શાંત કરવા માટે આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ચંદન અર્પણ કરવાથી ભગવાનને ઠંડક મળે છે. આ અવતાર ભગવાનના દસ અવતારોમાંનો ચોથો અવતાર છે. 

Narsimha Jayanti 2021: Katha, facts and puja vidhi in gujarati. સંકટોથી  રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથા - Gujarati Oneindia

આ દિવસે અનેક ભક્તો દ્વારા ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. પોતાની ભક્તિ તેમજ શક્તિ પ્રમાણે અન્ન, જળ તેમજ કપડાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દુખોનો અંત આવે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. યથાશક્તિ ભગવાન નૃસિંહનું પૂજન કરવું જોઈએ. પૂજા દરમિયાન ॐ वज्रनखाय विद्महे तीक्ष्ण दंष्ट्राय धीमहि | तन्नो नरसिंह प्रचोदयात || મંત્રનો જાપ કરવો જોઈએ.          



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.