ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો નૃસિંહનો અવતાર! ભગવાન નૃસિંહના પ્રાગટ્ય દિવસ પર આ વસ્તુ કરવી જોઈએ અર્પણ!


  • Published By :
  • Published Date : 2023-05-04 15:40:26

આજે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ છે. આ તીથીએ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એટલે કે ભગવાન નૃસિંહ પ્રગટ થયા હતા. આ તીથિને નૃસિંહ પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સ્વરૂપ ભગવાન વિષ્ણનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહની વિશેષ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે સાંજના સમયે ભગવાન પ્રગટ થયા હતા. ભગવાન નૃસિંહની પૂજામાં ચંદનનું વિશેષ મહત્વ રહેલું છે. 

Narasimha Jayanti 2023: Date & Time, Significance, Puja Vidhi

જો ભગવાન નૃસિંહના પ્રાગટ્યની વાત કરીએ તો દંતકથા અનુસાર ભગવાને પોતાના ભક્તની રક્ષા કરવા માટે આ અવતાર ધારણ કર્યો હતો. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો તો તેમનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો, હંમેશા ભગવાનના ગુનગાણ ગાતો હતો. અનેક વખત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાના પ્રયત્નો કર્યા. પરંતુ ભગવાને ભક્તના વિશ્વાસને તૂટવા ન દીધો હતો. ભગવાન કણ કણમાં વસે છે તેવું ભક્ત પ્રહલાદ માનતો હતો. ત્યારે પોતાના ભક્તને બચાવા માટે ભગવાન સ્તંભમાંથી નૃસિંહ રૂપમાં પ્રગટ થયા હતા. તેમનું અડધું શરીર સિંહનું હતું જ્યારે અડધુ શરીર માનવનું હતું.

The fourth avatar of Lord Vishnu | Narasimha avatar – Rosebazaar India

હિરણ્યકશ્યપે તપ કરીને વરદાન માંગ્યું હતું કે તેમનું મૃત્યુ ના તો કોઈ માણસ દ્વારા થાય કે ના તો કોઈ પશુ-પક્ષી દ્વારા થાય. ના તો પાણી, હવા અથવા તો જમીન પર થાય, ના તો કોઈ અસ્ત્ર કે શસ્ત્ર વડે થાય. ત્યારે વરદાન પણ સચવાઈ જાય અને હિરણ્યકશ્યપનો વધ થાય તે માટે ભગવાને આ અવતાર ધારણ કર્યો હતો. ભગવાને પોતાના ખોળા હિરણ્યક્શયપનો વધ કર્યો હતો. 

News & Views :: રામ, કૃષ્ણ અને પરશુરામ સહિત આ છે ભગવાન વિષ્ણુના દશઅવતાર

ભગવાનના આ અવતારને ઉગ્ર સ્વરૂપ માનવામાં  આવે છે. એટલા માટે ભગવાનની પૂજામાં ચંદનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અભિષેક પણ કરવો જોઈએ. ભગવાનના ગુસ્સાને શાંત કરવા માટે આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ચંદન અર્પણ કરવાથી ભગવાનને ઠંડક મળે છે. આ અવતાર ભગવાનના દસ અવતારોમાંનો ચોથો અવતાર છે. 

Narsimha Jayanti 2021: Katha, facts and puja vidhi in gujarati. સંકટોથી  રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથા - Gujarati Oneindia

આ દિવસે અનેક ભક્તો દ્વારા ભગવાન નૃસિંહની પૂજા કરવામાં આવે છે. પોતાની ભક્તિ તેમજ શક્તિ પ્રમાણે અન્ન, જળ તેમજ કપડાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી દુખોનો અંત આવે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. યથાશક્તિ ભગવાન નૃસિંહનું પૂજન કરવું જોઈએ. પૂજા દરમિયાન ॐ वज्रनखाय विद्महे तीक्ष्ण दंष्ट्राय धीमहि | तन्नो नरसिंह प्रचोदयात || મંત્રનો જાપ કરવો જોઈએ.          



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .