નકલીની ભરમાર! Pal Ambaliyaએ કૃષિમંત્રીને પત્ર લખી બીજ માફીયાઓ સામે એક્શન લેવા કરી માંગ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-24 14:24:58

જગતના તાતની ચિંતા સતત વધી રહી છે.. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણી સામે ખેડૂતોના અનેક ઉદાહરણો છે જે વાત સાચી સાબિત કરે છે.. મોંઘા ભાવના બિયારણો લાવે છે, તેની પાછળ મહેનત કરે છે, સારો પાક થશે તેવી આશા હોય છે વગેરે વગેરે.. પરંતુ એ જ બિયારણ જો નકલી હોય તો.. નકલી બિયારણો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે તેવી વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રીને તેમણે પત્ર લખ્યો છે કે આવા નકલી બિયારણો વેચતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ..

નકલીની લિસ્ટમાં થયો વધુ એક વસ્તુનો ઉમેરો!   

ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી મળી રહી છે.. થોડા દિવસો વિત્યા નથી કે કંઈ નકલી વસ્તુ મળતી હોય તેનો પર્દાફાશ થાય છે.. સવાલ થાય કે ગુજરાતમાં હવે અસલી શું રહ્યું છે? ખાવાની વસ્તુઓ નકલી, દૂધ દહીં ઘી સહિતના ખાદ્યપદાર્થો નકલી પકડાઈ રહ્યા છે.. તે સિવાય નકલી કચેરીઓ, નકલી ચલણી નોટ, નકલી અધિકારીઓ.. ગણવા બેસીએ તો લિસ્ટ કદાચ લાંબુ નિકળે.. હવે આ લિસ્ટમાં વધુ એક નામનો ઉમેરો થયો છે તેવું લાગે.. આ એવી વસ્તુ છે જેના કારણે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને ખેડૂતો સાથે છેતરપિંડી..  



પાલ આંબલિયાએ લખ્યો કૃષિમંત્રીને પત્ર 

જ્યાં નકલી કર્મચારી, નકલી અધિકારી, નકલી સરકારી ઓફીસ ચાલતી હોય ત્યાં નકલી બિયારણ બેફામ ખુલ્લેઆમ વેચાય એમાં કોઈ નવાઈની વાત નહીં કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલીયાએ કઈ રીતે નકલી બિયરણો વેચાય છે અને સરકાર કોઈ એક્શન નથી લેતી તેના પર સવાલ ઉઠાવ્યો છે સાથે જ તેમણે કૃષિ મંત્રીને પત્ર લખીને બીજ માફિયા સામે પગલાં લેવા અને સરકારે આ મુદ્દે શું કામ કર્યું છે તેના જવાબ માંગ્યા છે...



કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ લખ્યો હતો પત્ર 

જોકે થોડા સમય પહેલા જ પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની માગ પાલ આંબલીયાએ કરી હતી અને સાથે જ 4 વાર થયેલા માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા તેવો આક્ષેપ પણ કર્યો હતો તો હવે આ પત્રનો જવાબ સરકાર શું આપે છે આગળ આ નકલી બિયારણ માફિયા સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું,,, 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.