નકલીની ભરમાર! Pal Ambaliyaએ કૃષિમંત્રીને પત્ર લખી બીજ માફીયાઓ સામે એક્શન લેવા કરી માંગ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-24 14:24:58

જગતના તાતની ચિંતા સતત વધી રહી છે.. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણી સામે ખેડૂતોના અનેક ઉદાહરણો છે જે વાત સાચી સાબિત કરે છે.. મોંઘા ભાવના બિયારણો લાવે છે, તેની પાછળ મહેનત કરે છે, સારો પાક થશે તેવી આશા હોય છે વગેરે વગેરે.. પરંતુ એ જ બિયારણ જો નકલી હોય તો.. નકલી બિયારણો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે તેવી વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રીને તેમણે પત્ર લખ્યો છે કે આવા નકલી બિયારણો વેચતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ..

નકલીની લિસ્ટમાં થયો વધુ એક વસ્તુનો ઉમેરો!   

ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી મળી રહી છે.. થોડા દિવસો વિત્યા નથી કે કંઈ નકલી વસ્તુ મળતી હોય તેનો પર્દાફાશ થાય છે.. સવાલ થાય કે ગુજરાતમાં હવે અસલી શું રહ્યું છે? ખાવાની વસ્તુઓ નકલી, દૂધ દહીં ઘી સહિતના ખાદ્યપદાર્થો નકલી પકડાઈ રહ્યા છે.. તે સિવાય નકલી કચેરીઓ, નકલી ચલણી નોટ, નકલી અધિકારીઓ.. ગણવા બેસીએ તો લિસ્ટ કદાચ લાંબુ નિકળે.. હવે આ લિસ્ટમાં વધુ એક નામનો ઉમેરો થયો છે તેવું લાગે.. આ એવી વસ્તુ છે જેના કારણે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને ખેડૂતો સાથે છેતરપિંડી..  



પાલ આંબલિયાએ લખ્યો કૃષિમંત્રીને પત્ર 

જ્યાં નકલી કર્મચારી, નકલી અધિકારી, નકલી સરકારી ઓફીસ ચાલતી હોય ત્યાં નકલી બિયારણ બેફામ ખુલ્લેઆમ વેચાય એમાં કોઈ નવાઈની વાત નહીં કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલીયાએ કઈ રીતે નકલી બિયરણો વેચાય છે અને સરકાર કોઈ એક્શન નથી લેતી તેના પર સવાલ ઉઠાવ્યો છે સાથે જ તેમણે કૃષિ મંત્રીને પત્ર લખીને બીજ માફિયા સામે પગલાં લેવા અને સરકારે આ મુદ્દે શું કામ કર્યું છે તેના જવાબ માંગ્યા છે...



કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ લખ્યો હતો પત્ર 

જોકે થોડા સમય પહેલા જ પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની માગ પાલ આંબલીયાએ કરી હતી અને સાથે જ 4 વાર થયેલા માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા તેવો આક્ષેપ પણ કર્યો હતો તો હવે આ પત્રનો જવાબ સરકાર શું આપે છે આગળ આ નકલી બિયારણ માફિયા સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું,,, 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.