નકલીની ભરમાર! Pal Ambaliyaએ કૃષિમંત્રીને પત્ર લખી બીજ માફીયાઓ સામે એક્શન લેવા કરી માંગ! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-24 14:24:58

જગતના તાતની ચિંતા સતત વધી રહી છે.. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. આપણી સામે ખેડૂતોના અનેક ઉદાહરણો છે જે વાત સાચી સાબિત કરે છે.. મોંઘા ભાવના બિયારણો લાવે છે, તેની પાછળ મહેનત કરે છે, સારો પાક થશે તેવી આશા હોય છે વગેરે વગેરે.. પરંતુ એ જ બિયારણ જો નકલી હોય તો.. નકલી બિયારણો ગુજરાતમાં વેચાઈ રહ્યા છે તેવી વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે. કૃષિમંત્રીને તેમણે પત્ર લખ્યો છે કે આવા નકલી બિયારણો વેચતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ..

નકલીની લિસ્ટમાં થયો વધુ એક વસ્તુનો ઉમેરો!   

ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી મળી રહી છે.. થોડા દિવસો વિત્યા નથી કે કંઈ નકલી વસ્તુ મળતી હોય તેનો પર્દાફાશ થાય છે.. સવાલ થાય કે ગુજરાતમાં હવે અસલી શું રહ્યું છે? ખાવાની વસ્તુઓ નકલી, દૂધ દહીં ઘી સહિતના ખાદ્યપદાર્થો નકલી પકડાઈ રહ્યા છે.. તે સિવાય નકલી કચેરીઓ, નકલી ચલણી નોટ, નકલી અધિકારીઓ.. ગણવા બેસીએ તો લિસ્ટ કદાચ લાંબુ નિકળે.. હવે આ લિસ્ટમાં વધુ એક નામનો ઉમેરો થયો છે તેવું લાગે.. આ એવી વસ્તુ છે જેના કારણે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને ખેડૂતો સાથે છેતરપિંડી..  



પાલ આંબલિયાએ લખ્યો કૃષિમંત્રીને પત્ર 

જ્યાં નકલી કર્મચારી, નકલી અધિકારી, નકલી સરકારી ઓફીસ ચાલતી હોય ત્યાં નકલી બિયારણ બેફામ ખુલ્લેઆમ વેચાય એમાં કોઈ નવાઈની વાત નહીં કોંગ્રેસ કિસાન સંઘના નેતા પાલ આંબલીયાએ કઈ રીતે નકલી બિયરણો વેચાય છે અને સરકાર કોઈ એક્શન નથી લેતી તેના પર સવાલ ઉઠાવ્યો છે સાથે જ તેમણે કૃષિ મંત્રીને પત્ર લખીને બીજ માફિયા સામે પગલાં લેવા અને સરકારે આ મુદ્દે શું કામ કર્યું છે તેના જવાબ માંગ્યા છે...



કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ લખ્યો હતો પત્ર 

જોકે થોડા સમય પહેલા જ પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાની માગ પાલ આંબલીયાએ કરી હતી અને સાથે જ 4 વાર થયેલા માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા તેવો આક્ષેપ પણ કર્યો હતો તો હવે આ પત્રનો જવાબ સરકાર શું આપે છે આગળ આ નકલી બિયારણ માફિયા સામે શું એક્શન લેવાય છે તે જોવાનું રહ્યું,,, 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે