Vavમાં ખીલ્યું કમળ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની થઈ જીત....


  • Published By :
  • Published Date : 2024-11-23 14:31:27

જેની ઘણા દિવસોથી રાહ જોવાઈ રહ્યા હતા કે કોણ વાવ બેઠકની ચૂંટણી જીતશે તે સસ્પેન્સ ઉઠી ગયો છે... વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત શરૂઆતમાં આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતિમ રાઉન્ડ આવતા આવતા તેમની લીડ ઘટી ગઈ હતી અને અંતે સ્વરૂપજીની જીત થઈ છે... વાવના ધારાસભ્ય સ્વરૂપજી બન્યા છે...2500થી વધુ મતની લીડથી જીત થઇ છે.


વાવમાં જામ્યો હતો ત્રિ પાંખીયો જંગ

જ્યારથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બન્યા ત્યારથી સૌ કોઈની નજર વાવ બેઠક પર હતી.. ગેનીબેન બાદ વાવના ધારાસભ્ય કોણ બનશે તે પર બધા નજર રાખી રહ્યા હતા.. ઉમેદવાર કોણ હશે તેનો સસ્પેન્સ ઘણા સમય સુધી બંને પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો... છેક છેલ્લે પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી... આ જંગ રસપ્રદ ત્યારે બની જ્યારે માવજી ચૌધરીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી... વાવમાં ત્રિં પાંખીયો જંગ જોવા મળ્યો... 



રસાકસી વાળા પરિણામ બાદ જીત્યા સ્વરૂપજી ઠાકોર

દરેક ઉમેદવારે પોત પોતાની રીતે માહોલ બનાવાની કોશિશ કરી... ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે જાણે આખે આખી ભારતીય જનતા પાર્ટી લાગી ગઈ હોય તેવું લાગ્યું.. મુખ્યમંત્રીએ પણ તેમના માટે પ્રચાર કર્યો હતો.. તો કોંગ્રેસ તરફથી પણ શક્તિસિંહ ગોહિલ,ગેનીબેન ઠાકોર,  જેવા નેતાઓએ પ્રચાર કર્યો હતો... તે સિવાય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુલાબ આપી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો... તે સિવાય જ્યારે મતદાન થયું હતું તે દિવસે બંને ઉમેદવાર આમને સામને આવ્યા હતા.. તે સમયે જે વીડિયો સામે આવ્યા છે તે આપણે જોયા છે... ત્યારે આજે વાવ વિધાનસભા બેઠકનું રસાકસી વાળું પરિણામ આવ્યું છે... મતગણતરીની શરૂઆત થઈ તે સમયે ગુલાબસિંહ ઠાકોર આગળ હતા પરંતુ જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા ગયા... 



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.