Vavમાં ખીલ્યું કમળ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની થઈ જીત....


  • Published By :
  • Published Date : 2024-11-23 14:31:27

જેની ઘણા દિવસોથી રાહ જોવાઈ રહ્યા હતા કે કોણ વાવ બેઠકની ચૂંટણી જીતશે તે સસ્પેન્સ ઉઠી ગયો છે... વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત શરૂઆતમાં આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતિમ રાઉન્ડ આવતા આવતા તેમની લીડ ઘટી ગઈ હતી અને અંતે સ્વરૂપજીની જીત થઈ છે... વાવના ધારાસભ્ય સ્વરૂપજી બન્યા છે...2500થી વધુ મતની લીડથી જીત થઇ છે.


વાવમાં જામ્યો હતો ત્રિ પાંખીયો જંગ

જ્યારથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બન્યા ત્યારથી સૌ કોઈની નજર વાવ બેઠક પર હતી.. ગેનીબેન બાદ વાવના ધારાસભ્ય કોણ બનશે તે પર બધા નજર રાખી રહ્યા હતા.. ઉમેદવાર કોણ હશે તેનો સસ્પેન્સ ઘણા સમય સુધી બંને પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો... છેક છેલ્લે પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી... આ જંગ રસપ્રદ ત્યારે બની જ્યારે માવજી ચૌધરીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી... વાવમાં ત્રિં પાંખીયો જંગ જોવા મળ્યો... 



રસાકસી વાળા પરિણામ બાદ જીત્યા સ્વરૂપજી ઠાકોર

દરેક ઉમેદવારે પોત પોતાની રીતે માહોલ બનાવાની કોશિશ કરી... ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે જાણે આખે આખી ભારતીય જનતા પાર્ટી લાગી ગઈ હોય તેવું લાગ્યું.. મુખ્યમંત્રીએ પણ તેમના માટે પ્રચાર કર્યો હતો.. તો કોંગ્રેસ તરફથી પણ શક્તિસિંહ ગોહિલ,ગેનીબેન ઠાકોર,  જેવા નેતાઓએ પ્રચાર કર્યો હતો... તે સિવાય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુલાબ આપી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો... તે સિવાય જ્યારે મતદાન થયું હતું તે દિવસે બંને ઉમેદવાર આમને સામને આવ્યા હતા.. તે સમયે જે વીડિયો સામે આવ્યા છે તે આપણે જોયા છે... ત્યારે આજે વાવ વિધાનસભા બેઠકનું રસાકસી વાળું પરિણામ આવ્યું છે... મતગણતરીની શરૂઆત થઈ તે સમયે ગુલાબસિંહ ઠાકોર આગળ હતા પરંતુ જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા ગયા... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.