Vavમાં ખીલ્યું કમળ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની થઈ જીત....


  • Published By :
  • Published Date : 2024-11-23 14:31:27

જેની ઘણા દિવસોથી રાહ જોવાઈ રહ્યા હતા કે કોણ વાવ બેઠકની ચૂંટણી જીતશે તે સસ્પેન્સ ઉઠી ગયો છે... વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત શરૂઆતમાં આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતિમ રાઉન્ડ આવતા આવતા તેમની લીડ ઘટી ગઈ હતી અને અંતે સ્વરૂપજીની જીત થઈ છે... વાવના ધારાસભ્ય સ્વરૂપજી બન્યા છે...2500થી વધુ મતની લીડથી જીત થઇ છે.


વાવમાં જામ્યો હતો ત્રિ પાંખીયો જંગ

જ્યારથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બન્યા ત્યારથી સૌ કોઈની નજર વાવ બેઠક પર હતી.. ગેનીબેન બાદ વાવના ધારાસભ્ય કોણ બનશે તે પર બધા નજર રાખી રહ્યા હતા.. ઉમેદવાર કોણ હશે તેનો સસ્પેન્સ ઘણા સમય સુધી બંને પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો... છેક છેલ્લે પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી... આ જંગ રસપ્રદ ત્યારે બની જ્યારે માવજી ચૌધરીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી... વાવમાં ત્રિં પાંખીયો જંગ જોવા મળ્યો... 



રસાકસી વાળા પરિણામ બાદ જીત્યા સ્વરૂપજી ઠાકોર

દરેક ઉમેદવારે પોત પોતાની રીતે માહોલ બનાવાની કોશિશ કરી... ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે જાણે આખે આખી ભારતીય જનતા પાર્ટી લાગી ગઈ હોય તેવું લાગ્યું.. મુખ્યમંત્રીએ પણ તેમના માટે પ્રચાર કર્યો હતો.. તો કોંગ્રેસ તરફથી પણ શક્તિસિંહ ગોહિલ,ગેનીબેન ઠાકોર,  જેવા નેતાઓએ પ્રચાર કર્યો હતો... તે સિવાય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુલાબ આપી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો... તે સિવાય જ્યારે મતદાન થયું હતું તે દિવસે બંને ઉમેદવાર આમને સામને આવ્યા હતા.. તે સમયે જે વીડિયો સામે આવ્યા છે તે આપણે જોયા છે... ત્યારે આજે વાવ વિધાનસભા બેઠકનું રસાકસી વાળું પરિણામ આવ્યું છે... મતગણતરીની શરૂઆત થઈ તે સમયે ગુલાબસિંહ ઠાકોર આગળ હતા પરંતુ જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા ગયા... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.