Vavમાં ખીલ્યું કમળ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની થઈ જીત....


  • Published By :
  • Published Date : 2024-11-23 14:31:27

જેની ઘણા દિવસોથી રાહ જોવાઈ રહ્યા હતા કે કોણ વાવ બેઠકની ચૂંટણી જીતશે તે સસ્પેન્સ ઉઠી ગયો છે... વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત શરૂઆતમાં આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતિમ રાઉન્ડ આવતા આવતા તેમની લીડ ઘટી ગઈ હતી અને અંતે સ્વરૂપજીની જીત થઈ છે... વાવના ધારાસભ્ય સ્વરૂપજી બન્યા છે...2500થી વધુ મતની લીડથી જીત થઇ છે.


વાવમાં જામ્યો હતો ત્રિ પાંખીયો જંગ

જ્યારથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બન્યા ત્યારથી સૌ કોઈની નજર વાવ બેઠક પર હતી.. ગેનીબેન બાદ વાવના ધારાસભ્ય કોણ બનશે તે પર બધા નજર રાખી રહ્યા હતા.. ઉમેદવાર કોણ હશે તેનો સસ્પેન્સ ઘણા સમય સુધી બંને પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો... છેક છેલ્લે પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવ્યા જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી... આ જંગ રસપ્રદ ત્યારે બની જ્યારે માવજી ચૌધરીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી... વાવમાં ત્રિં પાંખીયો જંગ જોવા મળ્યો... 



રસાકસી વાળા પરિણામ બાદ જીત્યા સ્વરૂપજી ઠાકોર

દરેક ઉમેદવારે પોત પોતાની રીતે માહોલ બનાવાની કોશિશ કરી... ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે જાણે આખે આખી ભારતીય જનતા પાર્ટી લાગી ગઈ હોય તેવું લાગ્યું.. મુખ્યમંત્રીએ પણ તેમના માટે પ્રચાર કર્યો હતો.. તો કોંગ્રેસ તરફથી પણ શક્તિસિંહ ગોહિલ,ગેનીબેન ઠાકોર,  જેવા નેતાઓએ પ્રચાર કર્યો હતો... તે સિવાય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુલાબ આપી પણ પ્રચાર કરવામાં આવ્યો હતો... તે સિવાય જ્યારે મતદાન થયું હતું તે દિવસે બંને ઉમેદવાર આમને સામને આવ્યા હતા.. તે સમયે જે વીડિયો સામે આવ્યા છે તે આપણે જોયા છે... ત્યારે આજે વાવ વિધાનસભા બેઠકનું રસાકસી વાળું પરિણામ આવ્યું છે... મતગણતરીની શરૂઆત થઈ તે સમયે ગુલાબસિંહ ઠાકોર આગળ હતા પરંતુ જેમ જેમ ઈવીએમ ખુલતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા ગયા... 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .