Ahmedabadની શોભા વધારવા એસ.જી હાઈવે પર બનાવાશે લોટસ પાર્ક, આટલા કરોડોનો કરવામાં આવશે ખર્ચ


  • Published By :
  • Published Date : 2024-02-07 16:43:07

અમદાવાદ શહેરનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં અનેક સ્થળો યાદ આવી જતા હોય છે. અમદાવાદીઓ સામાન્ય રીતે હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે અમદાવાદમાં લોટસ પાર્ક બનાવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ ફૂલો રાખવામાં આવતા હોય છે. ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે અમદાવાદના એસ.જી.હાઈવે પર લોટસ પાર્ક બનાવવામાં આવશે અને તેમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો રાખવામાં આવશે. ફૂલોની અનેક પ્રજાતિઓ રાખવામાં આવશે આ પાર્કમાં.      

News18 Gujarati

20 કરોડનું ફાળવવામાં આવ્યું બજેટ!

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્યાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. એસ.જી હાઈવે પર આવેલી જગ્યામાં લોટસ પાર્ક તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક બનાવવા માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને કમળના રૂપમાં તૈયાર કરવામાં આવશે. પાર્કનો આકાર કમળ જોવા હશે અને દરેક પાંખડીમાં વિવિધ રાજ્યોથી આવેલા ફૂલોને રાખવામાં આવશે. વિવિધ રાજ્યોના ફૂલો આપણને એક જ સ્થળ પર જોવા મળશે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે. 

News18 Gujarati

જો આ પૈસા શિક્ષણ પાછળ વાપર્યા હોત તો..!

મહત્વનું છે કે આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે શાળા બનાવવા માટે, શિક્ષણ પાછળ વાપરવા માટે સરકાર પાસે પૈસા નથી! અનેક સરકારી શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં છે તેને રિપેર નથી કરાવતા અને આવા બધા પાછળ કરોડો ખર્ચે છે



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.