Ahmedabadની શોભા વધારવા એસ.જી હાઈવે પર બનાવાશે લોટસ પાર્ક, આટલા કરોડોનો કરવામાં આવશે ખર્ચ


  • Published By :
  • Published Date : 2024-02-07 16:43:07

અમદાવાદ શહેરનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં અનેક સ્થળો યાદ આવી જતા હોય છે. અમદાવાદીઓ સામાન્ય રીતે હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે અમદાવાદમાં લોટસ પાર્ક બનાવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ ફૂલો રાખવામાં આવતા હોય છે. ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે અમદાવાદના એસ.જી.હાઈવે પર લોટસ પાર્ક બનાવવામાં આવશે અને તેમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો રાખવામાં આવશે. ફૂલોની અનેક પ્રજાતિઓ રાખવામાં આવશે આ પાર્કમાં.      

News18 Gujarati

20 કરોડનું ફાળવવામાં આવ્યું બજેટ!

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્યાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. એસ.જી હાઈવે પર આવેલી જગ્યામાં લોટસ પાર્ક તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક બનાવવા માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને કમળના રૂપમાં તૈયાર કરવામાં આવશે. પાર્કનો આકાર કમળ જોવા હશે અને દરેક પાંખડીમાં વિવિધ રાજ્યોથી આવેલા ફૂલોને રાખવામાં આવશે. વિવિધ રાજ્યોના ફૂલો આપણને એક જ સ્થળ પર જોવા મળશે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે. 

News18 Gujarati

જો આ પૈસા શિક્ષણ પાછળ વાપર્યા હોત તો..!

મહત્વનું છે કે આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે શાળા બનાવવા માટે, શિક્ષણ પાછળ વાપરવા માટે સરકાર પાસે પૈસા નથી! અનેક સરકારી શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં છે તેને રિપેર નથી કરાવતા અને આવા બધા પાછળ કરોડો ખર્ચે છે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.