Ahmedabadની શોભા વધારવા એસ.જી હાઈવે પર બનાવાશે લોટસ પાર્ક, આટલા કરોડોનો કરવામાં આવશે ખર્ચ


  • Published By :
  • Published Date : 2024-02-07 16:43:07

અમદાવાદ શહેરનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં અનેક સ્થળો યાદ આવી જતા હોય છે. અમદાવાદીઓ સામાન્ય રીતે હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે અમદાવાદમાં લોટસ પાર્ક બનાવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ ફૂલો રાખવામાં આવતા હોય છે. ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે અમદાવાદના એસ.જી.હાઈવે પર લોટસ પાર્ક બનાવવામાં આવશે અને તેમાં દેશના વિવિધ રાજ્યોના ફૂલો રાખવામાં આવશે. ફૂલોની અનેક પ્રજાતિઓ રાખવામાં આવશે આ પાર્કમાં.      

News18 Gujarati

20 કરોડનું ફાળવવામાં આવ્યું બજેટ!

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્યાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. એસ.જી હાઈવે પર આવેલી જગ્યામાં લોટસ પાર્ક તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક બનાવવા માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને કમળના રૂપમાં તૈયાર કરવામાં આવશે. પાર્કનો આકાર કમળ જોવા હશે અને દરેક પાંખડીમાં વિવિધ રાજ્યોથી આવેલા ફૂલોને રાખવામાં આવશે. વિવિધ રાજ્યોના ફૂલો આપણને એક જ સ્થળ પર જોવા મળશે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે. 

News18 Gujarati

જો આ પૈસા શિક્ષણ પાછળ વાપર્યા હોત તો..!

મહત્વનું છે કે આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકો કહેશે કે શાળા બનાવવા માટે, શિક્ષણ પાછળ વાપરવા માટે સરકાર પાસે પૈસા નથી! અનેક સરકારી શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં છે તેને રિપેર નથી કરાવતા અને આવા બધા પાછળ કરોડો ખર્ચે છે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.