મોરબીના ટંકારામાં લવ જેહાદ, હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-09-18 16:33:44

મોરબીના ટંકારામાં લવ જેહાદની ઘટના સામે આવી છે. આ સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને લઈ લોકોમાં ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે હિંદુ સંગઠનોએ ટંકારામાં જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન તથા  મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને સમગ્ર તાલુકાવાસીનો જંગી રેલીમાં જોડાવવાની હાકલ કરવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓ સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હિંદું સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.


શું છે સમગ્ર મામલો?


ટંકારાના મુમનાશેરીમાં રહેતા થયેલા વસીમ ખલીફા નામના એક વિધર્મી યુવકે શુક્રવારે સવારે એક હિંદુ યુવતીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસ મથકે તેમની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ લોકોએ  પોલીસ સમક્ષ દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.