મોરબીના ટંકારામાં લવ જેહાદ, હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-09-18 16:33:44

મોરબીના ટંકારામાં લવ જેહાદની ઘટના સામે આવી છે. આ સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને લઈ લોકોમાં ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે હિંદુ સંગઠનોએ ટંકારામાં જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન તથા  મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને સમગ્ર તાલુકાવાસીનો જંગી રેલીમાં જોડાવવાની હાકલ કરવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓ સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હિંદું સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.


શું છે સમગ્ર મામલો?


ટંકારાના મુમનાશેરીમાં રહેતા થયેલા વસીમ ખલીફા નામના એક વિધર્મી યુવકે શુક્રવારે સવારે એક હિંદુ યુવતીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસ મથકે તેમની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ લોકોએ  પોલીસ સમક્ષ દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.