મોરબીના ટંકારામાં લવ જેહાદ, હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-09-18 16:33:44

મોરબીના ટંકારામાં લવ જેહાદની ઘટના સામે આવી છે. આ સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને લઈ લોકોમાં ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે હિંદુ સંગઠનોએ ટંકારામાં જંગી રેલી અને સજ્જડ બંધનું એલાન તથા  મામલતદાર ટંકારાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને સમગ્ર તાલુકાવાસીનો જંગી રેલીમાં જોડાવવાની હાકલ કરવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓ સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ટંકારા પોલીસ મથકે ડીવાયએસપીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હિંદું સંગઠનોએ આવતીકાલની રેલી અને બંધનું એલાન હાલ પૂરતું મોકૂક રાખ્યું છે.


શું છે સમગ્ર મામલો?


ટંકારાના મુમનાશેરીમાં રહેતા થયેલા વસીમ ખલીફા નામના એક વિધર્મી યુવકે શુક્રવારે સવારે એક હિંદુ યુવતીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ ટંકારા પોલીસ મથકે તેમની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં હિંદુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ લોકોએ  પોલીસ સમક્ષ દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી