પંચમહાલ: મોરવા હડફ તાલુકાના પરબીયા ગામે પ્રેમી યુગલને થાંભલે બાંધીને ફટકારતા હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-21 22:09:53

આદિવાસી વિસ્તારમાં અવાર નવાર સમાચાર આવતા રહે છે જેમાં યુવક કે યુવતીઓને ઝાડ સાથે કે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવતો હોય છે. મીડિયામાં આવી ઘટના સામે આવે એટલે તેને તાલીબાની સજાના રૂપમાં જોવામાં આવે છે અને કહેવાય છે કે ફલાણા ફલાણા જગ્યા પણ ફલાણી વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે, આવી ઘટનાઓ શા માટે થઈ રહી છે તે તો ખબર નથી પણ અવાર નવાર સામે આવતી હોય છે. પંચમહાલના મોરવા હડફના વાડોદરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?


મોરવા હડફનું નાનું એવું ગામ ગાજીપુર જેમાં આશિષ બારિયા નામનો વ્યક્તિ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આશિષના પત્નીનું નામ કોકીલાબેન છે અને કોકીલાબેનથી તેમને ત્રણ સંતાનો પણ છે. આશિષને પોતાના ગામમાં રહેતી ભાવના સાથે પ્રેમ થયો, બે વર્ષથી 3 છોકરાઓનો બાપ ભાવનાના પ્રેમમાં હતો. બંને એક જ ગામના હતા તો બંનેના લગ્ન થાય એવું શક્ય ન હતું તો બંનેએ મરજીથી ભાગી જવાનું નક્કી કર્યું. બંને લોકો 22 મેના ભાગીને અમદાવાદ આવતા રહ્યા હતા. અમદાવાદમાં બંને પ્રેમી સાથે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. સુખેથી જીવન ચાલી રહ્યું હતું પણ એક દિવસ તેના સાળા સુરેશ બારિયાનો ફોન આવ્યો હતો કે તમે અમારા ગામની છોકરી લઈને ભાગી ગયા છો એટલે અમે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રેલો આવતા આશિષ બારૈયા છોકરી સાથે પરબિયા આવવા નિકળ્યો હતો ત્યારે 17 જુલાઈએ પરબિયામાં બંને પ્રેમી પંખિડાને ગાળો આપી હતી. ગાળોથી મનના ભરાયું તો આશિષના સાળાઓએ બંનેને ગામના થાંભલા સાથે દોરડાથી બાંધ્યા અને લાકડીઓથી ફટકા માર્યા. બીજા લોકોનું ધ્યાન પડતા બંનેને બચાવવા દોડી આવ્યા હતા અને બંને પ્રેમીઓને ગામના લોકોએ છોડાવ્યા હતા. ઘટના બાદ આશિષ ગામડે પહોંચ્યો હતો જ્યાં તેમના ઘરવાળાઓએ સલાહ આપી હતી કે તમે પોલીસ ફરિયાદ કરો પછી આશિષે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે નોંધ્યા બાદ મોરવા હડફ પોલીસે 18 લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તમામને પકડી પાડ્યા હતા.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.