પંચમહાલ: મોરવા હડફ તાલુકાના પરબીયા ગામે પ્રેમી યુગલને થાંભલે બાંધીને ફટકારતા હોબાળો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-21 22:09:53

આદિવાસી વિસ્તારમાં અવાર નવાર સમાચાર આવતા રહે છે જેમાં યુવક કે યુવતીઓને ઝાડ સાથે કે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવતો હોય છે. મીડિયામાં આવી ઘટના સામે આવે એટલે તેને તાલીબાની સજાના રૂપમાં જોવામાં આવે છે અને કહેવાય છે કે ફલાણા ફલાણા જગ્યા પણ ફલાણી વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે, આવી ઘટનાઓ શા માટે થઈ રહી છે તે તો ખબર નથી પણ અવાર નવાર સામે આવતી હોય છે. પંચમહાલના મોરવા હડફના વાડોદરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?


મોરવા હડફનું નાનું એવું ગામ ગાજીપુર જેમાં આશિષ બારિયા નામનો વ્યક્તિ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આશિષના પત્નીનું નામ કોકીલાબેન છે અને કોકીલાબેનથી તેમને ત્રણ સંતાનો પણ છે. આશિષને પોતાના ગામમાં રહેતી ભાવના સાથે પ્રેમ થયો, બે વર્ષથી 3 છોકરાઓનો બાપ ભાવનાના પ્રેમમાં હતો. બંને એક જ ગામના હતા તો બંનેના લગ્ન થાય એવું શક્ય ન હતું તો બંનેએ મરજીથી ભાગી જવાનું નક્કી કર્યું. બંને લોકો 22 મેના ભાગીને અમદાવાદ આવતા રહ્યા હતા. અમદાવાદમાં બંને પ્રેમી સાથે રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા. સુખેથી જીવન ચાલી રહ્યું હતું પણ એક દિવસ તેના સાળા સુરેશ બારિયાનો ફોન આવ્યો હતો કે તમે અમારા ગામની છોકરી લઈને ભાગી ગયા છો એટલે અમે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રેલો આવતા આશિષ બારૈયા છોકરી સાથે પરબિયા આવવા નિકળ્યો હતો ત્યારે 17 જુલાઈએ પરબિયામાં બંને પ્રેમી પંખિડાને ગાળો આપી હતી. ગાળોથી મનના ભરાયું તો આશિષના સાળાઓએ બંનેને ગામના થાંભલા સાથે દોરડાથી બાંધ્યા અને લાકડીઓથી ફટકા માર્યા. બીજા લોકોનું ધ્યાન પડતા બંનેને બચાવવા દોડી આવ્યા હતા અને બંને પ્રેમીઓને ગામના લોકોએ છોડાવ્યા હતા. ઘટના બાદ આશિષ ગામડે પહોંચ્યો હતો જ્યાં તેમના ઘરવાળાઓએ સલાહ આપી હતી કે તમે પોલીસ ફરિયાદ કરો પછી આશિષે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે નોંધ્યા બાદ મોરવા હડફ પોલીસે 18 લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તમામને પકડી પાડ્યા હતા.  



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.