LPG સિલિન્ડરના ભાવ 4 વર્ષમાં 56 ટકા વધ્યા, પણ સબસિડી જબરદસ્ત ઘટી, આંકડા શું કહે છે, જાણો


  • Published By :
  • Published Date : 2023-03-05 17:30:12

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાની વૃધ્ધી કરી છે. સરકારે આ ભાવ વધારો કર્યા બાદ LPG સિલિન્ડરની કિંમત  1,103 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પરંતું આંકડા પરથી જાણવા મળે છે કે સિલિન્ડરની કિંમતોમાં છેલ્લા 4 વર્ષમાં લગભગ 56 ટકાનો વધારો થયો છે.


4 વર્ષમાં ભાવ વધારાનો સીલસીલો 


દેશભરમાં 1 એપ્રિલ, 2019ના રોજ સ્થાનિક LPG સિલિન્ડર (14.2 કિગ્રા)ની છૂટક વેચાણ કિંમત 706.50 રૂપિયા હતી. 2020માં તે વધીને 744 રૂપિયા થઈ ગઈ. આ પછી 2021માં 809 રૂપિયા અને 2022માં 949.50 રૂપિયા થઈ ગયા. આ વર્ષે 1 માર્ચે કિંમત 1,053 રૂપિયા હતી જે વધીને હવે 1,103 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે, સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં LPG પરની કુલ સબસિડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


ભાવ વધ્યા પણ સબસિડી ઘટી


છેલ્લા ચાર વર્ષમાં સરકાર દ્વારા આપવામાં આવેલી LPG પર સબસિડીના આંકડા પરથી જાણવા મળે છે કે 2018-19માં તે 37,209 કરોડ રૂપિયા હતી. 2019-20માં તે ઘટીને રૂ. 24,172 કરોડ, 2020-21માં રૂ. 11,896 કરોડ અને 2021-22માં તે ઘટીને રૂ. 1,811 કરોડ રહી ગઈ છે.


ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ કનેક્શન


પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ  કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) 2016 હેઠળ દેશભરમાં ગરીબ પરિવારોને સસ્તા દરે LPG કનેક્શન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે હેઠળ સમગ્ર દેશમાં 8 કરોડ LPG કનેક્શન આપવામાં આવ્યા છે. ઉજ્જવલા 2.0 હેઠળ 1 ફેબ્રુઆરી 2023 સુધીમાં 1.6 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. COVID-19 રોગચાળા દરમિયાન ગરીબ સહાય સ્વરૂપે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) હેઠળ 1 એપ્રિલ, 2020 થી ઉજ્જવલા લાભાર્થીઓને ત્રણ મફત એલપીજી રિફિલ પ્રદાન કરવાની યોજનાની જાહેરાત કરી હતી.


કંપનીઓએ લાભાર્થીઓને આપ્યા રૂ. 9670.41 કરોડ


દેશની અગ્રણી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ  (OMC)એ LPG રિફિલ ખરીદવા માટે PMUY લાભાર્થીઓના બેંક ખાતામાં 9670.41 કરોડ ટ્રાન્સફર કર્યા છે. PMUY હેઠળ લાભાર્થીઓએ 14.17 કરોડ રિફીલનો લાભ લીધો છે. PMUY લાભાર્થીઓમાં LPG ના ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરવા માટે, મે 2022 થી, સરકારે PMUY ગ્રાહકોને નાણાકીય વર્ષ 2022-23 માટે એક વર્ષમાં 12 સુધીના રિફિલ માટે પ્રતિ 14.2 કિલો રિફિલ દીઠ રૂ. 200ની વધારાની સબસિડી શરૂ કરી છે. જો કે PMUYના કારણે સરકારી ઓઈલ કંપનીઓ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આ કારણે સરકારે તાજેતરમાં જ કંપનીઓને 22000 કરોડ રૂપિયાની એક વખતના વળતરને મંજૂરી આપી છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.