પડતા પર પાટું : પહેલા ગેસ સબસિડી બંધ, હવે સરકારે સિલિન્ડરની સંખ્યા પણ મર્યાદિત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:33:55

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોની રાંધણ ગેસની સબસિડી પણ કેન્દ્ર સરકારે બંધ કરી. હવે  કેન્દ્ર સરકારે જનતાની મુસીબત વધારતો બીજે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હવે વર્ષ દરમિયાન એક પરિવાર દીઠ માત્ર 15 એલપીજી સિલિન્ડર જ આપશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા નોન-ઉજ્જવલા કેટેગરીના ગ્રાહકો કે જેમનો પરિવાર મોટો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડશે.


15 LPG સિલિન્ડર લેવા માટે કારણ જણાવવું ફરજિયાત


એલપીજી સિલિન્ડરના વપરાશને લઈને કેપિંગ સિસ્ટમ લાગુ થવાથી માત્ર 15 એલપીજી સિલિન્ડર જ મળશે. આનાથી વધુ સિલિન્ડર લેવા માટે ગ્રાહકે કારણ જણાવવું પડશે અને દસ્તાવેજો પણ આપવા પડશે. રેશન કાર્ડ સંબંધિત દસ્તાવેજો, પરિવારના સભ્યોની સંખ્યાની વિગતો આપવાની રહેશે. આ દસ્તાવેજોની વિગતો વિતરક દ્વારા ચકાસવામાં આવશે. આ પછી જ 15 થી વધુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે.નવા નિયમ હેઠળ ગ્રાહકો મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. સામાન્ય પ્રક્રિયા હેઠળ એક વર્ષમાં કુલ 15 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે. જો કે એક વર્ષમાં 15 થી વધુ એલપીજી સિલિન્ડર લેવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.


તમામ ગેસ કંપનીઓ માટે નિયમોનું પાલન અનિવાર્ય


કેપિંગ સિસ્ટમ તમામ તેલ અને ગેસ કંપનીઓ માટે છે. આ નિયમો IOCL, HPCL તેમજ BPCL ના તમામ નોન ઉજ્જવલા ગ્રાહકોને લાગુ પડશે. આ અંગે IOCLના જનરલ મેનેજરેવ નવા નિયમોના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ અંગે સૂચના મળ્યા બાદ જ આ નિયમો અમલમાં આવશે. જો કે, કેટલાક ગ્રાહકોએ કહ્યું કે IOCLના સોફ્ટવેર SDMS દ્વારા 15 એલપીજી સિલિન્ડર લીધા હોય તેવા ગ્રાહકોનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.