પડતા પર પાટું : પહેલા ગેસ સબસિડી બંધ, હવે સરકારે સિલિન્ડરની સંખ્યા પણ મર્યાદિત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:33:55

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોની રાંધણ ગેસની સબસિડી પણ કેન્દ્ર સરકારે બંધ કરી. હવે  કેન્દ્ર સરકારે જનતાની મુસીબત વધારતો બીજે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હવે વર્ષ દરમિયાન એક પરિવાર દીઠ માત્ર 15 એલપીજી સિલિન્ડર જ આપશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા નોન-ઉજ્જવલા કેટેગરીના ગ્રાહકો કે જેમનો પરિવાર મોટો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડશે.


15 LPG સિલિન્ડર લેવા માટે કારણ જણાવવું ફરજિયાત


એલપીજી સિલિન્ડરના વપરાશને લઈને કેપિંગ સિસ્ટમ લાગુ થવાથી માત્ર 15 એલપીજી સિલિન્ડર જ મળશે. આનાથી વધુ સિલિન્ડર લેવા માટે ગ્રાહકે કારણ જણાવવું પડશે અને દસ્તાવેજો પણ આપવા પડશે. રેશન કાર્ડ સંબંધિત દસ્તાવેજો, પરિવારના સભ્યોની સંખ્યાની વિગતો આપવાની રહેશે. આ દસ્તાવેજોની વિગતો વિતરક દ્વારા ચકાસવામાં આવશે. આ પછી જ 15 થી વધુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે.નવા નિયમ હેઠળ ગ્રાહકો મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. સામાન્ય પ્રક્રિયા હેઠળ એક વર્ષમાં કુલ 15 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે. જો કે એક વર્ષમાં 15 થી વધુ એલપીજી સિલિન્ડર લેવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.


તમામ ગેસ કંપનીઓ માટે નિયમોનું પાલન અનિવાર્ય


કેપિંગ સિસ્ટમ તમામ તેલ અને ગેસ કંપનીઓ માટે છે. આ નિયમો IOCL, HPCL તેમજ BPCL ના તમામ નોન ઉજ્જવલા ગ્રાહકોને લાગુ પડશે. આ અંગે IOCLના જનરલ મેનેજરેવ નવા નિયમોના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ અંગે સૂચના મળ્યા બાદ જ આ નિયમો અમલમાં આવશે. જો કે, કેટલાક ગ્રાહકોએ કહ્યું કે IOCLના સોફ્ટવેર SDMS દ્વારા 15 એલપીજી સિલિન્ડર લીધા હોય તેવા ગ્રાહકોનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.