પડતા પર પાટું : પહેલા ગેસ સબસિડી બંધ, હવે સરકારે સિલિન્ડરની સંખ્યા પણ મર્યાદિત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:33:55

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોની રાંધણ ગેસની સબસિડી પણ કેન્દ્ર સરકારે બંધ કરી. હવે  કેન્દ્ર સરકારે જનતાની મુસીબત વધારતો બીજે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હવે વર્ષ દરમિયાન એક પરિવાર દીઠ માત્ર 15 એલપીજી સિલિન્ડર જ આપશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા નોન-ઉજ્જવલા કેટેગરીના ગ્રાહકો કે જેમનો પરિવાર મોટો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડશે.


15 LPG સિલિન્ડર લેવા માટે કારણ જણાવવું ફરજિયાત


એલપીજી સિલિન્ડરના વપરાશને લઈને કેપિંગ સિસ્ટમ લાગુ થવાથી માત્ર 15 એલપીજી સિલિન્ડર જ મળશે. આનાથી વધુ સિલિન્ડર લેવા માટે ગ્રાહકે કારણ જણાવવું પડશે અને દસ્તાવેજો પણ આપવા પડશે. રેશન કાર્ડ સંબંધિત દસ્તાવેજો, પરિવારના સભ્યોની સંખ્યાની વિગતો આપવાની રહેશે. આ દસ્તાવેજોની વિગતો વિતરક દ્વારા ચકાસવામાં આવશે. આ પછી જ 15 થી વધુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે.નવા નિયમ હેઠળ ગ્રાહકો મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. સામાન્ય પ્રક્રિયા હેઠળ એક વર્ષમાં કુલ 15 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે. જો કે એક વર્ષમાં 15 થી વધુ એલપીજી સિલિન્ડર લેવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.


તમામ ગેસ કંપનીઓ માટે નિયમોનું પાલન અનિવાર્ય


કેપિંગ સિસ્ટમ તમામ તેલ અને ગેસ કંપનીઓ માટે છે. આ નિયમો IOCL, HPCL તેમજ BPCL ના તમામ નોન ઉજ્જવલા ગ્રાહકોને લાગુ પડશે. આ અંગે IOCLના જનરલ મેનેજરેવ નવા નિયમોના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ અંગે સૂચના મળ્યા બાદ જ આ નિયમો અમલમાં આવશે. જો કે, કેટલાક ગ્રાહકોએ કહ્યું કે IOCLના સોફ્ટવેર SDMS દ્વારા 15 એલપીજી સિલિન્ડર લીધા હોય તેવા ગ્રાહકોનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .