પડતા પર પાટું : પહેલા ગેસ સબસિડી બંધ, હવે સરકારે સિલિન્ડરની સંખ્યા પણ મર્યાદિત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:33:55

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોની રાંધણ ગેસની સબસિડી પણ કેન્દ્ર સરકારે બંધ કરી. હવે  કેન્દ્ર સરકારે જનતાની મુસીબત વધારતો બીજે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર હવે વર્ષ દરમિયાન એક પરિવાર દીઠ માત્ર 15 એલપીજી સિલિન્ડર જ આપશે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને એવા નોન-ઉજ્જવલા કેટેગરીના ગ્રાહકો કે જેમનો પરિવાર મોટો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડશે.


15 LPG સિલિન્ડર લેવા માટે કારણ જણાવવું ફરજિયાત


એલપીજી સિલિન્ડરના વપરાશને લઈને કેપિંગ સિસ્ટમ લાગુ થવાથી માત્ર 15 એલપીજી સિલિન્ડર જ મળશે. આનાથી વધુ સિલિન્ડર લેવા માટે ગ્રાહકે કારણ જણાવવું પડશે અને દસ્તાવેજો પણ આપવા પડશે. રેશન કાર્ડ સંબંધિત દસ્તાવેજો, પરિવારના સભ્યોની સંખ્યાની વિગતો આપવાની રહેશે. આ દસ્તાવેજોની વિગતો વિતરક દ્વારા ચકાસવામાં આવશે. આ પછી જ 15 થી વધુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે.નવા નિયમ હેઠળ ગ્રાહકો મહિનામાં માત્ર બે સિલિન્ડર લઈ શકશે. સામાન્ય પ્રક્રિયા હેઠળ એક વર્ષમાં કુલ 15 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ થશે. જો કે એક વર્ષમાં 15 થી વધુ એલપીજી સિલિન્ડર લેવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.


તમામ ગેસ કંપનીઓ માટે નિયમોનું પાલન અનિવાર્ય


કેપિંગ સિસ્ટમ તમામ તેલ અને ગેસ કંપનીઓ માટે છે. આ નિયમો IOCL, HPCL તેમજ BPCL ના તમામ નોન ઉજ્જવલા ગ્રાહકોને લાગુ પડશે. આ અંગે IOCLના જનરલ મેનેજરેવ નવા નિયમોના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ અંગે સૂચના મળ્યા બાદ જ આ નિયમો અમલમાં આવશે. જો કે, કેટલાક ગ્રાહકોએ કહ્યું કે IOCLના સોફ્ટવેર SDMS દ્વારા 15 એલપીજી સિલિન્ડર લીધા હોય તેવા ગ્રાહકોનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.