Election effect: LPG સિલિન્ડરના ભાવમાં રૂ.200નો ઘટાડો, ઉજ્જવલા લાભાર્થીઓને પણ થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2023-08-29 20:14:37

આ વર્ષે દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના જેવા મહત્વના 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 2024ની શરૂઆતમાં લોકસભાની ચૂંટણી પણ છે. આ સ્થિતિમાં મોંઘવારી એક મોટો ચૂંટણી મુદ્દો છે. વિપક્ષો પણ  કમર તોડ મોંઘવારી અને રાંધણગેસના ભાવના મુદ્દા પર મોદી સરકાર પર પ્રહારો કરે છે ત્યારે મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઉજ્જવલા યોજનાના 10.35 કરોડ લાભાર્થીઓને બમણો લાભ મળશે. તેમને સિલિન્ડર માર્કેટ રેટ કરતા 400 રૂપિયા સસ્તું મળશે. અનુરાગ ઠાકુરે સરકારના આ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે. 


ઉજ્જવલા લાભાર્થીઓને બમણો લાભ


ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ મળી રહેલી 200 રૂપિયાની સબસિડી ચાલુ રહેશે. પહેલેથી જ મળેલી સબસિડી સિવાય, આ યોજનાના તમામ ગ્રાહકોને રૂ.200ની વધારાની સબસિડી મળશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટના આ નિર્ણય બાદ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની સબસિડી મળશે. ઉલ્લેખનિય છે કે ઉજ્જવલા યોજના હેઠળ દેશભરમાં 9 કરોડ 60 લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં 400 રૂપિયા આવશે. એટલે કે તેમને સિલિન્ડર માટે 703 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, ઉજ્જવલા ગ્રાહકો માટે 400 રૂપિયાની સબસિડી અને અન્ય ગ્રાહકો માટે 200 રૂપિયાની સબસિડી મળશે.


LPG પર સબસિડી તો બંધ છે


ઉલ્લેખનિય છે કે દેશના મોટા ભાગના લોકોને જૂન, 2020થી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી નથી. હવે માત્ર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર અપાતાં લોકોને જ 200 રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ 6,100 કરોડ રૂપિયા ખર્ચે છે. જૂન 2020માં દિલ્હીમાં સબસિડી વિનાનું સિલિન્ડર 593 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1103 રૂપિયાનું થઈ ગયું છે.


રાજ્યના 4 મોટા શહેરમાં શું છે ભાવ?


ગુજરાતમાં વિવિધ મોટા શહેરોમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો જોવામાં આવે તો. અમદાવાદમાં 1110 રુપિયા પ્રતિ સિલિન્ડર, ભાવનગરમાં 1111 રુપિયા પ્રતિ સિલિન્ડર, ગાંધીનગરમાં 1110.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, જામનગરમાં 1115.50 રુપિયા પ્રતિ સિલિન્ડર, રાજકોટમાં 1108 રુપિયા પ્રતિ સિલિન્ડર, સુરતમાં 1108.50 રુપિયા પ્રતિ સિલિન્ડર અને વડોદરામાં 1109 રુપિયા પ્રતિ સિલિન્ડર ગેસની કિંમતો જોવા મળે છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .