તહેવાર સમયે વધ્યા LPG Cylinderના ભાવ, 100 રુપિયાથી વધારેનો થયો વધારો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર આની અસર થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-01 11:35:48

મોંઘવારી સતત વધી રહી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે વાયદા કરવામાં આવતા હતા કે મોંઘવારીને કંટ્રોલ કરવામાં આવશે. માત્ર થોડા દિવસોમાં મોંઘવારી પર અંકુશ લાગશે વગેરે વગેરે... પરંતુ પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. થોડા દિવસો બાદ તહેવારોની સિઝન શરૂ થવાની છે અને તે પહેલા મોંઘવારીએ માઝા મૂકી છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. પેટ્રોલિયમ કંપનીએ ફરી એક વખત ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડના ભાવમાં 100 રુપિયા કરતા વધુનો ભાવ વધારો કરાયો છે. મહત્વનું છે કે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો તોતિંગ ભાવ વધારો 

દિવાળીના તહેવારને ભલે માત્ર ગણતરીના દિવસો બાકી છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જ્યારે આપણે કોઈ સામાન ઘરે લાવતા હોઈએ છીએ ત્યારે જો કોઈ વડીલ તે ભાવને સાંભળે તો તે અનેક વખત કહેતા હોય છે કે અમારા વખતે આટલી મોંઘવારી ન હતી. ખેર એ વખતની વાત અલગ હતી અને આજની વાત અલગ છે. ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં 100રુપિયાથી વધારેનો ભાવ ઝિંકાયો છે.19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવ પેટ્રેલિયમ કંપની દ્વારા વધારવામાં આવ્યા છે.   



ગેસ સિલિન્ડર માટે આટલા ચૂકવવા પડશે પૈસા 

આજથી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1833 રૂપિયા હશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તે વધીને 1785.50 રૂપિયા થયો છે. જે પહેલા 1684 રૂપિયા હતો. કોલકાતામાં 1839.50 રૂપિયાની જગ્યાએ હવે તે 1943 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ છે. જે પહેલા 1898 રૂપિયા હતી. મહત્વનું છે કે ઓક્ટોબર મહિનામાં અનેક રૂપિયાનો ભાવ વધારો ઝિંકાયો હતો. 


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી કરાયો ફેરફાર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરાયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેલ કંપનીઓ દર મહિને ભાવ નક્કી કરતી હોય છે. તેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પણ આવી ગયા અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ પણ આવી ગયા.. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટલોમાં, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર વધારે થતો હોય છે. ત્યારે તે જગ્યા પર વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.