તહેવાર સમયે વધ્યા LPG Cylinderના ભાવ, 100 રુપિયાથી વધારેનો થયો વધારો, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર આની અસર થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-01 11:35:48

મોંઘવારી સતત વધી રહી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે વાયદા કરવામાં આવતા હતા કે મોંઘવારીને કંટ્રોલ કરવામાં આવશે. માત્ર થોડા દિવસોમાં મોંઘવારી પર અંકુશ લાગશે વગેરે વગેરે... પરંતુ પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. થોડા દિવસો બાદ તહેવારોની સિઝન શરૂ થવાની છે અને તે પહેલા મોંઘવારીએ માઝા મૂકી છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. પેટ્રોલિયમ કંપનીએ ફરી એક વખત ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડના ભાવમાં 100 રુપિયા કરતા વધુનો ભાવ વધારો કરાયો છે. મહત્વનું છે કે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો તોતિંગ ભાવ વધારો 

દિવાળીના તહેવારને ભલે માત્ર ગણતરીના દિવસો બાકી છે. મોંઘવારીનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. જ્યારે આપણે કોઈ સામાન ઘરે લાવતા હોઈએ છીએ ત્યારે જો કોઈ વડીલ તે ભાવને સાંભળે તો તે અનેક વખત કહેતા હોય છે કે અમારા વખતે આટલી મોંઘવારી ન હતી. ખેર એ વખતની વાત અલગ હતી અને આજની વાત અલગ છે. ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં 100રુપિયાથી વધારેનો ભાવ ઝિંકાયો છે.19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવ પેટ્રેલિયમ કંપની દ્વારા વધારવામાં આવ્યા છે.   



ગેસ સિલિન્ડર માટે આટલા ચૂકવવા પડશે પૈસા 

આજથી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1833 રૂપિયા હશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તે વધીને 1785.50 રૂપિયા થયો છે. જે પહેલા 1684 રૂપિયા હતો. કોલકાતામાં 1839.50 રૂપિયાની જગ્યાએ હવે તે 1943 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ છે. જે પહેલા 1898 રૂપિયા હતી. મહત્વનું છે કે ઓક્ટોબર મહિનામાં અનેક રૂપિયાનો ભાવ વધારો ઝિંકાયો હતો. 


ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નથી કરાયો ફેરફાર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરાયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેલ કંપનીઓ દર મહિને ભાવ નક્કી કરતી હોય છે. તેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પણ આવી ગયા અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ પણ આવી ગયા.. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટલોમાં, રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર વધારે થતો હોય છે. ત્યારે તે જગ્યા પર વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.