શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે? જાણો ક્યારે જાહેરાત થઈ શકે છે


  • Published By :
  • Published Date : 2023-09-08 19:17:57

કમરતોડ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવી શકે છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવાનો મોટો નિર્ણય કરે તેવી સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કિંમતોમાં જ LPG સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરી હતી. હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.  દેશના એક જાણીતા બ્રોકરેજ ફર્મે પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ઘટાડાની ઘોષણા કરી શકે છે. જો આવું થાય તો લોકો માટે મોટા રાહતના સમાચાર કહીં શકાય.


શા માટે સંભાવના પ્રબળ બની 


રાજકિય નિષ્ણાતો અને આર્થિક બાબતોના વિષ્લેષકોના જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.  ત્યાર બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતીમાં સરકારને પણ મોંઘવારીની ચિંતા સતાવી રહી છે.  ચૂંટણીઓમાં મોંઘવારીનો મુદ્દો ન વકરે તે માટે મોદી સરકાર સતર્ક છે. આ માટે ફેસ્ટિવ સીઝનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે.  જો પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવો પર નજર કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો એક લિટરની કિંમતમાં 3 થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો તે જનતા માટે મોટી ભેટ હશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.