શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે? જાણો ક્યારે જાહેરાત થઈ શકે છે


  • Published By :
  • Published Date : 2023-09-08 19:17:57

કમરતોડ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવી શકે છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવાનો મોટો નિર્ણય કરે તેવી સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કિંમતોમાં જ LPG સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરી હતી. હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.  દેશના એક જાણીતા બ્રોકરેજ ફર્મે પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ઘટાડાની ઘોષણા કરી શકે છે. જો આવું થાય તો લોકો માટે મોટા રાહતના સમાચાર કહીં શકાય.


શા માટે સંભાવના પ્રબળ બની 


રાજકિય નિષ્ણાતો અને આર્થિક બાબતોના વિષ્લેષકોના જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.  ત્યાર બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતીમાં સરકારને પણ મોંઘવારીની ચિંતા સતાવી રહી છે.  ચૂંટણીઓમાં મોંઘવારીનો મુદ્દો ન વકરે તે માટે મોદી સરકાર સતર્ક છે. આ માટે ફેસ્ટિવ સીઝનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે.  જો પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવો પર નજર કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો એક લિટરની કિંમતમાં 3 થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો તે જનતા માટે મોટી ભેટ હશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .