શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે? જાણો ક્યારે જાહેરાત થઈ શકે છે


  • Published By :
  • Published Date : 2023-09-08 19:17:57

કમરતોડ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવી શકે છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવાનો મોટો નિર્ણય કરે તેવી સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કિંમતોમાં જ LPG સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરી હતી. હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.  દેશના એક જાણીતા બ્રોકરેજ ફર્મે પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ઘટાડાની ઘોષણા કરી શકે છે. જો આવું થાય તો લોકો માટે મોટા રાહતના સમાચાર કહીં શકાય.


શા માટે સંભાવના પ્રબળ બની 


રાજકિય નિષ્ણાતો અને આર્થિક બાબતોના વિષ્લેષકોના જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.  ત્યાર બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતીમાં સરકારને પણ મોંઘવારીની ચિંતા સતાવી રહી છે.  ચૂંટણીઓમાં મોંઘવારીનો મુદ્દો ન વકરે તે માટે મોદી સરકાર સતર્ક છે. આ માટે ફેસ્ટિવ સીઝનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે.  જો પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવો પર નજર કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો એક લિટરની કિંમતમાં 3 થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો તે જનતા માટે મોટી ભેટ હશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.