શું LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે? જાણો ક્યારે જાહેરાત થઈ શકે છે


  • Published By :
  • Published Date : 2023-09-08 19:17:57

કમરતોડ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવી શકે છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવાનો મોટો નિર્ણય કરે તેવી સંભાવના પ્રબળ બની છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કિંમતોમાં જ LPG સિલિન્ડરના ભાવમાં મોટા ઘટાડાની જાહેરાત કરી હતી. હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે તેવી આશા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.  દેશના એક જાણીતા બ્રોકરેજ ફર્મે પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ઘટાડાની ઘોષણા કરી શકે છે. જો આવું થાય તો લોકો માટે મોટા રાહતના સમાચાર કહીં શકાય.


શા માટે સંભાવના પ્રબળ બની 


રાજકિય નિષ્ણાતો અને આર્થિક બાબતોના વિષ્લેષકોના જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.  ત્યાર બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતીમાં સરકારને પણ મોંઘવારીની ચિંતા સતાવી રહી છે.  ચૂંટણીઓમાં મોંઘવારીનો મુદ્દો ન વકરે તે માટે મોદી સરકાર સતર્ક છે. આ માટે ફેસ્ટિવ સીઝનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાની જાહેરાત થઈ શકે છે.  જો પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવો પર નજર કરીએ તો, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો એક લિટરની કિંમતમાં 3 થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો તે જનતા માટે મોટી ભેટ હશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.