પોતાની પડતર માગણીને લઈ LRD ઉમેદવાર પહોંચ્યા ગાંધીનગર


  • Published By :
  • Published Date : 2023-01-10 14:42:25

છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે વિવિધ ક્ષેત્રોના લોકો આંદોલન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના સમયે આંદોલનકારીઓએ ગાંધીનગર ઘેરી લીઘું હતું. પોતાની પડતર માગ લઈ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યારે ફરી એક વખત આંદોલન શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. ગાંઘીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી 2022ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યું હતું. 


LRD 2022ના ઉમેદવારોએ કર્યો ગાંધીનગરનો ઘેરાવો 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ફરી એક વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે પોતાની પડતર માગણીઓને લઈ વિવિધ ક્ષેત્રોના લોકોએ ગાંધીનગરને ઘેરી લીધું હતું. ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. આજે ફરી એક વખત LRD 2022ના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કૂચ કરી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્રણથી 4 મહિનાથી લટકી પડેલા કોમન ઉમેદવારોનું નિરાકરણ લાવવા માગ કરી હતી. 


ફરી એક વખત ગુજરાતમાં શરૂ થશે આંદોલનનો દોર??

ઘણા સમયથી તેઓ સરકાર સમક્ષ પોતાની માગ રાખી રહ્યા હતા. પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હતું. ત્યારે પોતાની માગણીને લઈ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. સમસ્યાનું નિરાકરણ  ન આવતા તેમણે આંદોલનનો માર્ગ પકડ્યો છે. પરંતુ એકત્ર થયેલા ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.