પોતાની પડતર માગણીને લઈ LRD ઉમેદવાર પહોંચ્યા ગાંધીનગર


  • Published By :
  • Published Date : 2023-01-10 14:42:25

છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે વિવિધ ક્ષેત્રોના લોકો આંદોલન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના સમયે આંદોલનકારીઓએ ગાંધીનગર ઘેરી લીઘું હતું. પોતાની પડતર માગ લઈ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યારે ફરી એક વખત આંદોલન શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. ગાંઘીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી 2022ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યું હતું. 


LRD 2022ના ઉમેદવારોએ કર્યો ગાંધીનગરનો ઘેરાવો 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ફરી એક વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે પોતાની પડતર માગણીઓને લઈ વિવિધ ક્ષેત્રોના લોકોએ ગાંધીનગરને ઘેરી લીધું હતું. ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. આજે ફરી એક વખત LRD 2022ના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કૂચ કરી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્રણથી 4 મહિનાથી લટકી પડેલા કોમન ઉમેદવારોનું નિરાકરણ લાવવા માગ કરી હતી. 


ફરી એક વખત ગુજરાતમાં શરૂ થશે આંદોલનનો દોર??

ઘણા સમયથી તેઓ સરકાર સમક્ષ પોતાની માગ રાખી રહ્યા હતા. પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હતું. ત્યારે પોતાની માગણીને લઈ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. સમસ્યાનું નિરાકરણ  ન આવતા તેમણે આંદોલનનો માર્ગ પકડ્યો છે. પરંતુ એકત્ર થયેલા ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.