પોતાની પડતર માગણીને લઈ LRD ઉમેદવાર પહોંચ્યા ગાંધીનગર


  • Published By :
  • Published Date : 2023-01-10 14:42:25

છેલ્લા ઘણા સમયથી પોતાની માગ સાથે વિવિધ ક્ષેત્રોના લોકો આંદોલન કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના સમયે આંદોલનકારીઓએ ગાંધીનગર ઘેરી લીઘું હતું. પોતાની પડતર માગ લઈ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યા હતા. ત્યારે ફરી એક વખત આંદોલન શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. ગાંઘીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી 2022ના ઉમેદવારોએ હલ્લાબોલ કર્યું હતું. 


LRD 2022ના ઉમેદવારોએ કર્યો ગાંધીનગરનો ઘેરાવો 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ફરી એક વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે પોતાની પડતર માગણીઓને લઈ વિવિધ ક્ષેત્રોના લોકોએ ગાંધીનગરને ઘેરી લીધું હતું. ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. આજે ફરી એક વખત LRD 2022ના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે કૂચ કરી હતી. મોટી સંખ્યામાં ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્રણથી 4 મહિનાથી લટકી પડેલા કોમન ઉમેદવારોનું નિરાકરણ લાવવા માગ કરી હતી. 


ફરી એક વખત ગુજરાતમાં શરૂ થશે આંદોલનનો દોર??

ઘણા સમયથી તેઓ સરકાર સમક્ષ પોતાની માગ રાખી રહ્યા હતા. પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હતું. ત્યારે પોતાની માગણીને લઈ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. સમસ્યાનું નિરાકરણ  ન આવતા તેમણે આંદોલનનો માર્ગ પકડ્યો છે. પરંતુ એકત્ર થયેલા ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.