આચાર સંહિતાના કારણે LRD-PSIના ઉમેદવારોને નિમણૂક પત્રો માટે જોવી પડશે રાહ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:47:23

ગુજરાતના LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવરો માટે સમાચાર આવી રહ્યા છે કે આચાર સંહિતાના કારણે  LRD અને PSIના ઉમેદવારોની નિમણૂકમાં વિલંબ થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે માટે ગુજરાત રાજ્ય સરકાર હવે કોઈ યોજનાઓ અથવા જાહેરાતો બહાર પાડી નહીં શકે. 


નિમણૂક માટે ચૂંટણી પૂરી થવાની રાહ જોવી પડશે 

ગુજરાત સરકારે હમણા 29 ઓક્ટોબરે જ ગાંધીનગરની કરાઈ ખાતે  LRD અને PSIની પસંદગી પામેલા ઉમેદવારોને પસંદગી પત્ર આપ્યા હતા. પસંદગી બાદ હવે તેમનું મેડિકલ ચેકઅપ થશે અને ત્યાર બાદ તમામને નિમણૂક પત્ર આપવામાં આવશે. પરંતુ હાલ આચાર સંહિતા લાગુ છે માટે સરકાર સત્તાવાર રીતે કોઈ સરકારી લાભ થાય તેવી જાહેરાતો નહીં કરી શકે. આથી 8 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક લેવા માટે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીની રાહ જોવી પડશે. 

3 ડિસેમ્બરથી લેવાશે PSI અને LRDની શારીરિક કસોટી, 26 નવેમ્બરથી OJAS પરથી કોલ  લેટર ડાઉનલોડ કરી શકાશે | Physical test for PSI and LRD recruitment will be  taken from 3rd December in

આવતા વર્ષે પણ થશે મોટી ભરતી 

ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૂંટણી પહેલા નવી જાહેરાત કરી હતી કે વર્ષ 2023માં પણ આટલી મોટી સંખ્યામાં ભરતી થાય તેવું આયોજન થશે. હર્ષ સંઘવીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે 300 પોલીસ સબ ઈન્સપેક્ટર અને 9 હજારથી વધુ લોક રક્ષક દળના જવાનોની નિમણૂક કરશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.