ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે SRPF ઉમેદવારોના ધામા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 11:02:20

STORY BY- સમીર પરમાર

ચૂંટણી પહેલાનો સમય વિવિધ માગણીઓ સાથે સરકારને ઘેરવાનો સમય હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારી અને બિનસરકારી લોકોએ ચૂંટણી પહેલા ગુજરાત સરકાર સામે મોરચો માંડતા હવે વધુ એક મુદ્દા સાથે લોકોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો છે. વર્ષ 2017માં SRPFના વેઈટિંગ લિસ્ટમાં બાકી રહેલા ઉમેદવારોએ સરકાર સામે દેખાવો કર્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં માગણીઓના સૂર વધી રહ્યા છે. 


શા માટે 2017ના વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોએ મેદાને ઉતરવું પડ્યું? 


વર્ષ 2016-17માં એલઆરડી-એસઆરપીએફની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 20 ટકા વેઈટિંગ લિસ્ટમાંથી ત્યારે 10 ટકા વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. 10 ટકાનું એસઆરપીએફનું વેઈટિંગ લિસ્ટ પાંચ વર્ષ બાદ પણ નહીં જાહેર થતાં ઉમેદવારોને પોતાની માગ સાથે મેદાને ઉતરવું પડ્યું હતું. વેઈટિંગ લિસ્ટમાંથી ઓબીસી, એસટી, એસસી વર્ગના ઉમેદવારોની નિમણૂક પણ અત્યારે સુધીમાં નથી કરવામાં આવી. 10 ટકા વેઈટિંગ લિસ્ટ બાકી હોવાના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી પર વિરોધ નોંધાવ્યો છે.


જમાવટ મીડિયાએ સત્યાગ્રહ છાવણી પર વિરોધ નોંધાવનારા સામાજિક કાર્યકર ધર્મેશ ઠાકોર સાથે ઉમેદવારોની માગણી મામલે વાત કરી હતી ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે, "અમે ઘણા સમયથી આ મામલે પોતાની માગ ઉઠાવી રહ્યા છીએ પરંતુ અમારી માગ સાંભળવામાં નથી આવતી. વર્ષોથી અમે આ મુદ્દાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અનેક સરકારી કાર્યાલયો ખાતે પોતાની માગ રાખી રહ્યા છીએ પરંતુ અમારે હાથ નિરાશા જ આવી છે. હવે અમે આક્રામકતાથી સરકાર સામે પોતાની માગ રાખવા આંદોલન કરવા બેસી ગયા છીએ અને અમેં અમારો હક મેળવીને જ રહીશું."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.