ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે SRPF ઉમેદવારોના ધામા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 11:02:20

STORY BY- સમીર પરમાર

ચૂંટણી પહેલાનો સમય વિવિધ માગણીઓ સાથે સરકારને ઘેરવાનો સમય હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારી અને બિનસરકારી લોકોએ ચૂંટણી પહેલા ગુજરાત સરકાર સામે મોરચો માંડતા હવે વધુ એક મુદ્દા સાથે લોકોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો છે. વર્ષ 2017માં SRPFના વેઈટિંગ લિસ્ટમાં બાકી રહેલા ઉમેદવારોએ સરકાર સામે દેખાવો કર્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં માગણીઓના સૂર વધી રહ્યા છે. 


શા માટે 2017ના વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોએ મેદાને ઉતરવું પડ્યું? 


વર્ષ 2016-17માં એલઆરડી-એસઆરપીએફની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 20 ટકા વેઈટિંગ લિસ્ટમાંથી ત્યારે 10 ટકા વેઈટિંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. 10 ટકાનું એસઆરપીએફનું વેઈટિંગ લિસ્ટ પાંચ વર્ષ બાદ પણ નહીં જાહેર થતાં ઉમેદવારોને પોતાની માગ સાથે મેદાને ઉતરવું પડ્યું હતું. વેઈટિંગ લિસ્ટમાંથી ઓબીસી, એસટી, એસસી વર્ગના ઉમેદવારોની નિમણૂક પણ અત્યારે સુધીમાં નથી કરવામાં આવી. 10 ટકા વેઈટિંગ લિસ્ટ બાકી હોવાના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી પર વિરોધ નોંધાવ્યો છે.


જમાવટ મીડિયાએ સત્યાગ્રહ છાવણી પર વિરોધ નોંધાવનારા સામાજિક કાર્યકર ધર્મેશ ઠાકોર સાથે ઉમેદવારોની માગણી મામલે વાત કરી હતી ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે, "અમે ઘણા સમયથી આ મામલે પોતાની માગ ઉઠાવી રહ્યા છીએ પરંતુ અમારી માગ સાંભળવામાં નથી આવતી. વર્ષોથી અમે આ મુદ્દાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અનેક સરકારી કાર્યાલયો ખાતે પોતાની માગ રાખી રહ્યા છીએ પરંતુ અમારે હાથ નિરાશા જ આવી છે. હવે અમે આક્રામકતાથી સરકાર સામે પોતાની માગ રાખવા આંદોલન કરવા બેસી ગયા છીએ અને અમેં અમારો હક મેળવીને જ રહીશું."



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.