LRD વેઈટીંગના મુદ્દે લડી રહેલા લોકોને સેન્ટ્રલ જેલ લઈ જવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 23:22:39

LRD વેઈટીંગ ઓપરેટ કરવા માટે આંદોલન કરી રહેલા પુરુષો અને મહિલાઓ પર પોલીસ વરસી, ગાંધીનગરમાં ફરીયાદ દાખલ કરાઈ હતી, પણ કોઈએ ધરણા કે ઉપવાસ ના છોડ્યું, પોલીસની સમજાવટ પછી ગાંધીનગર પણ ના છોડ્યું, ગાંધીનગર પોલીસ એમને પોતાની સાથે લઈ ગઈ, મામલતદાર સામે રજૂ કર્યા તો પણ કોઈએ બાંહેધરીપત્ર પર સહી ના કરી તો પોલીસ ધરપકડ કરીને બધાને લઈને સેન્ટ્રલ જેલ, અમદાવાદ લઈને આવી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપવાસ છોડાવ્યા હતા

આ મહીલાઓએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી તો ત્યાં સમર્થનમાં ગયેલા જીગ્નેશ મેવાણીએ લડાઈને સમર્થનના આશ્વાસન સાથે ઉપવાસ તો છોડાવ્યા હતા પણ આંદોલન ચાલુ રહેતા ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી, પોલીસની જાહેરાત પરથી લાગી રહ્યું હતુ કે સરકાર હવે મુદ્દાઓમાં સુલેહ કે સોલ્યુશનના નહીં પણ આંદોલન તોડવાના મૂડમાં છે. 

ગાંધીનગર એટલે આંદોલનનું પાટનગર, અને સૌથી કલંકીત ઈતિહાસ વાળી ભરતી એટલે LRD-2018, કેમ કે હજુ માલધારીઓના એસ.ટી.પ્રમાણપત્ર અને સામે આદીવાસીઓનો વિરોધ આ મામલે મુ્દ્દો હજુ ઉલજેલો જ છે, ઉપરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત પછી પણ કોઈ ઠરાવ ના થયો અને વેઈટીંગ ઓપરેટ ના કરાયું હોવાથી વિરોધ યથાવત છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.