LRD વેઈટીંગના મુદ્દે લડી રહેલા લોકોને સેન્ટ્રલ જેલ લઈ જવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 23:22:39

LRD વેઈટીંગ ઓપરેટ કરવા માટે આંદોલન કરી રહેલા પુરુષો અને મહિલાઓ પર પોલીસ વરસી, ગાંધીનગરમાં ફરીયાદ દાખલ કરાઈ હતી, પણ કોઈએ ધરણા કે ઉપવાસ ના છોડ્યું, પોલીસની સમજાવટ પછી ગાંધીનગર પણ ના છોડ્યું, ગાંધીનગર પોલીસ એમને પોતાની સાથે લઈ ગઈ, મામલતદાર સામે રજૂ કર્યા તો પણ કોઈએ બાંહેધરીપત્ર પર સહી ના કરી તો પોલીસ ધરપકડ કરીને બધાને લઈને સેન્ટ્રલ જેલ, અમદાવાદ લઈને આવી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપવાસ છોડાવ્યા હતા

આ મહીલાઓએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી તો ત્યાં સમર્થનમાં ગયેલા જીગ્નેશ મેવાણીએ લડાઈને સમર્થનના આશ્વાસન સાથે ઉપવાસ તો છોડાવ્યા હતા પણ આંદોલન ચાલુ રહેતા ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી, પોલીસની જાહેરાત પરથી લાગી રહ્યું હતુ કે સરકાર હવે મુદ્દાઓમાં સુલેહ કે સોલ્યુશનના નહીં પણ આંદોલન તોડવાના મૂડમાં છે. 

ગાંધીનગર એટલે આંદોલનનું પાટનગર, અને સૌથી કલંકીત ઈતિહાસ વાળી ભરતી એટલે LRD-2018, કેમ કે હજુ માલધારીઓના એસ.ટી.પ્રમાણપત્ર અને સામે આદીવાસીઓનો વિરોધ આ મામલે મુ્દ્દો હજુ ઉલજેલો જ છે, ઉપરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત પછી પણ કોઈ ઠરાવ ના થયો અને વેઈટીંગ ઓપરેટ ના કરાયું હોવાથી વિરોધ યથાવત છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે