LRD વેઈટીંગના મુદ્દે લડી રહેલા લોકોને સેન્ટ્રલ જેલ લઈ જવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 23:22:39

LRD વેઈટીંગ ઓપરેટ કરવા માટે આંદોલન કરી રહેલા પુરુષો અને મહિલાઓ પર પોલીસ વરસી, ગાંધીનગરમાં ફરીયાદ દાખલ કરાઈ હતી, પણ કોઈએ ધરણા કે ઉપવાસ ના છોડ્યું, પોલીસની સમજાવટ પછી ગાંધીનગર પણ ના છોડ્યું, ગાંધીનગર પોલીસ એમને પોતાની સાથે લઈ ગઈ, મામલતદાર સામે રજૂ કર્યા તો પણ કોઈએ બાંહેધરીપત્ર પર સહી ના કરી તો પોલીસ ધરપકડ કરીને બધાને લઈને સેન્ટ્રલ જેલ, અમદાવાદ લઈને આવી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપવાસ છોડાવ્યા હતા

આ મહીલાઓએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી તો ત્યાં સમર્થનમાં ગયેલા જીગ્નેશ મેવાણીએ લડાઈને સમર્થનના આશ્વાસન સાથે ઉપવાસ તો છોડાવ્યા હતા પણ આંદોલન ચાલુ રહેતા ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી, પોલીસની જાહેરાત પરથી લાગી રહ્યું હતુ કે સરકાર હવે મુદ્દાઓમાં સુલેહ કે સોલ્યુશનના નહીં પણ આંદોલન તોડવાના મૂડમાં છે. 

ગાંધીનગર એટલે આંદોલનનું પાટનગર, અને સૌથી કલંકીત ઈતિહાસ વાળી ભરતી એટલે LRD-2018, કેમ કે હજુ માલધારીઓના એસ.ટી.પ્રમાણપત્ર અને સામે આદીવાસીઓનો વિરોધ આ મામલે મુ્દ્દો હજુ ઉલજેલો જ છે, ઉપરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત પછી પણ કોઈ ઠરાવ ના થયો અને વેઈટીંગ ઓપરેટ ના કરાયું હોવાથી વિરોધ યથાવત છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .