LRD વેઈટીંગના મુદ્દે લડી રહેલા લોકોને સેન્ટ્રલ જેલ લઈ જવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 23:22:39

LRD વેઈટીંગ ઓપરેટ કરવા માટે આંદોલન કરી રહેલા પુરુષો અને મહિલાઓ પર પોલીસ વરસી, ગાંધીનગરમાં ફરીયાદ દાખલ કરાઈ હતી, પણ કોઈએ ધરણા કે ઉપવાસ ના છોડ્યું, પોલીસની સમજાવટ પછી ગાંધીનગર પણ ના છોડ્યું, ગાંધીનગર પોલીસ એમને પોતાની સાથે લઈ ગઈ, મામલતદાર સામે રજૂ કર્યા તો પણ કોઈએ બાંહેધરીપત્ર પર સહી ના કરી તો પોલીસ ધરપકડ કરીને બધાને લઈને સેન્ટ્રલ જેલ, અમદાવાદ લઈને આવી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપવાસ છોડાવ્યા હતા

આ મહીલાઓએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી તો ત્યાં સમર્થનમાં ગયેલા જીગ્નેશ મેવાણીએ લડાઈને સમર્થનના આશ્વાસન સાથે ઉપવાસ તો છોડાવ્યા હતા પણ આંદોલન ચાલુ રહેતા ગાંધીનગર પોલીસે કાર્યવાહી કરી હતી, પોલીસની જાહેરાત પરથી લાગી રહ્યું હતુ કે સરકાર હવે મુદ્દાઓમાં સુલેહ કે સોલ્યુશનના નહીં પણ આંદોલન તોડવાના મૂડમાં છે. 

ગાંધીનગર એટલે આંદોલનનું પાટનગર, અને સૌથી કલંકીત ઈતિહાસ વાળી ભરતી એટલે LRD-2018, કેમ કે હજુ માલધારીઓના એસ.ટી.પ્રમાણપત્ર અને સામે આદીવાસીઓનો વિરોધ આ મામલે મુ્દ્દો હજુ ઉલજેલો જ છે, ઉપરથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત પછી પણ કોઈ ઠરાવ ના થયો અને વેઈટીંગ ઓપરેટ ના કરાયું હોવાથી વિરોધ યથાવત છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.